Skip to main content

હાપા માર્કેટીંગ યાર્ડ આવતી કાલથી ખેડુતો માટે ફરી ધમધમતું બનશે

કપાસ, તલ, મગ, તુવેર, અળદ, મઠ,મેથી, બાજરો સહિતની આવક શરૂ

જામનગર તા.25 :
જામનગર ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ હાપા ખાતે શનિવારના રોજ ચણા, ઘઉં, ધાણા, મગની હરરાજીમાં ખેડુતો આવ્યા હતાં. માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલે જણાવ્યું હતું કે, યાર્ડ ખાતે ધાણાની હરરાજી માટે 100 ખેડુતોને જેમાંથી 96 ખેડુતો પોતાના ધાણાના વેંચાણ માટે આવ્યા હતાં. યાર્ડ ખાતે ધાણાની આવક 2196 ગુણીની નોંધાઇ હતી. ધાણાનો ભાવ મણનો રૂા. 750 થી 1320 રહ્યો હતો.
સોશ્યલ ડિસ્ટન્સ અને સરકારની લોકડાઉનની ગાઇડ-લાઇનના અમલ વચ્ચે જામનગર માર્કેટીંગ યાર્ડ ધમધમી રહ્યું છે. એટલું જ નહીં ખેડુતોને પણ પોતાની જણસીનું વ્યાજબી ભાવ સંતોષકારક રીતે મળી રહ્યો છે. તેવા સમયે ખેડુતોનો માલ ખરીદવા માટે વેપારીઓ અને કમિશ્ન એજન્ટો પણ ખરીદી કરવા હરરાજીમાં આવી પહોંચે છે. યાર્ડ ખાતે દૈનિક 315 જેટલા ખેડુતો હરરાજીમાં પોતાનો ખેત માલ લઇને આવી પહોંચે છે.
યાર્ડ ખાતે ઘઉંની હરરાજી માટે 175 ખેડુતોને બોલાવવામાં આવે જેમાંથી 110 જેટલા ખેડુતો ઘઉં લઇને આવ્યા હતાં. યાર્ડ ખાતે ઘઉંની આવક 15640 મણ નોંધાઇ હતી. ઘઉંના મણનો ભાવ રૂા. 335 થી 365 વચ્ચે રહ્યો હતો.
યાર્ડ ખાતે મગની હરરાજી માટે 80 ખેડુતોને બોલાવવામાં આવેલ જેમાંથી માત્ર 40 ખેડુતો એટલે કે 50 ટકા ખેડુતો આવ્યા હતાં. યાર્ડમાં 540 મણ એટલે કે 442 ગુણી મગની આવક નોંધાઇ હતી. જયારે મગનો ભાવ મણનો રૂા. 1160 થી 1340 વચ્ચે રહ્યો હતો.
યાર્ડ ખાતે ચણાની હરરાજી માટે 100 ખેડુતોને જાણ કરવામાં આવેલ જેમાંથી માત્ર 69 ખેડુતો જ આવ્યા હતાં. ત્યારે ચણાની આવક 1996 ગુણીની નોંધાઇ હતી. જયારે ચણાનો ભાવ રૂા.772 થી 818 રહ્યો હતો.
જામનગર ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ હાપા ખાતે સોમવારની ઇદની જાહેર રજા હોવાથી યાર્ડ બંધ રહ્યું હતું. મંગળવારના રોજ અજમા, ધાણા, લસણ, ઘઉં, કપાસ સહિતની આવક થનાર છે. યાર્ડ ખાતે સવારે 6-30 થી 10 વાગ્યા દરમ્યાન કપાસની આવક થશે. જયારે તલ, મગ, અળદ, બાજરો, તુવેર, મઠ, મેથી, ચોરી, મરચા, મગફળીની હરરાજી માટે આવકનો સમય રાત્રે 8 થી 12 વાગ્યા સુધી રહેશે. આમ જામનગર માર્કેટીંગ યાર્ડમાં હવે ખેડુતોને પોતાના ખેત ઉત્પાદન વેંચવા માટે ઓપન આવકની પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાતથી ખેડુતમાં આનંદની લાગણી ફેલાઇ છે. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની વિક્રમજનક 30000 મણ આવક

માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા  નવી  જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી. આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર  હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.