Skip to main content

આયુર્વેદ યુનિર્વર્સીટીના વહીવટી ભવનને એબીવીપી દ્વારા તાળા બંધી

સુરત ખાતે એબીવીપીના કાર્યકર્તાઓ પર પોલીસે ગુજારેલ સીતમનો પડઘો જામનગરમાં: વિદ્યાર્થી સંગઠ્ઠન દ્વારા પોલીસ વિરોધી સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો


જામનગર તા.13: સુરત ખાતે પોલીસ દ્વારા અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદના કાર્યકર્તાઓ પર ગુજારવામાં આવેલા અમાનુસી સીતમને લઇને રાજયભરમાં વિદ્યાર્થી સંગઠ્ઠને આકરા પાણીએ વિરોધ દર્શાવવો શરૂ કર્યો છે. ગઇકાલે કલેકટરને આવેદન આપ્યા બાદ આજે જામનગર સંગઠ્ઠન દ્વારા આયુર્વેદ યુનિવર્સીટીના વહીવટી વિભાગને તાળા બંધી કરી વિરોધ દર્શાવ્યો છે. 

તાજેતરમાં સુરત ખાતે ગરબીના કાર્યક્રમ દરમ્યાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદના કાર્યકર્તાઓ પર પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા શખ્ત રીતે માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થી સંગઠ્ઠન દ્વારા રાજયભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવતા સરકાર પણ હરકતમાં આવી છે. ગઇકાલે જામનગર એબીવીપી દ્વારા આ બાનવને લઇને જવાબદાર પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી સામે કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.  આજે પણ રાજયભરની યુનીર્વર્સીટીઓમાં તાળાબંધી સહિતના કાર્યક્રમો આપવાની વિદ્યાર્થી સંગઠ્ઠન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જેના પગલે જામનગર સંગઠ્ઠન દ્વારા આજે બપોરે આયુર્વેદ યુનિવર્સીટી ખાતે પહોંચી વહીવટી વિભાગના મુખ્ય દરવાજાને તાળાબંધી કરી વિરોધ દર્શાવ્યો હતો. પોલીસની ઉપસ્થિતિમાં વિદ્યાર્થી સંગઠ્ઠન દ્વારા સુરતની ઘટનાને વખોડી કાઢી સુત્રોચાર કરવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં  એબીવીપીના જામનગર વિભાગના સંયોજક કુશલ બોસમીયા, એબીવીપી ગુજરાત આયુર્વેદીક યુનિર્વર્સીટીના અધ્યક્ષ આશિષ પાટીદાર, યુનિર્વર્સીટીના નગર સહમંત્રી જયદેવસિંહ જેઠવા અને નગરસહમંત્રી રૂત્વીક પટેલ સહિતનાઓ જોડાયા હતા. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની વિક્રમજનક 30000 મણ આવક

માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા  નવી  જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી. આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર  હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.