Skip to main content

જામનગરના ખેડૂતની જમીન પ્રૌઢે પચાવી પાડયાની પોલીસ ફરિયાદ

વિરપરમાં આવેલી આઠ વીઘા જમીન ઉપર અઢી વર્ષથી ગેરકાયદેસર કબ્જો : લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધવા કલેકટરમાં અરજી : પોલીસે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી આરંભી 


જામનગર શહેરમાં સુમેર કલબ રોડ પરના વિસ્તારમાં રહેતાં ખેડૂત પ્રૌઢની માલિકીની જામનગર તાલુકાના વિરપર ગામમાં આવેલા જૂના રેવન્યુ સર્વે નં.29/પૈકી 3 (નવા રેવન્યુ સર્વે નં.132) વાળી આઠ વીઘા ખેતીની જમીન જામનગરના જ શખ્સે છેલ્લાં અઢી વર્ષથી ગેરકાયદેસર કબ્જો કરી પચાવી પાડી હતી. પ્રૌઢ દ્વારા અવાર-નવાર જમીન ખાલી કરવા માટે કહેતા ધમકી આપવામાં આવી હતી. આ પ્રકરણમાં પોલીસે એક શખ્સ વિરુધ્ધ લેન્ડ ગે્રબિંગ એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગરમાં સુમેર કલબ રોડ પર હાથી કોલોની શેરી નં.1 માં રહેતાં રામજીભાઈ આંબાભાઈ ગઢીયા નામના પટેલ પ્રૌઢની જામનગર તાલુકાના વિરપર ગામમાં આવેલા જૂના રેવન્યુ સર્વે નં.29/પૈકી 3 (નવા રેવન્યુ સર્વે નં.132) વાળી 1.29.70 હે.આ. રે. (આઠ વીઘા) ખેતીની જમીન છેલ્લાં અઢી વર્ષથી જામનગરમાં રણજીતસાગર રોડ પર રહેતા રસિક ખીમજી ઉર્ફે ખીમા ધાડિયા નામના શખ્સે ગેરકાયદેસર કબ્જો જમાવી પચાવી પાડી હતી. આ જમીન ખાલી કરાવવા માટે પ્રૌઢે અવાર-નવાર રસિકને કહ્યું હતું પરંતુ રસિકે જમીન ખાલી કરવાને બદલે મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ પ્રૌઢે  જૂન 2021 માં પ્રથમ વખત લેન્ડ ગે્રબિંગ એકટ હેઠળ કાર્યવાહી કરવા કલેકટરને અરજી કરી હતી. જે સંદર્ભે રસિકે આ જમીન એક મહિનામાં ખાલી કરી આપવાની    ખાતરી આપી હતી પરંતુ આ જમીન ખાલી કરી ન હતી.

ત્યારબાદ રામજીભાઈએ ફરીથી નવેમ્બર-2021 માં કલેકટરમાં લેન્ડ ગે્રબિંગ એકટ હેઠળ તપાસની અરજી કરતા કલેકટર દ્વારા આ પ્રકરણની તપાસ કરી અને જિલ્લા પોલીસવડાને ગુનો નોંધવાનો આદેશ કર્યો હતો. જેના આધારે ડીવાયએસપી  કૃણાલ દેસાઈ તથા સ્ટાફે લેન્ડ ગે્રબિંગ એકટ હેઠળ રસિક ખીમજી ધાડિયા વિરુધ્ધ  જમીન પચાવી પાડયાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની વિક્રમજનક 30000 મણ આવક

માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા  નવી  જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી. આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર  હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.