Skip to main content

જામનગરની કોવીડ હોસ્પિટલમાં આવતા કોરોના દર્દીઓના પરિવારજનો માટે નિ:શુલ્ક ભોજનની સેવા



જામનગર સહિત સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. જામનગરની જી.જી. કોવીડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. જામનગરની કોવીડ હોસ્પિટલમાં જામનગર ઉપરાંત મોરબી, રાજકોટ, જૂનાગઢ, દ્વારકા સહિતના જિલ્લાઓ માંથી દર્દીઓ કોરોની સારવાર મેળવવા આવી રહ્યા છે. જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં બહારગામથી દર્દીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે ત્યારે બહારગામથી આવતાં દર્દીઆના પરિવારજનોને રહેવા તથા જમવાની વ્યવસ્થા વિના મૂલ્યે કરવા શહેરની અનેક સામાજિક સંસ્થાઓ, જ્ઞાતિઓ આગળ આવી છે અને કોરોના દર્દીઓના પરિવારજનોને આ કપરા સમયમાં સહિયારો આપી રહી છે.



જામનગરની જી.જી.હોસ્પિટલમાં બહારગામથી કોરોનાની સારવાર માટે આવતાં દર્દીઓના પરિવારજનો માટે જી.જી.હોસ્પિટલ નજીક નિ:શુલ્ક ભોજન સુવિધા શરૂ કરવામાં આવી છે. જી.જી.હોસ્પિટલ નજીક આવેલ રાઠોડ નિવાસ કોવિડ હોસ્પિટલના એન્ટ્રી ગેઇટ પાસે સોલેરિયમની સામે જામનગર ખાતે કોરોના દર્દીના પરિવારજનો માટે બપોરે 12 થી 2 વગ્યા સુધી નિ:શુલ્ક ભોજન સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સવારે 7 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી ચા-પાણી તથા છાશ ની સેવા પણ આપવામાં આવી રહી છે. 

હાલમાં કોરોનાની વિકટ પરિસ્થિતિમાં બહારથી આવતા દર્દીઓના પરિવારજનોને રહેવા જમવાની મુશ્કેલી પડતી હોય છે ત્યારે જામનગરની અનેકવિધ સામાજીક સંસ્થાઓ આગળ આવી છે અને કોરોનાની મુશ્કેલ પરિસ્થિતિમાં દર્દીના પરિવારજનો ની સેવા કરી રહી છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.