Skip to main content

જામનગર જિલ્લામાં આજથી નવું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

આવશ્યક ચીજ વસ્તુઓ મેડીકલ- દૂધ-શાકભાજી અને અનાજ કરિયાણા સિવાય ના તમામ વેપાર-ધંધા બંધ



 જામનગર તા ૮ જામનગર શહેર અને જિલ્લામાં એક જ દિવસમાં એકીસાથે ૧૪ જેટલા પોઝિટિવ કેસ આવવાથી અને એક દર્દીનું મૃત્યુ નીપજ્યાનાં અહેવાલ પછી જામનગરના જિલ્લા કલેકટર દ્વારા નવું જાહેર
નામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. અને સમગ્ર જિલ્લામાં મેડીકલ સ્ટોર, ફાર્મસી, અને વેટરનરી હોસ્પિટલ ઉપરાંત દૂધની ડેરી ઉપરાંત અનાજ કરીયાણા, શાકભાજી સિવાયની તમામ અન્ય તમામ દુકાનો અને વેપાર-ધંધા બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે. અને આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ માટે પણ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.
 જામનગર જિલ્લા કલેકટર દ્વારા આજે નવા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા મા તા. ૯.૫.૨૦૨૦  થી ૧૭.૫. ૨૦૨૦ સુધીમાં જામનગર શહેરમાં મેડિકલ સ્ટોર, ફાર્મસી, આયુ સ્ટોર, આરોગ્ય વિષયક સેવાઓ, વેટરનરી હોસ્પિટલ અને તેના અનૂસંગિક સ્ટોર વગેરે ૨૪ કલાક ખુલ્લા રાખી શકાશે.
 આ ઉપરાંત દૂધની ડેરીઓ તથા દૂધનું વિતરણ કરતા વિક્રેતાઓ, ફેરિયાઓ વગેરે સવારે છ વાગ્યાથી નવ વાગ્યા સુધી ત્રણ કલાક અને સાંજે સાત વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધી દૂધનું વેચાણ કરી શકશે.
 આ ઉપરાંત શાકભાજી ફળફળાદી ની લારીઓ દુકાનો તેમજ અનાજ કરીયાણાની દુકાનો વગેરે માટે નો સમય સવારે છ વાગ્યાથી નવ વાગ્યા સુધી અને સાંજે સાત વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધીનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.
 તે ઉપરાંત અનાજ કરિયાણાના હોલસેલ વેપારીઓ તેમજ છૂટક વિક્રેતાઓ ગ્રેઇન માર્કેટ સહિતનો વિસ્તાર વગેરેના વેચાણ માટેનો સમય બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધી માત્ર બે કલાકનો જ સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.
 જિલ્લા કલેકટર દ્વારા આજે નવું જાહેરનામું પ્રસિદ્ધ કરીને માત્ર ઉપરોક્ત દર્શાવેલી આવશ્યક ચીજવસ્તુઓ તેના નિર્ધારિત કરેલા સમય દરમિયાન વેચાણ કરી શકાશે. બાકીની અન્ય તમામ દુકાનો અને વેપાર-ધંધા બંધ રાખવાનો હુકમ કરાયો છે. પરંતુ જામનગર શહેર અને આસપાસના વિસ્તારના કેટલાક ઔદ્યોગિક એકમો કેજે કન્ટેઇન્ટમેન્ટ એરિયાની બહાર આવે છે તેવા ઉદ્યોગોને વહીવટી તંત્ર દ્વારા જરૂરી મંજૂરી આપવામાં આવી છે તે ઉદ્યોગો ચાલુ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે. જોકે જીઆઇડીસી
-૧ અને હાપા ઈન્ડસ્ટ્રીઝ  એરિયા ને બંધ રાખવાનો હુકમ કરાયો છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.