Skip to main content

લાલપુરના મુખ્ય સુત્રધાર સહિતના સાત શખ્સો સોની પેઢીને લુંટ તે પૂર્વે પકડાયા

સુરેન્દ્રનગરમાં 15 દિવસથી ધામા નાખી બનાવ્યો હતો લુંટનો પ્લાન: રિમાન્ડની માંગણી સાથે આજે કોર્ટ સમક્ષ રજૂ કરાશે આરોપીઓને: પખવાડીયાથી સુરેન્દ્રનગરમાં ધામા નાખી આરોપીઓએ બનાવ્યો લુંટનો પ્લાન: એરગન, છરીઓ સહિતના હથિયારો સાથે પોલીસે દબોચી લીધા: સાત પૈકી બે આરોપીઓનો ગંભીર ગુન્હાહિત ઇતિહાસ



જામનગર તા.1: જામનગર જિલ્લાના લાલપુરના મુખ્ય સુત્રધાર એવા શખ્સે અન્ય છ શખ્સોની સાથે મળી સુરેન્દ્રનગરની પેઢીને લુંટવાનો પ્રયાસ કરતા સનસનાટી મચી જવા પામી છે. છેલ્લા એક પખવાડીયાથી સુરેન્દ્રનગરમાં ધામા નાખી આરોપીઓએ પેઢી લુંટવાની રેકી પણ કરી હોવાનું સામે આવ્યું છે. બે માસ પૂર્વે પણ આ જ ટોળકીએ લુંટનો પ્રયાસ કર્યો હોવાનું જાહેર થયું છે. સાત પૈકીના બે આરોપીઓ હત્યા અને છેતરપીંડી તેમજ લુંટ સહિતના ગંભીર ગુન્હાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.

સુરેન્દ્રનગરમાં મરાઠી સુભાષ સોનીની પેઢી સોનાના દાગીના બનાવવાનું મોટુ કામ કરે છે. આ બાબતની સોનાનું કામ કરતા વિપુલ ઉર્ફે લાલો ભુપેન્દ્રભાઇ ખીચડને ધ્યાને આવ્યું હતું. મજૂરી કામ કરવાથી પૈસાદાર નહી બનાય એમ લાગતા વિપુલે તેના મિત્ર હરેશ અને અજીતસિંહને સોનાના દાગીના વિશે જાણ કરી હતી. આ ત્રણેય મિત્રોએ અન્ય મિત્રો સાથે મળી પેઢીને લુંટવાનો કારસો રચયો હતો. જેને લઇને સાતેય આરોપી સુરેન્દ્રનગર ભેગા થયા હતા. દરમ્યાન આરોપીઓની હીલચાલ અંગે પોલીસને ભનક આવી હતી. જેને લઇને ગઇકાલે  શહેર પોલીસે રિવરફ્રન્ટ પાસેથી પોલીસે હથિયારો સાથે લુંટની વેતરણમાં રહેલ ઉપરોકત ત્રણ ઉપરાંત જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સાગરદાન મુળુભાઇ પાટી, અભિષેકભાઇ ઇશ્ર્વરદાન સુરૂ, રાજભાઇ મુળુભાઇ મોરી, રજનીકભાઇ બાબુભાઇ કાનાણીનામના શખ્સોને પોલીસે પકડી પાડયા છે. પોલીસે આરોપીઓના કબ્જામાંથી એરગન અને છરી સહિતના ઘાત્તક હથિયારો કબ્જે કર્યા હતા. પ્રાથમિક પુછપરછમાં આ આરોપીઓ શિવાજી નામના પેઢીના માલિક સુભાષ સોનીને લુંટવાની વેતરણમાં હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સાતેય સામે ધાડ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ પૈકી જામનગરના શખ્સે સમગ્ર વારદાતને અંજામ આપવાનો પ્લાન ઘડી કાઢયો હતો અને સાતેય આરોપીઓએ મળીને લુંટ બાદ કઇ રીતે શહેર બહાર નિકળવુ અને કઇ રીતના સંપર્ક કરવો તેની પણ ત્ કરી લીધી હતી. આ પ્લાન અગાઉ પણ આરોપીઓએ બે વખત પેઢીને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમા સફળતા ન મળી હતી. સોનાનો મોટો જથ્થો લુંટી લેવાના તમામ આરોપીઓ છેલ્લા એક પખવાડીયાથી  સુરેન્દ્રનગરની હોટલમાં રહેતા હોવાનું પણ સામે આવ્યું છે. આ 15 દિવસના ગાળા દરમ્યાન આરોપીઓએ રેકી પણ કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. સાત પૈકીના બે આરોપીઓ અગાઉ હત્યા અને લુંટ પ્રકરણમાં જેલવાસ ભોગવી ચુકયા હોવાનું પણ સામે આવ્યું છે.

આ વારદાત ઉપરાંત સૌરાષ્ટ્રભરમાં લુંટ સહિતના ગુન્હાઓમાં આ ટોળકી સંડોવાયેલી છે કે કેમ તેનો તાગ મેળવવા પોલીસે આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ મેળવવા કાર્યવાહી શરૂ કરી છે. આ તમામ શખ્સોને આજે સુરેન્દ્રનગર કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

મુંબઇ ઇન્ડિયનની મહિલા ક્રિકેટ ટીમ જામનગર-રિલાયન્સની મહેમાન

જામનગર તા.3: આઈપીએલ 2025 પહેલા હાલ ઠઙક 2025 રમાઇ રહી છે. તે 14 ફેબ્રુઆરીથી શરૂ થયેલ ઠઙક 2025 એક પછી એક ચડિયાતી મેચ સાથે ફાઇનલ તરફ આગળ વધી રહી છે અને 15 માર્ચે ફાઈનલ મુકાબલો ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ક્રિકેટ ટીમ ગઈકાલે જામનગરની મહેમાન બની હતી. જામનગરમાં હાલ કેટલાક સમયથી સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. સમયાંતરે સેલિબ્રિટીઝ જામનગરના મહેમાન બની રહ્યા છે. તેવામાં ગઈકાલે સાંજે મુંબઈ ઈન્ડિયનની મહિલા ક્રિકેટરની ટીમ જામનગર આવી પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ટીમની કેપ્ટન હરમનપ્રિત કોર, કોચ જુલહન ગોસ્વામી, પ્રિયંકા બાલા સહીતના મહિલા ક્રિકેટરો જામનગરમા પધાર્યા હતા.  જામનગર એરપોર્ટ પર ગઈકાલે સાંજના સમયે આગમન થયું હતું. ત્યારબાદ મહિલા ક્રિકેટરો મોટર માર્ગે જામનગર નજીક આવેલ ખાનગી કંપનીની ટાઉનશીપ ખાતે જવાન રવાના થયા હતા. જે જામનગર અને અંબાણી પરિવારની શાહી મહેમાનગતિ માણસે. આ દરમિયાન તેઓ વિશ્વની અજાયબી સમાન વનતારાની મુલાકાત લઈ શકે છે.