Skip to main content

આયુર્વેદ યુનિર્વર્સીટીના વહીવટી ભવનને એબીવીપી દ્વારા તાળા બંધી

સુરત ખાતે એબીવીપીના કાર્યકર્તાઓ પર પોલીસે ગુજારેલ સીતમનો પડઘો જામનગરમાં: વિદ્યાર્થી સંગઠ્ઠન દ્વારા પોલીસ વિરોધી સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો


જામનગર તા.13: સુરત ખાતે પોલીસ દ્વારા અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદના કાર્યકર્તાઓ પર ગુજારવામાં આવેલા અમાનુસી સીતમને લઇને રાજયભરમાં વિદ્યાર્થી સંગઠ્ઠને આકરા પાણીએ વિરોધ દર્શાવવો શરૂ કર્યો છે. ગઇકાલે કલેકટરને આવેદન આપ્યા બાદ આજે જામનગર સંગઠ્ઠન દ્વારા આયુર્વેદ યુનિવર્સીટીના વહીવટી વિભાગને તાળા બંધી કરી વિરોધ દર્શાવ્યો છે. 

તાજેતરમાં સુરત ખાતે ગરબીના કાર્યક્રમ દરમ્યાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદના કાર્યકર્તાઓ પર પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા શખ્ત રીતે માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થી સંગઠ્ઠન દ્વારા રાજયભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવતા સરકાર પણ હરકતમાં આવી છે. ગઇકાલે જામનગર એબીવીપી દ્વારા આ બાનવને લઇને જવાબદાર પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી સામે કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.  આજે પણ રાજયભરની યુનીર્વર્સીટીઓમાં તાળાબંધી સહિતના કાર્યક્રમો આપવાની વિદ્યાર્થી સંગઠ્ઠન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જેના પગલે જામનગર સંગઠ્ઠન દ્વારા આજે બપોરે આયુર્વેદ યુનિવર્સીટી ખાતે પહોંચી વહીવટી વિભાગના મુખ્ય દરવાજાને તાળાબંધી કરી વિરોધ દર્શાવ્યો હતો. પોલીસની ઉપસ્થિતિમાં વિદ્યાર્થી સંગઠ્ઠન દ્વારા સુરતની ઘટનાને વખોડી કાઢી સુત્રોચાર કરવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં  એબીવીપીના જામનગર વિભાગના સંયોજક કુશલ બોસમીયા, એબીવીપી ગુજરાત આયુર્વેદીક યુનિર્વર્સીટીના અધ્યક્ષ આશિષ પાટીદાર, યુનિર્વર્સીટીના નગર સહમંત્રી જયદેવસિંહ જેઠવા અને નગરસહમંત્રી રૂત્વીક પટેલ સહિતનાઓ જોડાયા હતા. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...