Skip to main content

જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટી બિલ્ડીંગના છઠ્ઠામાળેથી કૂદકો લગાવી વિધ્યાર્થીનો આપઘાત

બનાવનું કારણ અકબંધ : પોલીસે મૃતકનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરી





જામનગર તા.૧૮

જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટી બિલ્ડીંગના ઉપરના માળેથી કૂદકો લગાવી આપઘાત કરી લીધો છે. જો કે આ આપઘાત કરવા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. કચ્છના વિધ્યાર્થીએ કયા કારણે આપઘાત કર્યો છે તેનું તારણ મેળવવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

જામનગરમાં આવેલી આયુર્વેદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિધ્યાર્થી વિજય અજમલભાઈ ઠાકોરે યુનિવર્સિટીના બિલ્ડીંગ પરથી જંપલાવી આપઘાત કર્યો છે. આ બનાવના પગલે યુનિવર્સિટી કેમ્પસમાં દોડધામ મચી જવા પામી હતી. ૧૦૮ની ટીમે તુરંત ઘટના સ્થળે પહોચી મૃતકનો કબ્જો સંભાળ્યો હતો. જો કે સિટી બી ડિવિઝન પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ભીમાસર ગામનો વિધ્યાર્થી બીએએમએસમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે. જો કે કયા કારણોથી આપધાત કર્યો છે. તે હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસના જણાવ્યા અનુસાર વિધ્યાર્થીએ પોતાની જાતે જ કૂદકો લગાવી જીવ દીધો હતો. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.