Skip to main content

જામનગર નજીક અજાણ્યા પ્રૌઢની કરપીણ હત્યા નીપજાવી સળગાવી અજાણ્યા આરોપી ફરાર

માથામાં બોથડ પદાર્થના ઘા ફટકારી ઢીમ ઢાળી દેવાયું: અન્ય જગ્યાએ હત્યા નીપજાવી, સળગાવી દઈ ફેંકી  દેવાયા: મૃતક કોણ? અજાણ્યા શખ્સો કોણ? પોલીસ તપાસનો ધમધમાટ


જામનગર તા.18

જામનગર નજીકના પીપળી ગામે રેલ્વે સ્ટેશનવાળી


સીમમાં બાવળની  જાળીઓમાં સળગેલી હાલતમાં એક પ્રૌઢનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. અજાણ્યા સખ્સોએ એ પ્રૌઢની હત્યા નીપજાવી હોવાનું પીએમ રીપોર્ટમાં સામે આવતા પોલીસે અજાણ્યા સખ્સો સામે ફરિયાદ નોંધી મૃતકની  ઓળખ અને આરોપીઓ સુધી પહોચવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર જીલ્લામાં ચકચાર જગાવનાર બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના પીપળી ગામે ગઈ કાલે બપોરે રેલ્વેસ્ટેસન વાળી સીમ બાવળ ની ઝાડીમાં સળગેલી હાલતમાં એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આશરે 50 થી 60 વર્ષની ઉમર ધરાવતા પ્રૌઢના  મૃતદેહને પોલીસે કબજે કરી જામનગરની જીજી હોસ્પિટલ ખસેડી પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. જેમાં મૃતકની હત્યા નીપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું  હતું. જેને લઈને લાલપુર પોલીસ દફતરના પીએસઆઈ ડી.એસ.વાઢેરએ અજાણ્યા સખ્સો સામે અજાણ્યા પ્રૌઢની હત્યા નીપજાવવા સબબ ફરિયાદ નોંધી હતી. જેમાં કોઈ અજાણ્યા સખ્સોએ મૃતકના માથાના ભાગે કોઇ વસ્તુ-પદાર્થ-હથીયાર વડે માર મારી ગંભીર ઇજા પહોચાડી મોતને ઘાટ ઉતારી, મૃતકની લાશ ઓળખાય નહી તેમજ મરણ જનારના મુત્યુનુ કારણ જાણી શકાય નહી તે હેતુથી લાશને સળગાવી પુરાવાનો નાશ કરી નાશી ગયા હોવાનો આરોપ લગાવાયો છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને હત્યારાઓ સુધી પહોચવા કવાયત શરુ કરી છે. મૃતકની ઓળખ થયા બાદ પોલીસ હત્યારા સુધી પહોચી જશે તેવો આશાવાદ સેવાઈ રહ્યો  છે. જો  કે રહસ્યના આટાપાટા ભર્યા બનાવમાં કોની હત્યા અને કોના  દ્વારા નીપજાવવામાં આવી છે એ મુદ્દો ચર્ચાઓ વિષય બન્યો છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.