જાગૃત નાગરિક દ્વારા ફોરેસ્ટને જાણ કરાયા પછી નીલ ગાયને જંગલ વિસ્તારમાં મોકલી દેવાઇ જામનગર તા.19 જામનગરમાં શહેરી વિસ્તારમાં ગઇકાલે રાત્રે એકાએક નીલગાય (રોજડું ) દેખાતાં લોકોમાં કુતૂહલ પ્રસર્યું હતું, અને કેટલાક વાહનચાલકો માં પણ તેની દોડાદોડીને લઈને અફડા-તફડી મચી ગઇ હતી. જાગૃત નાગરિકની જાણકારી પછી ફોરેસ્ટ વિભાગે નીલગાયને જંગલ વિસ્તારમાં મોકલી આપી હતી. આ બનાવની વિગત એવી છે કે જામનગરના જોગર્સ પાર્ક સહિતના આસપાસના વિસ્તારમાં ગઇકાલે સાંજે આઠેક વાગ્યાના અરસામાં એક નીલગાય જોવા મળી હતી. એકાએક શહેરી વિસ્તારમાં નીલગાય (રોજડા) ને જોઇને લોકોમાં કુતૂહલ પ્રસર્યું હતું. જે નવા પ્રાણી ને જોઈને આસપાસના વિસ્તારના કૂતરાઓ પણ ભસવા લાગ્યા હતા. જેથી નિલ ગાયએ પણ દોડાદોડી કરી હતી.જેને લઇને કેટલાક વાહનચાલકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ બનાવ સમયે ત્યાંથી પસાર થઇ રહેલા ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ વાળા નિખિલભાઇ ભટ્ટનું તેના પર ધ્યાન પડતા તેણે સૌપ્રથમ શહેરી વિસ્તારમાં ફરી રહેલા નીલગાય રોજડા નો પોતાના મોબાઈલ ફોનમાં વીડિયો બનાવ્યો હતો, ત્યાર પછી ફોરેસ્ટ વિભાગને જાણકારી આપી હતી. જેથી ફોરેસ્ટ શાખાની ટુકડી...