Skip to main content

નગરની મધ્યમાં આવેલું રણમલ તળાવ સંપૂર્ણ ભરાઇને છલકાયું

Ranmal Lake


જામનગર તા.30

જામનગર શહેરની શાન સમા લાખેણા લાખોટા તળાવમાં છેલ્લા બે દિવસના વરસાદના કારણે તેમજ ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને વિપુલ જળરાશિ એકત્ર થઇ છે, અને લાખોટા-રણમલ તળાવના ત્રણેય હિસ્સા સંપૂર્ણપણે ભરાઇ ગયા છે. અને આજે લાખોટા તળાવ ઓવરફલો થયું છે.

 દરેડ તરફથી આવતી કેનાલ મારફતે લાખોટા તળાવમાં જળરાશિ એકત્ર થાય છે અને તળાવના પ્રથમ વિભાગમાં 19 ફૂટ પાણી ભરાઇ જતાં વચ્ચેના લાખોટા મ્યુઝિયમ ના નીચેના નાલા સંપૂર્ણપણે ડૂબેલા નજરે પડ્યા છે. આ ઉપરાંત રણમલ તળાવ ના દેરાણી જેઠાણી પાસે ના બીજા ભાગમાં પણ પુષ્કળ પ્રમાણમાં જળરાશિ એકત્ર થઇ છે, અને એક તબક્કે પાળી પરથી હાથેથી પાણી લઇ શકાય તેટલી જળરાશિ એકત્ર થઇ છે.


 ત્યારબાદ એસટી તરફના તળાવના ત્રીજા ભાગમાં પણ વ્યાપક પ્રમાણમાં જળરાશિ એકત્ર થઇ હોવાથી ખોડીયાર કોલોની તરફ જતી વેસ્ટ પિયરની કેનાલ તેમજ એમ પી શાહ કોમર્સ કોલેજ તરફની વેસ્ટ વીયર ની કેનાલમાં ઓવરફલો થઇ ને પાણી જઈ રહ્યું છે. તળાવમાં વધારે પાણીનો જથ્થો સંગ્રહ ન થાય તે માટે   અને લેવલ જાળવવા ના ભાગ રૂપે વેસ્ટવિયર કેનાલ માંથી બહાર નીકળી શકે તે માટે બે ફૂટ દરવાજા ખોલીને તળાવમાંથી વધારાનું પાણી પણ છોડવામાં આવી રહ્યું છે.

છેલ્લે  2019 ની સાલ માં લાખોટા તળાવ ઓવરફ્લો થયું હતું, ત્યાર પછી બે વર્ષના સમયગાળા બાદ 2021ની સાલમાં ફરીથી લાખોટા તળાવ સંપૂર્ણપણે ભરાયું છે. અને તેમાં હાલ 25 એમ.સી.એફ.ટી. જળરાશી એકત્ર થઇ છે. જે જામનગર શહેરના બોર-ડંકી ના તળ ને સાજા રાખવામાં ખૂબ જ મદદરૂપ બનશે, અને તળાવના પ્રથમ હિસ્સામાં દોઢ વર્ષ સુધી ચાલે તેટલો પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ બની ગયો છે.

 આજે સવારે ઓવરફ્લો થયેલા લાખોટા તળાવ ના નયનરમ્ય દ્રશ્યો જોવા માટે વહેલી સવારે વરસાદ રોકાયા પછી અનેક નાગરિકો જોવા માટે ઉમટી પડ્યા હતા, અને જળરાશિ થી લબાલબ થયેલા લાખેણા લાખોટા નો નજારો નિહાળીને લોકો હરખાયા હતા.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની વિક્રમજનક 30000 મણ આવક

માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા  નવી  જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી. આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર  હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.