Skip to main content

જામનગરમાં આવતીકાલના હોળી પર્વની ઉજવણી માટે થનગનાટ



જામનગર તા.27

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં આવતીકાલે હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર હોળીની ઉજવણી કરવામાં આવશે. આવતીકાલે ઠેર-ઠેર હોલિકા દહનનું આયોજન કરવામાં આવશે. આ વર્ષે આવતીકાલે સાંજે 7 થી 10 દરમિયાન હોળી પ્રવટાવવાનું શ્રેષ્ઠ મુહૂર્ત હોવાનું જામનગરના ભાર્ગવ જ્યોતિષ કાર્યાલય દ્વારા જણાવાયું છે અને રાત્રે 12:18 વાગ્યે હોળાષ્ટક પૂર્ણ થશે. આવતીકાલે હોલિકા દહન યોજાયા બાદ સોમવારે લોકો ધૂળેટી પર્વનું કોરોનાકાળ વચ્ચે સાદગીપૂર્વક ઉજવણી કરશે.

જામનગરમાં આવતીકાલે હોલિકા દહનની ઉજવણી કરવામાં આવશે. ભોઇ સમસ્ત જ્ઞાતિ દ્વારા પણ 65 વર્ષથી હોલિકા દહનનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે કોરોના મહામારીને કારણે સમાજની પરંપરા જળવાઇ રહે અને સાદગીપૂર્વક ઉજવણી થાય તે રીતે હોલિકાદહનની ઉજવણી કરવામાં આવશે. સમાજમાં મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે કોરોનાના નિયમોનું ચુસ્ત પાલન કરવા તેમજ જામનગરની ધર્મપ્રેમી જનતાને આ વર્ષે હોલિકા મહોત્સવમાં ન જોડાવા ભોય સમાજ દ્વારા અનુરોધ કરાયો છે. ભોય સમાજ દ્વારા આ વખતે સાદગીપૂર્વક પરંપરા સાથે ઉજવણી કરવામાં આવશે.

આ વર્ષે કોરોનાની મહામારીના કારણે સરકાર દ્વારા હોળી-ધૂળેટી પર્વની ઉજવણી માટે ગાઇડલાઇન જાહેર કરી છે. આમ ગત 2020ના વર્ષની માફક આ વર્ષે પણ તહેવારોની ઉજવણીમાં ભંગ પડી રહ્યો છે. સરકાર દ્વારા મર્યાદિત લોકોની હાજરીમાં હોલિકા દહનની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આવતીકાલે સાંજે હોલિકા દહન થશે. બજારમાં ખજૂર, ધાણી, દારીયા, પતાસા, શ્રીફળ, હાયડો સહિતની ચીજવસ્તુઓનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે.

હોળીના દિવસે બહેનો વ્રત કરે છે અને રાત્રીના હોળીની પ્રદક્ષિણા કરી શ્રીફળ અને ધાણી-દારિયા હોળીમાં હોમે છે. હોળી પ્રગટાવીને અસુરી તત્વોનો નાશ કરી દેવી શક્તિનું સન્માન કરાય છે. નાના બાળકોના ગળામાં પતાશાનો હાયડો પહેરાવી તેને હોલિકાના દર્શન કરાવવામાં આવે છે. આવતીકાલે હોલિકા દહન હોય, શહેરીજનો ધાણી-દારિયા સહિતની ચીજવસ્તુઓ ખરીદવા લાગ્યા છે.

આ વર્ષે કોરોનાના કારણે સરકાર દ્વારા મોટા આયોજનો પર પ્રતિબંધ લદાયો હોય, ધૂળેટીના રંગ ફિક્કા પડશે. દરવર્ષે યુવાનો ઉત્સાહભેર રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી કરતાં હોય છે. પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણ સતત વધી રહ્યું હોય, ધૂળેટીની ઉજવણી ફિક્કી પડશે. તેવું જણાઇ રહ્યું છે. આવતીકાલે હોલિકા દહન સાથે હોળીના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કર્યા બાદ સોમવારે ધૂળેટીનું પર્વ શહેરીજનો મનાવશે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.