Skip to main content

જામનગરમાં રખડતા ઢોરે ઢીંક મારતા વૃધ્ધનું મોત

જામનગર તા.4

જામનગરમાં છેલ્લા કેટલાંય સમયથી રખડતા ઢોરનો ત્રાસ પ્રજાજનો ભોગવી રહ્યાં છે. ક્યારેક શેરી-મહોલ્લાઓમાં તો ક્યારેક ઘરમાં ઘુસી રખડતા ઢોરે પ્રજાજનોને ભયમાં મુક્યાં છે છતાં પણ મહાનગરપાલિકાએ કોઇ ગંભીરતા નહીં દાખવતા અને બેદરકારીભર્યા નિર્ણયો કરતા રખડતા ઢોરની ઢીંકે ચડેલા વધુ એક નાગરિકનું મૃત્યું થયું છે. મહાનગરપાલિકાએ તો પ્રજાજનોનો રોષ ઠારવા માટે પ્રજાના પૈસાનો વ્યય કરી જાહેરમાર્ગો પર 30 રોજમદારો રોકી પૈસાનું પાણી કરી નાંખ્યું પરંતુ શહેરની સ્થિતિ ‘જૈસે થે’ રહેવા પામી છે.

જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસનો છેલ્લા કેટલાંય સમયથી નિર્દોષ પ્રજા ભોગવી રહી છે. એમાંય વયોવૃધ્ધ અને બાળકો આસાનીથી હિંસક ઢોરનો ભોગ બનતા આવ્યા છે. છેલ્લા બે માસમાં આ રખડતા ઢોર શેરી અને ઘરમાં ઘુસી હિંસકનું વાતાવરણ ઉભું કર્યું હતું. પ્રજારોષ વધતાં મહાનગરપાલિકા સફાળી જાગી હતી અને તાત્કાલિક ધોરણે સુચારૂં આયોજન કરવાના બદલે પ્રજાનો રોષ ઠારવા માટે મુખ્ય માર્ગો પર અડીંગો જમાવીને ઉભેલાં રખડતા ઢોરને અન્ય જગ્યાએ ખદેડવા માટે રોજમદારો નીમી દીધા હતાં. પરંતુ સમસ્યા ઉકેલાવાના બદલે વધુ પેચીદી બની હતી કારણ કે મુખ્ય માર્ગો પરથી રોજમદારો આ ઢોરને શેરી-મહોલ્લામાં હાંકી કાઢતા પ્રજાજનો ભય બેવડાયો છે. આવી સ્થિતિ વચ્ચે ચાર દિવસ પૂર્વે વધુ એક નાગરિક આ રખડતા ઢોરનો ભોગ બન્યાં હતાં.


શહેરના કિશાનચોક વિસ્તારમાં મોદીનો વાડો, શ્રીકૃષ્ણ ભુવન નામના મકાનમાં રહેતાં પ્રવિણભાઇ બાબુભાઇ નંદા (ઉ.વ.60) નામના વૃધ્ધ ગત્ તા.31મીના રોજ સાંજના ચાડા ચારેક વાગ્યે લાખોટા તળાવના ગેઇટ નંબર 2 થી 3 વચ્ચે આવેલા ચબુતરામાં ચણ નાખવા માટે પહોંચ્યાં હતાં. એ દરમિયાન એક ગાયએ પ્રવિણભાઇને જોરદાર ઢીંક મારી દેતા તેઓ નીચે પટકાયા હતાં. જેમાં તેઓને માથાના ભાગે ઇજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયા હતાં. જ્યાં સારવાર દરમિયાન વૃધ્ધનું મૃત્યું નિપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષના ગાળા દરમિયાન એક મહિલાને રખડતા ઢોરે બેરહેમીપૂર્વક ઢીંક મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. જ્યારે અન્ય એક મકાન અંદર ઘુસી જઇ ભય ઉભો કર્યો હતો. આ બનાવના પગલે મહાનગરપાલિકાએ રોજમદારો રાખી રખડતા ઢોરની સમસ્યા ઉકેલવાના પ્રયાસો કર્યા હતાં પરંતુ આ પ્રયાસો પૈસાનું પાણી સાબિત થયા હોય તેમ રખડતા ઢોરે વધુ એક ઘરના મોભીને પરધામ પહોંચાડ્યા છે. આ બનાવના પગલે શહેરમાં ફરી એક વખત ભય ઉભો થયો છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...