Skip to main content

જામનગરથી અમદાવાદ ગયેલા વધુ બે તબીબના રિપોર્ટ પોઝીટીવ

ગઇકાલે બે ડોક્ટરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ અન્ય બે ડોક્ટરના રિપોર્ટ આજે સવારે પોઝીટીવ જાહેર થયા: કુલ ચાર ડોક્ટરોને અમદાવાદમાં જ અપાતી સારવાર


જામનગર તા.7
જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાંથી કુલ 24 જેટલા ડોક્ટર અને રેસીડેન્ટ ડોક્ટરને ડેપ્યુટેશન ઉપર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ફરજ ઉપર મોકલવામાં આવ્યા બાદ ત્યાં કોરોનાના દર્દીઓની સારવાર દરમિયાન તબિયતમાં થોડી ગડબડ જણાતા પાંચ તબીબોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. આ પાંચ પૈકી બે તબીબનો રિપોર્ટ ગઇકાલે સવારે કોરોના પોઝીટીવ આવ્યા બાદ અન્ય ત્રણ તબીબોમાંથી પણ વધુ બે તબીબોના રિપોર્ટ ગઇરાત્રે પોઝીટીવ આવ્યા હોવાનું જાણવા મળે છે. આમ જામનગરથી ગયેલા તબીબોમાંથી ચાર તબીબોને કોરોના પોઝીટીવ આવતા સારવાર અપાઇ રહી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર જામનગરની એમ.પી.શાહ ગવર્મેન્ટ મેડીકલ કોલેજના મેડીસીન વિભાગ અને એનેસ્થેશિયા વિભાગમાં ફરજ બજાવતા 24 તબીબી છાત્રો કે જેઓ જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલમાં રેસીડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતાં. તેઓને એક સપ્તાહ પહેલાં આરોગ્ય કમિશનરના આદેશથી જામનગરથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ડેપ્યુટેશન ઉપર મોકલવામાં આવ્યા હતાં. ગુજરાતમાં સૌથી વધુ કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા ધરાવતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ડેપ્યુટેશન ઉપર ફરજ બજાવી રહેલાં જામનગરના તબીબી સ્ટાફને પણ કોરોનાનું સંક્રમણ શરૂ થતાં તબીબી આલમ ઉપરાંત તેમના પરિવારજનોમાં ચિંતાનું મોજુ પ્રસર્યું છે.
અમદાવાદ ફરજ બજાવવા ગયેલા તબીબોમાંથી અમુકને કોરોના પોઝીટીવ હોવાની માહિતી મળતા આ અંગે જામનગરની એમ.પી.શાહ ગવર્મેન્ટ મેડીકલ કોલેજના ડીન ડો.નંદિનીબેન દેસાઇએ જણાવ્યું હતું કે, જામનગરથી ગયેલાં કુલ 24 તબીબોની ટીમ પૈકી પાંચ ડોક્ટરોને સામાન્ય હોવાનો અહેસાસ ન થતાં તેઓના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. આ પૈકી ડો.જીલ પટેલ અને ડો.કેતન મકવાણાનો રિપોર્ટ ગઇકાલે સવારે જ પોઝીટીવ જાહેર થયો હતો. આ પછી તેમની ટીમમાં રહેલાં અન્ય ત્રણ ડોક્ટરો કીંજલ નારિયા, ડો.પ્રિયંક બત્રા અને ડો.રાજૂ હુણનો રિપોર્ટ આવવાનો બાકી હતો. આ પછી ગઇરાત્રે આવેલા વધુ બે તબીબના રિપોર્ટ કોરોના પોઝીટીવ હોવાનું જાહેર થયું છે. જેમાં ડો.પ્રિયંક બત્રા અને ડો.કિંજલ નારિયાને પોઝીટીવ દર્દી તરીકે ટ્રીટ કરાઇ રહ્યાં છે. જ્યારે ડો.રાજુ હૂણનો ફરીથી કરાયેલ રિપોર્ટ હજુ જાહેર થયો નથી.
વધુમાં મળતી વિગત અનુસાર જામનગરના ઉપરોક્ત પાંચેય તબીબોને સરકારની ગાઇડલાઇન મુજબની સુવિધા અને તકેદારી હેઠળ અમદાવાદની એક હોટેલ કે જે ક્વોરેન્ટાઇન સેન્ટર તરીકે સરકારે રિક્વીઝેટ કરેલ છે ત્યાં રાખવામાં આવ્યા છે. આજની સ્થિતિએ જામનગરથી ગયેલા તબીબોમાંથી ચારને કોરોના પોઝીટીવ હોવાનું ડો.નંદિની દેસાઇએ સમર્થન આપ્યું હતું.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

રણજીતસાગર ડેમ ઉપર પોલીસના નામે સહેલાણીઓની પજવણી કરતા બે શખ્સોને પાંચ વર્ષની સજા

બે રોડછાપ રોમિયોએ નકલી પોલીસ બની યુવતિના ફોટા પાડી બિભત્સ માંગણી કરેલી: યુવતિ તાબે ન થતાં ફોટા સોશ્યલ મીડિયામાં કર્યા હતાં વાયરલ: જાતિય હુમલાનો ભોગ બનેલ યુવતિને 50 હજારની રકમ વળતર પેટે ચુકવવા જામનગરની અદાલતનો હુકમ જામનગર તા.30 જામનગરના રણજીતસાગર ડેમ પર હરવા-ફરવા આવતા સહેલાણીઓની પજવણી કરતા બે રોડછાપ રોમિયોને જામનગરની અદાલતે પાંચ વર્ષની જેલની સજા અને 50 હજારનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની હકીકત મુજબ રણજીતસાગર નગરજનો માટે ફરવા જવાનું પીકનીક પોઇન્ટ છે. આ પીકનીક પોઇન્ટર પર અવાર-નવાર રોડ રોમિયો દ્વારા નિર્દોષ સ્ત્રીઓ, યુવતિઓને પજવણી કરતી હોવાની રાવ ઉટી છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. જે અનુસાર તા.11/5/20215ના રોજ જામનગર બી.એસ.સી.માં અભ્યાસ કરતી યુવતિનું સગપણ થતાં મંગેતર સાથે રણજીતસાગર પર ફરવા ગઇ હતી. બન્ને જણા રણજીતસાગર ડેમ પર બેઠા હતાં ત્યારે સાંજના ચાર વાગ્યે કારમાં બે રોમિયો આવી અને આ બન્ને 25 થી 30 વર્ષની ઉંમરના હતાં. તેઓએ પોતે પોલીસ હોવાનું જણાવી આ યુવતિ અને તેના મંગેતરને અહીં શું કરવા આવેલા છો? તેમ કહી પૂછપરછ કરવા લાગ્યા હતાં અને બન...