Skip to main content

જામનગર જિલ્લામાં આજથી નવું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

આવશ્યક ચીજ વસ્તુઓ મેડીકલ- દૂધ-શાકભાજી અને અનાજ કરિયાણા સિવાય ના તમામ વેપાર-ધંધા બંધ



 જામનગર તા ૮ જામનગર શહેર અને જિલ્લામાં એક જ દિવસમાં એકીસાથે ૧૪ જેટલા પોઝિટિવ કેસ આવવાથી અને એક દર્દીનું મૃત્યુ નીપજ્યાનાં અહેવાલ પછી જામનગરના જિલ્લા કલેકટર દ્વારા નવું જાહેર
નામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. અને સમગ્ર જિલ્લામાં મેડીકલ સ્ટોર, ફાર્મસી, અને વેટરનરી હોસ્પિટલ ઉપરાંત દૂધની ડેરી ઉપરાંત અનાજ કરીયાણા, શાકભાજી સિવાયની તમામ અન્ય તમામ દુકાનો અને વેપાર-ધંધા બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે. અને આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ માટે પણ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.
 જામનગર જિલ્લા કલેકટર દ્વારા આજે નવા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા મા તા. ૯.૫.૨૦૨૦  થી ૧૭.૫. ૨૦૨૦ સુધીમાં જામનગર શહેરમાં મેડિકલ સ્ટોર, ફાર્મસી, આયુ સ્ટોર, આરોગ્ય વિષયક સેવાઓ, વેટરનરી હોસ્પિટલ અને તેના અનૂસંગિક સ્ટોર વગેરે ૨૪ કલાક ખુલ્લા રાખી શકાશે.
 આ ઉપરાંત દૂધની ડેરીઓ તથા દૂધનું વિતરણ કરતા વિક્રેતાઓ, ફેરિયાઓ વગેરે સવારે છ વાગ્યાથી નવ વાગ્યા સુધી ત્રણ કલાક અને સાંજે સાત વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધી દૂધનું વેચાણ કરી શકશે.
 આ ઉપરાંત શાકભાજી ફળફળાદી ની લારીઓ દુકાનો તેમજ અનાજ કરીયાણાની દુકાનો વગેરે માટે નો સમય સવારે છ વાગ્યાથી નવ વાગ્યા સુધી અને સાંજે સાત વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધીનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.
 તે ઉપરાંત અનાજ કરિયાણાના હોલસેલ વેપારીઓ તેમજ છૂટક વિક્રેતાઓ ગ્રેઇન માર્કેટ સહિતનો વિસ્તાર વગેરેના વેચાણ માટેનો સમય બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધી માત્ર બે કલાકનો જ સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.
 જિલ્લા કલેકટર દ્વારા આજે નવું જાહેરનામું પ્રસિદ્ધ કરીને માત્ર ઉપરોક્ત દર્શાવેલી આવશ્યક ચીજવસ્તુઓ તેના નિર્ધારિત કરેલા સમય દરમિયાન વેચાણ કરી શકાશે. બાકીની અન્ય તમામ દુકાનો અને વેપાર-ધંધા બંધ રાખવાનો હુકમ કરાયો છે. પરંતુ જામનગર શહેર અને આસપાસના વિસ્તારના કેટલાક ઔદ્યોગિક એકમો કેજે કન્ટેઇન્ટમેન્ટ એરિયાની બહાર આવે છે તેવા ઉદ્યોગોને વહીવટી તંત્ર દ્વારા જરૂરી મંજૂરી આપવામાં આવી છે તે ઉદ્યોગો ચાલુ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે. જોકે જીઆઇડીસી
-૧ અને હાપા ઈન્ડસ્ટ્રીઝ  એરિયા ને બંધ રાખવાનો હુકમ કરાયો છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની વિક્રમજનક 30000 મણ આવક

માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા  નવી  જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી. આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર  હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.