Skip to main content

જામનગરમાં સાંજ ઢળતા જ શહેરમાં છવાતો સન્નાટો




જામનગરમાં કોરોના વાયરસના કેસોનું પ્રમાણ વધતા જાહેરનામાનું ચુસ્તપણે અમલ થાય તે માટે જરૂરી  પગલા લેવામાં આવ્યા છે તેમજ જીવનજરૂરીયાતની ચીજ વસ્તુ સિવાયની દુકાન, ઓફીસ વગેરે બંધ કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં દુધની દુકાન, ફેરિયાઓ સવારે 7 થી 1  અને સાંજે 5 થી 7 વાગ્યા દરમ્યાન  જયારે કરિયાણાની દુકાન માત્ર સવારના 7 થી 10 વાગ્યા દરમ્યાન જ ખુલ્લી રાખવાના આદેશ કરવામાં આવ્યા છે. જેને લઈને શહેરમાં દિવસ દરમ્યાન જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લેવા માટે શહેરમાં લોકોની ચલપહલ જોવા મળે છે જયારે સાંજ થતા જ શહેરભરમાં સન્નાટો છવાઈ જાય છે. કામ વગર નીકળતા લોકો સામે પોલીસ પણ લાલ આંખ કરતી હોય જામનગરના રસ્તાઓ ઉપર સન્નાટો છવાઈ જાય છે. જ્યારે શહેરની બજારો પણ બંધ રહેતી હોય શહેરની બજારો સુમસામ ભાસે છે. શહેરમાં બપોર સુધી માર્ગો ઉપર લોકોની અવરજવર જોવા મળે છે. જ્યારે સાંજ થતા જ ફરી શહેરના માર્ગો સહીત શેરી ગલીઓ પણ સુમસામ બની જાય છે. કોરોના વાયરસના આક્રમણ પહેલા શહેર ધમધમતું હતું, બજારો પણ મોડી રાત સુધી ખુલ્લી રહેતી હતી. લોકો પણ પોતાના પરિવાર સાથે હરવા- ફરવા નીકળતા હતા. બગીચાઓમાં બાળકોનો કલબલાટ જોવા મળતો હતો તે બગાચાઓ પણ આજે સુમસામ ભાસી રહ્યા છે. કોરોના વાયરસે જાણે કે સમગ્ર શહેરને કાબુમાં લીધું હોય તેમ તેના ભયના કારણે અને કોરોના વાયરસનું સંક્રમણ અટકે તે માટે લોક ડાઉન કડક કરવામાં આવ્યું છે. પહેલા જયારે લોકો સાંજે પોતાના પરિવાર સાથે ફરવા નીકળતા હતા જયારે આજે લોક ડાઉનને કારણે લોકો ઘરમાં જ પુરાઈ રહે છે અને શહેરમાં છવાઈ જાય છે સન્નાટો. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...