Skip to main content

કાલાવડના પુર્વ ધારાસભ્યની પુત્રીએ આપઘાત કર્યો

એન્જીનીયરીંગના ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવાનું મોડું થતાં આપઘાત કર્યાનું પોલીસમાં જાહેર: 
જામનગર તા.30 :
કાલાવડ વિધાનસભા બેઠકના ભાજપના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાની પુત્રીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. એન્જીનીયરીંગના ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવાનું નકકી થયા બાદ સતત મોડું થતાં ચિંતાગ્રસ્ત બનેલી યુવતિએ અંતિમ પગલું ભરી લેતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
જામનગર જિલ્લા તેમજ રાજકીય વર્તુળમાં શોક જન્માવનાર બનાવની વિગત મુજબ કાલાવડ વિધાનસભાની બેઠકમાં પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાની 24 વર્ષીય પુત્રી રીધ્ધિબેને પોતાના ધ્રોલ ખાતે ફુલવાડી રોડ પર આવેલા નિવાસ સ્થાને ગઇકાલે સાંજે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ભાજપના પુર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા અને તેનો પરિવાર બહારગામ ગયા બાદ તેણીએ આ પગલું ભરી લીધાની વિગતો સામે આવી છે. સાંજે પરત ફરેલા પરિવારને આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇએ ધ્રોલ પોલીસમાં નોંધાવેલા નિવેદન મુજબ બી.ઇ.એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યા બાદ પુત્રી રીધ્ધિને ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવું હતું. જેના માટે એડમીશન સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હતી. કેનેડાની યુનિવર્સિટીમાં એડમીશન લઇ ફી પણ ભરી દેવામાં આવી હતી પરંતુ હાલની સ્થિતિમાં કેનેડા જવાનું સતત મોડું થઇ રહ્યું હોવાથી રિધ્ધિ સતત ચિંતામાં પડી ગઇ હતી. આ જ કારણે તેણીએ આપઘાત કરી લીધો હતો. આ બનાવના પગલે મેઘજીભાઇના પરિવાર સહિત ભાજપ અને રાજકીય વર્તુળમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.