Skip to main content

જામનગર જિલ્લામાં આજથી નવું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

આવશ્યક ચીજ વસ્તુઓ મેડીકલ- દૂધ-શાકભાજી અને અનાજ કરિયાણા સિવાય ના તમામ વેપાર-ધંધા બંધ



 જામનગર તા ૮ જામનગર શહેર અને જિલ્લામાં એક જ દિવસમાં એકીસાથે ૧૪ જેટલા પોઝિટિવ કેસ આવવાથી અને એક દર્દીનું મૃત્યુ નીપજ્યાનાં અહેવાલ પછી જામનગરના જિલ્લા કલેકટર દ્વારા નવું જાહેર
નામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. અને સમગ્ર જિલ્લામાં મેડીકલ સ્ટોર, ફાર્મસી, અને વેટરનરી હોસ્પિટલ ઉપરાંત દૂધની ડેરી ઉપરાંત અનાજ કરીયાણા, શાકભાજી સિવાયની તમામ અન્ય તમામ દુકાનો અને વેપાર-ધંધા બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે. અને આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ માટે પણ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.
 જામનગર જિલ્લા કલેકટર દ્વારા આજે નવા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા મા તા. ૯.૫.૨૦૨૦  થી ૧૭.૫. ૨૦૨૦ સુધીમાં જામનગર શહેરમાં મેડિકલ સ્ટોર, ફાર્મસી, આયુ સ્ટોર, આરોગ્ય વિષયક સેવાઓ, વેટરનરી હોસ્પિટલ અને તેના અનૂસંગિક સ્ટોર વગેરે ૨૪ કલાક ખુલ્લા રાખી શકાશે.
 આ ઉપરાંત દૂધની ડેરીઓ તથા દૂધનું વિતરણ કરતા વિક્રેતાઓ, ફેરિયાઓ વગેરે સવારે છ વાગ્યાથી નવ વાગ્યા સુધી ત્રણ કલાક અને સાંજે સાત વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધી દૂધનું વેચાણ કરી શકશે.
 આ ઉપરાંત શાકભાજી ફળફળાદી ની લારીઓ દુકાનો તેમજ અનાજ કરીયાણાની દુકાનો વગેરે માટે નો સમય સવારે છ વાગ્યાથી નવ વાગ્યા સુધી અને સાંજે સાત વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધીનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.
 તે ઉપરાંત અનાજ કરિયાણાના હોલસેલ વેપારીઓ તેમજ છૂટક વિક્રેતાઓ ગ્રેઇન માર્કેટ સહિતનો વિસ્તાર વગેરેના વેચાણ માટેનો સમય બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધી માત્ર બે કલાકનો જ સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.
 જિલ્લા કલેકટર દ્વારા આજે નવું જાહેરનામું પ્રસિદ્ધ કરીને માત્ર ઉપરોક્ત દર્શાવેલી આવશ્યક ચીજવસ્તુઓ તેના નિર્ધારિત કરેલા સમય દરમિયાન વેચાણ કરી શકાશે. બાકીની અન્ય તમામ દુકાનો અને વેપાર-ધંધા બંધ રાખવાનો હુકમ કરાયો છે. પરંતુ જામનગર શહેર અને આસપાસના વિસ્તારના કેટલાક ઔદ્યોગિક એકમો કેજે કન્ટેઇન્ટમેન્ટ એરિયાની બહાર આવે છે તેવા ઉદ્યોગોને વહીવટી તંત્ર દ્વારા જરૂરી મંજૂરી આપવામાં આવી છે તે ઉદ્યોગો ચાલુ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે. જોકે જીઆઇડીસી
-૧ અને હાપા ઈન્ડસ્ટ્રીઝ  એરિયા ને બંધ રાખવાનો હુકમ કરાયો છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

રણજીતસાગર ડેમ ઉપર પોલીસના નામે સહેલાણીઓની પજવણી કરતા બે શખ્સોને પાંચ વર્ષની સજા

બે રોડછાપ રોમિયોએ નકલી પોલીસ બની યુવતિના ફોટા પાડી બિભત્સ માંગણી કરેલી: યુવતિ તાબે ન થતાં ફોટા સોશ્યલ મીડિયામાં કર્યા હતાં વાયરલ: જાતિય હુમલાનો ભોગ બનેલ યુવતિને 50 હજારની રકમ વળતર પેટે ચુકવવા જામનગરની અદાલતનો હુકમ જામનગર તા.30 જામનગરના રણજીતસાગર ડેમ પર હરવા-ફરવા આવતા સહેલાણીઓની પજવણી કરતા બે રોડછાપ રોમિયોને જામનગરની અદાલતે પાંચ વર્ષની જેલની સજા અને 50 હજારનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની હકીકત મુજબ રણજીતસાગર નગરજનો માટે ફરવા જવાનું પીકનીક પોઇન્ટ છે. આ પીકનીક પોઇન્ટર પર અવાર-નવાર રોડ રોમિયો દ્વારા નિર્દોષ સ્ત્રીઓ, યુવતિઓને પજવણી કરતી હોવાની રાવ ઉટી છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. જે અનુસાર તા.11/5/20215ના રોજ જામનગર બી.એસ.સી.માં અભ્યાસ કરતી યુવતિનું સગપણ થતાં મંગેતર સાથે રણજીતસાગર પર ફરવા ગઇ હતી. બન્ને જણા રણજીતસાગર ડેમ પર બેઠા હતાં ત્યારે સાંજના ચાર વાગ્યે કારમાં બે રોમિયો આવી અને આ બન્ને 25 થી 30 વર્ષની ઉંમરના હતાં. તેઓએ પોતે પોલીસ હોવાનું જણાવી આ યુવતિ અને તેના મંગેતરને અહીં શું કરવા આવેલા છો? તેમ કહી પૂછપરછ કરવા લાગ્યા હતાં અને બન...