Skip to main content

ન્હોતો તો દુકાળ હતો ને દીધો તો દાટ વાળ્યો

જામનગર પંથકમાં ખેડૂતોના સોના જેવા પાકને પાછોતરા મેઘનો કાટ: ભારે પવન સાથે ત્રાટકેલા તોફાની વરસાદથી હજારો હેકટર જમીનમાં ઉભેલી મોલાતને નુકશાન: પાછોતરા વરસાદે બાજરી, કપાસ, મગફળી સહિતના પાકનો સોથ વાળી દીધો: જામનગર જિલ્લામાં આભ ફાટે ત્યાં થીગડુ કયાં મારવું? જેવી સ્થિતિથી જગતનો તાત મુશ્કેલીમાં


છેલ્લા કેટલાય સમયથી હાલાર પંથકમાં મેઘરાજાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે પાછોતરો વરસાદ ખેડૂતોના સોના જેવા પાક પર ઝેર સમાન સાબિત થતા  ખેડૂતોને મોટી નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. તોફાની પવન સાથે ખાબકેલા વરસાદને પગલે ખેડૂતોના કપાસ, આોગતરૂ વાવેતર કરેલ મગફળી તલ સહિતના પાકનો સોથ વળી ગયો છે.

જામનગર જિલ્લાના અમુક વિસ્તારોમાં ગત તા.12 અને 13ના રોજ ત્રાટકેલા વરસાદથી જાળહોનારત જેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારબાદ બે-ત્રણ દિવસ વરાપ રહ્યા બાદ ફરી જિલ્લાભરમાં અનેક સ્થળોએ છુટા છવાયો વરસાદ નોંધાયો હતો ત્યારથી માંડી આજ સુધી કયાંક ધીમી ધારે તો કયાંક સાંબેલાધાર વરસાદ નોંધાયો હતો. જેથી જામનગર જિલ્લામાં ઠેર-ઠેર પાણી...પાણી...ના દ્રશ્યો સર્જાયા હતા. આ ખાનાખરાબીમાં વ્યાપક નુકશાની ભોગવવાનો વારો ખેડૂતોને આવ્યો છે. ચાલુ સિઝનમાં જામનગર પંથકમાં વાવણી લાયક વરસાદ થયા બાદ અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાયો હતો. જેથી બાજરી, કપાસ, મગફળી સહિતનો પાક મરણ પથારીએ હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારબાદ ભાદરવે ભરપૂર મેઘમહેર થતા મુરઝાતી મોલાતોમાં નવા પ્રાણ પુરાયા હતા. 

આથી હાલારભરના ખેડૂતો હરખાયા હતા. પરંતુ ગત તા.12 અને 13ના રોજ જામનગરમાં જળહોનારત જેવી ભયંકર સ્થિતિ સર્જાતા ખેતીપાક બચાવવાનું તો દૂર રહ્યું લોકો અસ્તિત્વ ટકાવવા પણ ઝઝુમી રહ્યા હતા. અતિવૃષ્ટિીથી નુકસાનીની કળ વળી ન હતી ત્યાં ત્રણ-ચાર દિવસ ફરી વરસાદ શરૂ થયો હતો. જે આજ સુધી અનેક વિસ્તારોમાં થોડા ઘણા વિરામ બાદ અવિરત રહેતા ખેડૂતોને પડયા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે. ભારે પવન અને વરસાદથી બાજરી, કપાસ સહિતનો પાક આડો પડી ગયો હતો. આ ઉપરાંત ખેતરમાં પાણી ભરાયેલા રહેતા અમુક વિસ્તારોમાં તો પાક સડી ગયો હોય તેવી સ્થિતિ જન્મી છે. આથી ખેડૂતોના લહેરાતા પાક ઉપર પાછોતરો વરસાદ ઝેર બનીને વરસતા જગતના તાતને મોઢે આવેલો કોળિયો ઝુંટવાઇ ગયો છે. આગામી 15થી 20 દિવસમાં પાકની લાગણીનો સમય આવી જશે ત્યારે આ પાછોતરા વરસાદથી હજારો હેકટર ખેતી પાકોમાં નુકશાની થઇ છે. જેથી ખેડૂતોમાં નિરાશા જન્મી છે. હાલ જામનગર પંથકમાં આભ ફાટે ત્યા થીગળુ કયા મારવું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

મુંબઇ ઇન્ડિયનની મહિલા ક્રિકેટ ટીમ જામનગર-રિલાયન્સની મહેમાન

જામનગર તા.3: આઈપીએલ 2025 પહેલા હાલ ઠઙક 2025 રમાઇ રહી છે. તે 14 ફેબ્રુઆરીથી શરૂ થયેલ ઠઙક 2025 એક પછી એક ચડિયાતી મેચ સાથે ફાઇનલ તરફ આગળ વધી રહી છે અને 15 માર્ચે ફાઈનલ મુકાબલો ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ક્રિકેટ ટીમ ગઈકાલે જામનગરની મહેમાન બની હતી. જામનગરમાં હાલ કેટલાક સમયથી સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. સમયાંતરે સેલિબ્રિટીઝ જામનગરના મહેમાન બની રહ્યા છે. તેવામાં ગઈકાલે સાંજે મુંબઈ ઈન્ડિયનની મહિલા ક્રિકેટરની ટીમ જામનગર આવી પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ટીમની કેપ્ટન હરમનપ્રિત કોર, કોચ જુલહન ગોસ્વામી, પ્રિયંકા બાલા સહીતના મહિલા ક્રિકેટરો જામનગરમા પધાર્યા હતા.  જામનગર એરપોર્ટ પર ગઈકાલે સાંજના સમયે આગમન થયું હતું. ત્યારબાદ મહિલા ક્રિકેટરો મોટર માર્ગે જામનગર નજીક આવેલ ખાનગી કંપનીની ટાઉનશીપ ખાતે જવાન રવાના થયા હતા. જે જામનગર અને અંબાણી પરિવારની શાહી મહેમાનગતિ માણસે. આ દરમિયાન તેઓ વિશ્વની અજાયબી સમાન વનતારાની મુલાકાત લઈ શકે છે.