Skip to main content

જામનગરમાં ફરી કોરોના સંદર્ભેનો મૃત્યુંઆંક વધ્યો: 24 કલાકમાં 93 મોત

ત્રણ દિવસ કોવિડ હોસ્પિટલમાં મૃત્યુની સંખ્યા ઘટ્યા બાદ ફરી વધારો થતાં લોકોમાં અરેરાટી: કોરોનાના બેકાબુ સંક્રમણ વચ્ચે મોતની સંખ્યાનો વધારો ચિંતાજનક



જામનગર તા.7

જામનગરમાં એક તરફ કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. ત્યારે બીજી તરફ ત્રણ દિવસથી કોવિડ હોસ્પિટલમાં મોતને ભેટતા દર્દીની સંખ્યામાં ઘટાડો નોંધાયા બાદ ગઇકાલે ફરી ઉછાળો આવતા લોકોમાં અરેરાટી પ્રસરી છે. 24 કલાકમાં જામનગરની કોવિડ હોસ્પિટલમાં 93 દર્દીઓએ આંખો મિંચી લીધાનું જાણવા મળેલ છે.

જામનગરમાં છેલ્લા આઠ દિવસથી કોરોનાના કેસની રફતાર એકધારી જળવાઇ રહી છે. ગઇકાલે પણ કોરોનાના 729 કેસ નોંધાયા હતાં અને તેની સામે 578 દર્દીઓ સ્વસ્થ થયા હતાં. ગઇકાલે સત્તાવાર રીતે જામનગર શહેરના 9 અને ગ્રામ્યના 8 દર્દીઓના કોરોનાથી મૃત્યું થયાની જાહેરાત થઇ હતી પરંતુ કોવિડ હોસ્પિલમાં 24 કલાક દરમિયાન 93 દર્દીઓના મૃત્યું નિપજ્યાનું જાણવા મળેલ છે. ગઇકાલે સાંજે ઓક્સિજન સપ્લાયમાં ખામી સર્જાતા 30 જેટલા દર્દીઓના મૃત્યું નિપજ્યા હોવાની બાબત શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બની હતી પરંતુ હોસ્પિટલના અધિકારીઓએ આ બાબતનું ખંડન કર્યું હતું.

જામનગરની જી.જી.કોવિડ હોસ્પિટલમાં મૃત્યું પામેલ હતભાગીઓમાં ભવરસિંહ જીવણસિંહ રાઠોડ, વિજય વસંતભાઇ, ફાતમાબેન સત્તારભાઇ બાટીવાલા, વલ્લભભાઇ જીવરાજભાઇ દાવડા, જીજ્ઞા પ્રવિણભાઇ ટીંબડા, રમીલાબેન વેણીશંકર જોષી, ખીમજીભાઇ દેવાભાઇ વાઘેલા, પરેશભાઇ પરસોતમભાઇ ચૌહાણ, શાંતાબેન હરીભાઇ, મોહનભાઇ જાદવભાઇ પાણખાણિયા, ભાનુબેન કાન્તીલાલ કાનાણી, મનજીભાઇ લાધાભાઇ પરમાર, ઓતમબેન દયાળજીભાઇ નકુમ, દયાબા સુખદેવસિંહ જાડેજા, વંસતબા માધવસિંહ જાડેજા, મેરાભાઇ રામભાઇ બારિયા, ઇન્દ્રવિજયસિંહ ઉમેદસિંહ વાળા, દેવીબેન રવજીભાઇ રાઠોડ, અજીતસિંહ નથુભા જાડેજા, વિશાલભાઇ મનહરલાલ મહેતા, પ્રભાબેન ચુનીલાલ, વલ્લભભાઇ મૂળજીભાઇ, રૂડીબેન લખુભાઇ, પીયુસભાઇ ગીરધરભાઇ, અમદ ઇબ્રાહિમ સંઘારનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત કિરીટભાઇ માવજીભાઇ ખટિયા, વાલીબેન પરમાર, રામીબેન રેડાભાઇ સામળા, જુનેદભાઇ યુનુસભાઇ બ્લોચ, નરેન્દ્રભાઇ ચૌહાણ, સાજીદભાઇ રજાકભાઇ ભગાડ, ધીરૂભાઇ ગોપાલદાસ, ગોધનભાઇ સોનગરા, ભીમાભાઇ છગનભાઇ ડાંગર, નાનજીભાઇ પેઢાભાઇ કટારિયા, તુલસીદાસ કેશવભાઇ બુમતારિયા, હસમુખલાલ શાંતીભાઇ સાવલા, પરસોતમભાઇ કાનજીભાઇ વાદી, ભીખાભાઇ કરશનભાઇ, રાજાભાઇ કરશનભાઇ કારેણા, સવીતાબેન આર્યનભાઇ ડોબારિયા, ઉમર અલારખાભાઇ નાયક, ખુમાનભાઇ હિરવાણી, મોહિનીબેન લીલારામ આસવાણી, પારૂલબેન ભરતભાઇ દાવડા, રમેશભાઇ હિરાભાઇ ધોબરિયા, કાંતાબેન ગણેશભાઇ કડિવાર, સુશીલાબેન પરસોતમભાઇ પરમાર, ભીમશીભાઇ મુરૂભાઇ ગોજીયા, હિરાભાઇ ભરતભાઇ સાવલિયા, ધીરજલાલ જયશંકર નાકર, ભરતભાઇ પારાભાઇ કંટારિયાનો સમાવેશ થાય છે.

અજયભાઇ પ્રવિણભાઇ હડવાણી, લક્ષ્મીબેન રામુભાઇ નિમાવત, હસમુખભાઇ જીવાભાઇ પાલા, દેવુબેન મનસુખભાઇ મઢવી, મલેશભાઇ હિરાભાઇ રાઠોડ, ક્રિષ્નાબેન ભાટિયા, રાજેશભાઇ, મીરાબેન હરીશભાઇ મકવાણા, સવિતાબેન અરજણભાઇ ભૂત, મધુબેન સુરેશભાઇ વડગામી, કિશોરસિંહ કલ્યાણસિંહ ભટ્ટી, દેવજીભાઇ મૂળજીભાઇ, ઘનશ્યાભાઇ વ્યાસ, ખીમાભાઇ પાલાભાઇ કરંગિયા, રંભીબેન લખમણભાઇ ચાવડા, હમીદ સાલેમાહમદ, વસરામભાઇ જેઠાભાઇ રાઠોડ, નિલેશભાઇ વાલાભાઇ, રાજેશભાઇ વસંતભાઇ પંડ્યા, નિરૂબેન અર્જુનભાઇ ચૌહાણ, રૂક્ષમણીબેન વસંતરાય ગણાત્રા, સુલેમાન બચન શાહ, સવીતાબેન વાલજીભાઇ જીવાણી, જીવરાજભાઇ હરજીભાઇ સાવલિયા, નવીનભાઇ નાનજીભાઇ કનખરા, મોહનભાઇ નાનજીભાઇ પરમાર, ગંગાદાસભાઇ વલ્લભભાઇ, વેજાભાઇ ગોબરભાઇ, અરૂણાબેન નરેન્દ્રભાઇ ભાયાણી, કેશરબેન પ્રાગજીભાઇ, પાર્વતીબેન નાનજીભાઇ ધારવિયા, મંજુબેન મોહનભાઇ મકવાણા, અમરબેન નારણભાઇ જાદવ, સાજણબેન દાનજીભાઇ મેઢપિયા, પ્રવિણભાઇ સામજીભાઇ જેઠવા, પ્રભાબેન વાલજીભાઇ, પ્રભુદાસ 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.