Skip to main content

જામનગરમાં કોરોનાએ ફરી માથું ઉંચકયું

શહેરમાં ગઇકાલે નવા 6 અને ગ્રામ્ય વિસ્તારમાં 1 કેસ: જિલ્લામાં બે સપ્તાહ બાદ કોરોનાનો કેસ નોંધાયો

જામનગર તા.15:

જામનગર શહેરમાં કોરોના ના મામલેની શાંતિ માત્ર ચોવીસ કલાક પૂરતી જ જળવાયેલી રહી છે, ત્યારે  ફરીથી શહેરી વિસ્તારના એકીસાથે છ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં તંત્રની ચિંતા વધી છે, અને ફરીથી આરોગ્ય તંત્ર દોડતું થયું છે. શહેર ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના ફેલાયો છે, અને ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલે પોઝિટિવ કેસ નોંધાયો છે. જેથી હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના ની એન્ટ્રી થઈ રહી છે.

 જામનગર શહેરમાં ગત સપ્તાહ દરમિયાન કોરોનાએ કહેર મચાવ્યો હતો, અને 50થી વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવી ગયા પછી ઉઘડતા અઠવાડિયે એટલે કે ગઈકાલે સોમવારે એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો ન હતો, જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જે શાંતિ માત્ર ચોવીસ કલાક પૂરતી જ રહી હતી, અને જામનગર શહેરના આજે મંગળવારે એકીસાથે વધુ છ પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર ચિંતામા મુકાયું છે, અને ફરીથી આરોગ્ય વિષયક પગલાં ભરવાનું ચાલુ રાખ્યું છે.

 ઉપરાંત નવા આવેલા છ કોરોના પોઝિટિવ કેસ મામલે તેઓના સંપર્કમાં આવનારા લોકોની પણ માહિતી એકત્ર કરીને આરોગ્ય વિષયક પગલાં ભરવામાં આવી રહ્યા છે. અને કોરોનાનો સંક્રમણ વધુ ન ફેલાય તે માટે હોમ આઇશોલેશન સહિતના પગલાં ભરવામાં આવી રહ્યા છે.

 જામનગર શહેર પછી હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના એ ફરીથી એન્ટ્રી કરી લીધી છે. એકાદ પખવાડિયાના વિરામ પછી જામનગર ગ્રામ્ય વિસ્તારમાં આજે કોરોના પોઝિટિવ કેસ ની એન્ટ્રી થઈ ગઈ છે. જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં આજે એક પોઝિટિવ કેસ નોંધાયો જેથી જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગની ટૂકડી સતર્ક બની છે, અને કોવિડ ના સેમ્પલો લેવાનું શરૂ કર્યું છે.

 જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ ના ટ્રાયલ વિભાગમાં ચાર દર્દીઓ કોરોના ના ટ્રાયલ વોર્ડમાં સારવાર મેળવી રહ્યા છે. જયારે ઓમીક્રોન વેરિએન્ટ ત્રણ દર્દીઓ ડેન્ટલ હોસ્પિટલ ના બિલ્ડિંગમાં સારવાર મેળવી રહ્યા છે. જે ત્રણેય દર્દીઓના રી-સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેઓનો રિપોર્ટ આવી ગયા પછી આગળની કાર્યવાહી હાથ ધરાશે.

 આ ઉપરાંત જામનગરની જી.જી. હોસ્પિટલ ના ઇ.એન્ડ.ટી. વિભાગમાં મ્યુકોર્માઇકોસિસ ના એક દર્દીએ આજે જી.જી. હોસ્પિટલમાંથી રજા મેળવી છે, અને હાલ ઇ.એન્ડ.ટી. વિભાગમાં મ્યુકર ના ત્રણ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જે ત્રણેય ની સર્જરી થઈ ચૂકી છે, અને હાલ ઇન્જેક્શન મારફતે સારવાર મેળવી રહ્યા છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.