Skip to main content

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ ના કોવિડ બિલ્ડિંગમાં આગજનીની ઘટના અંગેની મોકડ્રીલ યોજાઇ

વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવેલી મોકડ્રીલને નિર્ધારિત 10 મિનિટમાં જ પૂર્ણ કરી લેવાઇ: સમગ્ર મોકડ્રીલ દરમિયાન મ્યુનિ.કમિશનર, અધિક કલેકટર, ડીન સહિતના તમામ અધિકારીઓ હાજર રહ્યા



જામનગર તા.6

તાજેતરમાં જ ભરૂચ ની કોવિડ હોસ્પિટલમાં થયેલી આગજનીની ઘટના પછી ગુજરાત રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં ફાયર પ્રણાલીને ચકાસવા માટેની સમયાંતરે મોકડ્રીલ યોજવામાં આવી રહી છે. જેના ભાગરૂપે  મહાનગરપાલિકાના કમિશનર અને અધિક કલેકટર તેમજ જી.જી. હોસ્પિટલના ડીન સહિતની હાજરીમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી અને ફાયરના તંત્ર તેમજ સિક્યુરીટી વિભાગ વગેરે દ્વારા દસ મિનિટમાં સફળતાપૂર્વક સંપન્ન કરી લેવામાં આવી હતી.

 જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલના કોવિડ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર તેમજ પ્રથમ માળે શોર્ટસર્કિટના કારણે આગ લાગી છે, અને બંને સ્થળે બે- બે દર્દીઓ ફસાયા છે. તેવી માહિતી જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાને મળતાં ફાયરના 12 જેટલા જવાનોનો કાફલો બે ફાયર ફાઇટરો તેમજ એક એમ્બ્યુલન્સ સાથે તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયો હતો અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી.

 સૌપ્રથમ ફાયર ટેન્ડર વડે કોવિડ બિલ્ડીંગ પરિસરમાં બહારના ભાગે લાગેલી આગના સ્થળે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી, ત્યારબાર ગ્રાઉન્ડ ફ્લોરના સાત બેડ સાથેના વોર્ડમાં પ્રવેશ કરી ત્યાં બે દર્દીઓને તાત્કાલીક અસરથી રેસ્કયુ કરી લેવાયા હતા.

 જ્યારે કોવિડ બિલ્ડિંગમાં પ્રથમ માળે બે દર્દીઓ કે જેઓને  સાઈડના ભાગમાંથી સીડી ગોઠવીને રેસ્કયુ કરી નીચે ઉતારી લેવાયા હતા. જે સમગ્ર કામગીરી 10 મિનિટમાં પૂર્ણ કરી લેવાઈ હતી.

 આ મોકડ્રીલ સમયે જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતિષ પટેલ, અધિક કલેકટર રાજેન્દ્રસિંહ સરવૈયા, ડેપ્યુટી કમિશનર એ.કે. વસ્તાણી, ડીન ડો. નદીની દેસાઈ, કોવિડ બિલ્ડિંગના ઇન્ચાર્જ ડો. તિવારી વગેરે હાજર રહ્યા હતા. જે તમામની ઉપસ્થિતિમાં સમગ્ર કામગિરી સમયસર સંપન્ન કરી લેવામાં આવી હતી.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની વિક્રમજનક 30000 મણ આવક

માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા  નવી  જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી. આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર  હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.