Skip to main content

જામનગરના 1.97 લાખ પરમીટ ધારકોને નિ:શુલ્ક અનાજ અપાશે

મે માસ માટેના જથ્થાનું આજથી વિતરણ શરૂ: જિલ્લા પુરવઠા અધિકારીની અપીલ:  લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે, સાધનસંપન્ન પરિવારો જરૂરિયાતમંદોની તરફેણમાં પોતાનો જથ્થો જતો કરી ફરી સમાજ સેવકની ભૂમિકા નિભાવે



જામનગર તા.7
કોવિડ-19નોવેલ કોરોના વાયરસના કારણે હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા તા. 13 એપ્રિલ થી નોન એન.એફ.એસ.એ. એ.પી.એલ-1 કાર્ડધારકોને વિનામૂલ્યે 10કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ, 1 કીલો ચણા કે ચણાની દાળનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તેના બીજા તબક્કા રૂપે મે માસ માટે પણ આવતીકાલથી જામનગર જિલ્લાના કુલ 1,97,674એ.પી.એલ.-1નોન એન.એફ.એસ.એકાર્ડધારકો છે,કે જે પૈકી જામનગર શહેરમાં જ 84,699એ.પી.એલ-1 રેશનકાર્ડધારકો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 1,12,975 કાર્ડધારકો છે તેમને આગામી દિવસોમાં અન્નનો પુરો જથ્થો મળી રહે તે માટે સસ્તા અનાજની દુકાન પર અનાજનું વિતરણ કરવામાં આવશે. કાર્ડધારકોએ દુકાન પર પોતાનો જથ્થો મેળવવા જતાં સમયે રેશનકાર્ડ સાથે આધાર કાર્ડ રાખવું ફરજીયાત છે, તેમજ કાર્ડધારકો પોતે પોતાનો જથ્થો લઈ શકશે, અન્ય વ્યક્તિનો જથ્થો તેમને આપવામાં આવશે નહીં.
જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં આવતીકાલથી સવારે 8:00 થી રાત્રિના 8:00 સુધી વિતરણ કરવામાં આવશે, જેનું 11 મેસુધીમાં વિતરણ પૂર્ણ થશે. જ્યારે જામનગર શહેરમાં આવતીકાલથી વિતરણ શરૂ થશે પરંતુ કોઇ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે શહેર વિસ્તારમાં બપોરે2:00 થી રાત્રીના 10:00 કલાક સુધી અન્ન વિતરણ કરવામાં આવશે, જે 11તારીખ સુધીમાં પૂર્ણ થશે.11તારીખ સુધીમાં કાર્ડધારકોએ પોતાનો જથ્થો મેળવી લેવાનો રહેશે.
જામનગર જિલ્લાના નોન એન.એફ.એસ.એએ.પી.એલ-1 કાર્ડધારકોને જામનગરના પુરવઠા અધિકારીશ્રી કેયુર જેઠવાએ અપીલ કરતાં કહ્યું હતું કે, લોકો દુકાન પર પોતાનો જથ્થો મેળવવા જાય ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં વહીવટી તંત્રને સહકાર આપે અને સલામત અંતર જાળવીને દુકાનો પર ખોટી ભીડ ન કરીને પોતાનો જથ્થો મેળવે. 
પુરવઠા અધિકારીશ્રી જેઠવાએ જામનગરના એપીએલ-1 કાર્ડધારકોને અનુરોધ કરતાં કહ્યું હતું કે, જે નોન એન.એફ.એસ.એએ.પી.એલ.-1 કાર્ડધારકો પોતાની પાસે અનાજનો પર્યાપ્ત જથ્થો ઘરે ધરાવતા હોય તેઓએ અગાઉ જામનગર શહેર પ્રત્યે પોતાની નૈતિક જવાબદારી સમજીને અન્ય જરૂરિયાતમંદોની તરફેણમાં પોતાનો જથ્થો જતો કરેલ હતો. સાધનસંપન્ન પરિવારો જરૂરિયાતમંદોની તરફેણમાં પોતાનો જથ્થો જતો કરી ફરી સમાજ સેવકની ભૂમિકા નિભાવે. અગાઉ જથ્થો જતો કરવા આગળ આવેલા સમાજ સેવકોની જેમ જ આ સમયે પણ પોતાનો જથ્થો જતો કરનાર સમાજ શ્રેષ્ઠીઓને તંત્ર દ્વારા પ્રમાણપત્ર એનાયત કરી નવાજવામાં આવશે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની વિક્રમજનક 30000 મણ આવક

માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા  નવી  જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી. આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર  હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.