Skip to main content

જામનગરમાં ધસમસતા જળપ્રવાહમાં ફસાયેલા 29 લોકોને બચાવાયા

જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે જુદા-જુદા વિસ્તારોમાં બોટની મદદથી કરી બચાવ કામગીરી


જામનગર તા.31
જામનગર શહેરમાં ભારે વરસાદ અને નદીઓના પૂરોથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં ધસમસતા પાણી ફરી વળ્યાં હતા. આ પાણીના લીધે  ફાયરના જવાનોએ ત્રણ થી ચાર રેસ્ક્યુ ઓપરેશનો હાથ ધરીને 29 માનવ જિંદગી બચાવી હતી.
જામનગર શહેરને આ વર્ષે મેઘરાજાએ ચોમાસા કરતા પણ વધુ ભાદરવા માસમા વધુ જોરદાર એન્ટ્રીથી નદીઓમાં ઘોડા પૂર આવ્યા હતા, એટલું જ નહીં જામનગરને પૂવાનું પાણી પૂરું પડતો રણજીતસાગર ડેમ ફરી ઓવરફ્લો થયો હતો. આ ઉપરાંત રંગમતી ડેમ પણ ઓવરફલો થતા ડેમોના પાણી શહેરની અનેક સોસાયટીમાં ઘુસ્યા હતા. જેમાં ખાસ કરીને વોર્ડ.6 માં આવેલા ગણપતનગર વિસ્તારમાં પાણી ફરી વળતા તેમાં 19 લોકો ફસાયા હતા. જે અંગે ફાયરને જાણ કરાતા ફાયરની ટિમ બોટ સાથે આવી પહોંચી હતી અને ઓપરેશન હાથ ધરી પાણીની વચ્ચે ફસાયેલી 19 માનવ જિંદગીને બચાવી લીધી હતી.

જામનગર શહેરમાં ખોજાગેઇટ, ધાંચીની ખડકી, ટીટોડીવાળી  વિસ્તારમાં  પાણીમાં ફસાયેલા છ લોકો ફસાયા હતા. એક તરફ પાણી વધતું જતું હતું બીજી તરફ લોકોમાં પણ ડર વધ્યો હતો ત્યારે ફાયરની ટીમે રેસ્ક્યુ કરવા માટે આવી પહોંચી હતી અને પાણીની વચ્ચે જીવના જોખમે છ માનવ જિંદગીને બચાવી લીધી હતી. આ ઉપરાંત ભીમવાસ વિસ્તારમાં શાળા નં.52 પાસે પુરના પાણીમાં એક વ્યક્તિ  ફસાયો હતો, જેને ફાયરની ટીમે બચાવી લીધેલ હતો તેને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડેલ હતો.

તળાવના ઓવરફ્લોનું પાણી ગુરુદ્વારા વિસ્તારની સોસાયટીમાં ઘુસ્યું હતું. જેનાથી ગુરુદ્વારા વિસ્તારમાં પાણીના ભરાવા વચ્ચે 6 વ્યક્તિઓ ફસાયા હતા. જેને ફાયરની બોટ મારફતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને 6 ને વ્યક્તિઓને બચાવી લીધા હતા. આ છ વ્યક્તિઓ પોતાના ઘરમાં પાણીની અંદર ફસાયા હતાં. આ પાણી માં વધારો થતો જતો હતો ત્યારે ભગવાની જેમ ફાયરની રેસ્ક્યુ ટીમના જવાનો બોટ સાથે પહોંચ્યા હતા, તમામ પરિવારજનોને પાણીની વચ્ચેથી બચાવી લીધા હતા.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.