Skip to main content

યા હુશૈનની યાદમાં જામનગરના મુસ્લિમ સમાજે સાદાઇથી મહોરર્મ મનાવી

કલાત્મક તાજીયાના ઝુલુસ કોરોનાને કારણે ન યોજી માતમમાં જ તાજીયા રાખી માતમ મનાવ્યું


જામનગર તા.31:
જામનગરમાં મુસ્લિમ સમાજ દ્વારા મનાવાતું માતમનું પર્વ મહોરર્મ દેશ-વિદેશમાં પ્રચલિત છે. આ વખતે કોરોના મહામારીને લીધે મુસ્લિમ સમાજની જુદીા-જુદી જમાતો દ્વારા તાજીયાના જુલુસ કાઢવામાં આવ્યા ન હતા અને તાજીયાને માતમમાં જ રાખી યા હુશૈનની યાદ તાજી કરી હતી.

એમ કહેવાય છે કે મુસ્લિમ સમાજમાં કોઇ વ્યકિતનું મૃત્યું થાય ત્યારે પરંપરા મુજબ તેની કબ્રસ્તાનમાં લઇ જઇ દફનવિધિ કરવામાં આવે છે. મૃતકોની યાદ સૌથી વધુ મહોરર્મના દિવસે આવે છે. કેમકે હુશૈનની યાદમાં મહોરર્મની ઉજવણી કરાય છે. એમ કહેવાય છે કે કરબલામાં જયારે હુશૈન શહિદ થયા હતા તેઓની અંતિત ક્ષણે તેઓને પાણી પણ નશીબ ન્હોતું થવા દેવાયું. આથી મહોરર્મના દિવસે જયારે તાજીયા નિકળે છે. ત્યારે મુસ્લિમ લોકો પાણી રેડે છે અને હુશૈનની શહાદતને યાદ કરી પોતાની શ્રધ્ધા વ્યકત કરે છે. મુસ્લિમ ઉપરાંત કોમી એકતામાં માનતા અનેક હિન્દુ લોકો પણ તાજીયાના દિદાર કરી પાણી રેડે છે કે શ્રીફળ વધારે છે. અને લોબાનની અગરબતી પણ કરે છે.

દુનિયાના તમામ મુસ્લિમ દેશો કરતા ભારતમાં સૌથી વધુ કલાત્મક તાજીયા મહિનાઓની જહેમત ઉઠાવી તૈયાર કરાય છે. મહોરર્મની આગલી રાત્રે આ તાજીયા પડમાં (માતમમાં)આવે છે અને બીજા દિવસે બપોર બાદ તાજીયાનું નિર્માણ કરનાર જમાત (કમિટિ)ના લોકો ઝુલુસ યોજતા હોય છે.

પરંતુ આ વખતે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સરકારની અપીલને માન આપી મુસ્લિમ સમાજે જામનગરમાં તાજીયાના ઝુલુસ યોજયા ન હતા અને માત્ર માતમમાં (ચોકમાં) તાજીયા રાખી સાદાઇથી મહોરર્મ મનાવી હતી. મુસ્લિમ સમાજની 100થી વધુ જુદી-જુદી તાજીયા કમિટિઓ દર વર્ષે તાજીયાનું નિમાર્ણ કરતી હોય છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.