Skip to main content

જામજોધપુરમાં સગર્ભા મહિલાએ પાંચ વર્ષીય પુત્ર સાથે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો

રેલ્વે કર્મચારીની પત્નીના અંતિમ પગલા પાછળ ઘુટાતુ રહસ્ય: પોલીસે હાથ ધરી તપાસ: મૃતક મહિલા ગર્ભવતી હોવાનું સામે આવ્યું: બનાવના પગલે પરિવારમાં શોકનું મોજુ


જામનગર તા.13:

જામજોધપુરમાં સગર્ભાએ પાંચ વર્ષીય પુત્રને સાથે રાખી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. રેલ્વે કર્મચારીની પત્નીના પુત્રને સાથે રાખીને કરવામાં આવેલા આપઘાતને લઇને પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રેલ્વે અને સ્થાનિક પોલીસ દ્વારા આ બનાવ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે બનાવનું કારણ બહાર આવ્યું નથી પરંતુ રેલ્વે દ્વારા મહિલા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આપઘાત કરનાર મહિલાના લગ્ન ગાળો સાડા છ વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે.

જામજોધપુરમાં ગઇકાલે માર્કેટીંગ યાર્ડ પાસેથી પસાર થઇ રહેલ પોરબંદર-રાજકોટ પેશેન્જર ટ્રેન હેઠળ ઝંપલાવી સોનલબેન યોગેશભાઇ ભેડા (ઉ.વ.30) નામની મહિલાએ પોતાના પાંચ વર્ષીય પુત્ર મયંકને સાથે રાખી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મહિલાએ પ્રથમ પોતાના પુત્ર મયંકને ધસમસતી ટ્રેન આગળ ફેકી દીધા બાદ પોતે પણ અંતિમ કુદકો લગાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મંગળવારે બપોરે પોણા ત્રણેક વાગ્યાના આરસામાં રેલ્વે સ્ટેશનની નજીકની કોલોની સામેના વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા મહિલા પોતાના પુત્રને લઇને રેલ્વે ટ્રેક પહોંચ્યા હતા અને ધસમસતી ટ્રેન નીચે ઝંપલાવી અંતિમ પગલુ ભરી લીધુ હતું. મૃતકના પતિ યોગેશ ભેડાએ રેલ્વેમાં ટ્રોલીમેન તરીકે ફરજ બજાવતા હોવાનું  જાણવા મળ્યું છે.

આ બનાવની જાણ થતા જામજોધપુર પોલીસ અને રેલ્વે પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ત્રણ-ચાર કટકામાં ફેરવાયેલા મહિલાના મૃતદેહ અને તેના માસુમ પુત્રના દેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની કરૂણતા એ છે કે, મૃતક સોનલબેન ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે. ગર્ભમાં સંતાનને અવતાર મળે તે પૂર્વે જ તેમનું મૃત્યું થયું છે. આ બનાવની જાણ થતા રેલ્વે કર્મચારી યોગેશભાઇ અને તેનો પરિવાર ઘટના સ્થળે પહોંચ્યો હતો. યોગેશભાઇ અને મૃતક સોનલબેનના સાડા છ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. આ લગ્ન ગાળા દરમ્યાન મયંકરૂપે પુત્રનો જન્મ થયો હતો. યોગેશભાઇના પિતા પણ રેલ્વે કર્મચારી તરીકે ફરજ બજાવી ચુકયા હોવાનું જાણવા મળ્યું છે. જો કે બનાવ પાછળનું કારણ બહાર આવ્યું નથી. પોલીસે આ બનાવ અંગે મૃતક મહિલા સામે ગુન્હો દાખલ કરી વિધિવત તપાસ હાથ ધરી છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

મુંબઇ ઇન્ડિયનની મહિલા ક્રિકેટ ટીમ જામનગર-રિલાયન્સની મહેમાન

જામનગર તા.3: આઈપીએલ 2025 પહેલા હાલ ઠઙક 2025 રમાઇ રહી છે. તે 14 ફેબ્રુઆરીથી શરૂ થયેલ ઠઙક 2025 એક પછી એક ચડિયાતી મેચ સાથે ફાઇનલ તરફ આગળ વધી રહી છે અને 15 માર્ચે ફાઈનલ મુકાબલો ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ક્રિકેટ ટીમ ગઈકાલે જામનગરની મહેમાન બની હતી. જામનગરમાં હાલ કેટલાક સમયથી સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. સમયાંતરે સેલિબ્રિટીઝ જામનગરના મહેમાન બની રહ્યા છે. તેવામાં ગઈકાલે સાંજે મુંબઈ ઈન્ડિયનની મહિલા ક્રિકેટરની ટીમ જામનગર આવી પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ટીમની કેપ્ટન હરમનપ્રિત કોર, કોચ જુલહન ગોસ્વામી, પ્રિયંકા બાલા સહીતના મહિલા ક્રિકેટરો જામનગરમા પધાર્યા હતા.  જામનગર એરપોર્ટ પર ગઈકાલે સાંજના સમયે આગમન થયું હતું. ત્યારબાદ મહિલા ક્રિકેટરો મોટર માર્ગે જામનગર નજીક આવેલ ખાનગી કંપનીની ટાઉનશીપ ખાતે જવાન રવાના થયા હતા. જે જામનગર અને અંબાણી પરિવારની શાહી મહેમાનગતિ માણસે. આ દરમિયાન તેઓ વિશ્વની અજાયબી સમાન વનતારાની મુલાકાત લઈ શકે છે.