Skip to main content

જામજોધપુરમાં સગર્ભા મહિલાએ પાંચ વર્ષીય પુત્ર સાથે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો

રેલ્વે કર્મચારીની પત્નીના અંતિમ પગલા પાછળ ઘુટાતુ રહસ્ય: પોલીસે હાથ ધરી તપાસ: મૃતક મહિલા ગર્ભવતી હોવાનું સામે આવ્યું: બનાવના પગલે પરિવારમાં શોકનું મોજુ


જામનગર તા.13:

જામજોધપુરમાં સગર્ભાએ પાંચ વર્ષીય પુત્રને સાથે રાખી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. રેલ્વે કર્મચારીની પત્નીના પુત્રને સાથે રાખીને કરવામાં આવેલા આપઘાતને લઇને પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રેલ્વે અને સ્થાનિક પોલીસ દ્વારા આ બનાવ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે બનાવનું કારણ બહાર આવ્યું નથી પરંતુ રેલ્વે દ્વારા મહિલા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આપઘાત કરનાર મહિલાના લગ્ન ગાળો સાડા છ વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે.

જામજોધપુરમાં ગઇકાલે માર્કેટીંગ યાર્ડ પાસેથી પસાર થઇ રહેલ પોરબંદર-રાજકોટ પેશેન્જર ટ્રેન હેઠળ ઝંપલાવી સોનલબેન યોગેશભાઇ ભેડા (ઉ.વ.30) નામની મહિલાએ પોતાના પાંચ વર્ષીય પુત્ર મયંકને સાથે રાખી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મહિલાએ પ્રથમ પોતાના પુત્ર મયંકને ધસમસતી ટ્રેન આગળ ફેકી દીધા બાદ પોતે પણ અંતિમ કુદકો લગાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મંગળવારે બપોરે પોણા ત્રણેક વાગ્યાના આરસામાં રેલ્વે સ્ટેશનની નજીકની કોલોની સામેના વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા મહિલા પોતાના પુત્રને લઇને રેલ્વે ટ્રેક પહોંચ્યા હતા અને ધસમસતી ટ્રેન નીચે ઝંપલાવી અંતિમ પગલુ ભરી લીધુ હતું. મૃતકના પતિ યોગેશ ભેડાએ રેલ્વેમાં ટ્રોલીમેન તરીકે ફરજ બજાવતા હોવાનું  જાણવા મળ્યું છે.

આ બનાવની જાણ થતા જામજોધપુર પોલીસ અને રેલ્વે પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ત્રણ-ચાર કટકામાં ફેરવાયેલા મહિલાના મૃતદેહ અને તેના માસુમ પુત્રના દેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની કરૂણતા એ છે કે, મૃતક સોનલબેન ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે. ગર્ભમાં સંતાનને અવતાર મળે તે પૂર્વે જ તેમનું મૃત્યું થયું છે. આ બનાવની જાણ થતા રેલ્વે કર્મચારી યોગેશભાઇ અને તેનો પરિવાર ઘટના સ્થળે પહોંચ્યો હતો. યોગેશભાઇ અને મૃતક સોનલબેનના સાડા છ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. આ લગ્ન ગાળા દરમ્યાન મયંકરૂપે પુત્રનો જન્મ થયો હતો. યોગેશભાઇના પિતા પણ રેલ્વે કર્મચારી તરીકે ફરજ બજાવી ચુકયા હોવાનું જાણવા મળ્યું છે. જો કે બનાવ પાછળનું કારણ બહાર આવ્યું નથી. પોલીસે આ બનાવ અંગે મૃતક મહિલા સામે ગુન્હો દાખલ કરી વિધિવત તપાસ હાથ ધરી છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની વિક્રમજનક 30000 મણ આવક

માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા  નવી  જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી. આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર  હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.