Skip to main content

વાહનચાલકો હરખાવ: જામનગરમાં પેટ્રોલ 11 રૂપિયા અને ડિઝલ 16 રૂપિયા સસ્તું

ઇંધણના ભાવમાં કરાયેલો ઘટાડો કેટલો સમય ટકશે તેને લઇને લોકોમાં અનેક સવાલો

જામનગર તા.4

એક તરફ મોંઘવારીનો માર અને બીજી તરફ પેટ્રોલ-ડિઝલના વધતા જતાં ભાવ વચ્ચે પીસાતી પ્રજાને સરકારે દિવાળીની ભેંટ આપી પેટ્રોલ-ડિઝલના વેટમાં 7 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જેને પગલે પેટ્રોલના ભાવ પ્રતિ લીટર દીઠ 11 રૂપિયા અને ડિઝલના ભાવમાં 16 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જેથી વાહન ચાલકોમાં હરખનો માહોલ જામ્યો છે. પરંતુ આ હરખ અલ્પજીવી સાબિત ન થાય અને ભાવ ઘટાડો લાંબો ટકે તેવું વાહનચાલકો ઇચ્છી રહ્યાં છે.


પેટ્રોલ-ડિઝલના એક્સાઇજ ડ્યૂટીમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઘટાડો કરાતા પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટ્યાં છે. જામનગર સહિત રાજ્યભરમાં તમામ શહેરોમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ 100 ની ઐતિહાસિક સપાટી વટાવી ચુક્યાં હતાં. જેથી રોજબરોજ ઉપયોગમાં લેવતાી ચીજવસ્તુઓના ભાવ પણ વધ્યાં છે. આથી સરકારે દિવાળીની પૂર્વ સંધ્યાએ પેટ્રોલમાં પ્રતિ લીટર પાંચ રૂપિયા અને ડિઝલના ભાવમાં પ્રતિ લીટર દશ રૂપિયાનો એકસાઇઝ ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. જેથી આજથી નવા ભાવ અમલમાં આવ્યા છે.

જેને પગલે આજે જામનગરમાં રિલાયન્સ કંપનીના પેટ્રોલમાં રૂપિયા 12.12 નો ઘટાડો કરાતા નવા ભાવ 95325 રૂપિયા થયા છે. જ્યારે ડિઝલના ભાવમાં 17.01 નો ઘટાડો કરાતા નવા ભાવ 89.18 પર સ્થિર થયાં છે. વધુમાં ઇન્ડિયન ઓઇલ કંપનીના પેટ્રોલના ભાવમાં 11.51 રૂપિયાનો ઘટાડો કરાતા નવા ભાવ 95.08 પર સ્થિર થયા છે અને ડિઝલના ભાવમાં 16.99 નો ઘટાડો થતાં નવા ભાવ 89.06 પર સ્થિર થયાં છે. આ ઉપરાંત ભારત પેટ્રોલિયમ કંપનીના ભાવમાં 11.05 રૂપિયાનો ઘટાડો કરાતા નવા ભાવ 95.11 થયા છે અને ડિઝલના ભાવમાં 16.98 નો ઘટાડો કરાતા નવા ભાવ 89.09 પર સ્થિર થયાં છે અને એચપી કંપનીના પેટ્રોલમાં 11.51 નો ઘટાડો કરાતા ભાવ 95.06 અને ડિઝલમાં 16.97ના ઘટાડાને પગલે 89.05 પર સ્થિત થયાં છે.

ઉલ્લેખનીય છે કે, ચીજવસ્તુઓની મોંઘવારીને ઓછી કરવા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં હજુ પણ ઘટાડો કરવા સરકારે વિચારણા કરવી જોઇએ તેવું વાહનચાલકોમાં ચર્ચાઇ રહ્યું છે. પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કરાયેલો ઘટાડો લાંબો સમય ટકી રહે તેવી વાહનચાલકોએ ઇચ્છા વ્યક્ત કરી છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની વિક્રમજનક 30000 મણ આવક

માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા  નવી  જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી. આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર  હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.