Skip to main content

જામનગર જિલ્લામાં લેન્ડ રી-સર્વે માટે 47 હજાર વાંધા અરજી આવી

વર્ષ 2016 અત્યાર સુધીમાં મળેલી કુલ અરજીઓમાંથી 24 હજાર અરજીનો નેગેટીવ નિકાલ, હજુ હજારો અરજીઓ પેન્ડિંગ: જટિલ પ્રક્રિયા સાથે કામગીરીની ધીમી ગતિ



જામનગર તા.1

જામનગર જિલ્લામાં લેન્ડ રી-સરવે માટે તંત્રને 47 હજારથી વધુ વાંધા અરજીઓ મળી છે. સરકારે 5 વર્ષમાં 4 વખત વાંધા અરજી સ્વીકારવા મુદ્દત વધારી હતી. હવે આ મુદ્દત પુરી થઈ છે. આ 47 હજાર અરજીઓમાંથી 24 હજાર અરજીઓનો નેગેટિવ નિકાલ થયો છે. જોકે હજુ હજારો અરજીઓ પેન્ડિંગ છે.

સરકારે વર્ષ 2011-12માં જામનગર જિલ્લાના ખેતીની તમામ જમીનના સરવે નંબરો બદલવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. આ પ્રોજેકટનું કામ ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટમાં અપાયું હતું. આ આધુનિક રી-સર્વેનો મહાત્વાકાંક્ષી પાયલોટ પ્રોજેક્ટ અમલમાં બાદ તેમાં ભારે ભૂલો હોવાની ફરિયાદો ઉઠી હતી. જે તે સમયે આ નવો સરવે અધિકારીઓએ એસી ઓફિસમાં બેસી બનાવ્યો હોવાના આક્ષેપો થયેલા, ઉપરાંત આ પ્રોજેકટમાં સરવેમાં મોટા પાયે ભૂલો હોવાની વાત સામે આવેલી. બાદમાં આ ક્ષતિઓનો સ્વીકાર થતા સરકારે વર્ષ વાંધા સૂચન માટે અરજીઓ મંગાવી હતી. વર્ષ 2015-16થી વાંધા અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ દરમિયાન સરકારે વાંધા અરજી સ્વીકારવાની મુદ્દત 4 વખત વધારી હતી. હવે આ મુદ્દત પૂર્ણ થઈ છે.

તંત્રનો દાવો છે કે, જેમ-જેમ અરજીઓ આવતી ગઈ તેમ-તેમ તેનો નિકાલ કરવા પ્રયત્નો થયા છે. કુલ મળેલી વાંધા અરજીઓ પૈકી 24 હજાર અરજીઓનો નિકાલ થઈ ગયો છે. જોકે, હજુ હજારો ફરિયાદોનો નિકાલ બાકી છે. રાજ્ય સરકાર દ્વારા અન્ય જિલ્લાઓમાંથી સરવેયરો અને અધિકારીઓ ફાળવીને ખાસ કામગીરીની ઝુંબેશ યોજવામાં આવી હતી. આ પ્રક્રિયા ખૂબ જ જટિલ અને કામ એટલું લાબું હતું કે,  વાંધા અરજી કરવાની મુદત સરકારે ચાર વખત વધારવી પડી હતી. પરંતુ ગઈકાલે સરકારે વધારેલી છેલ્લી મુદત પણ પુર્ણ થઈ હતી. હાલ મળેલી 34,030 અરજીઓમાં માપણીનું કામ પૂર્ણ થયું છે. પરંતુ માત્ર 8,589 અરજીઓનો જ હકારાત્મક નિકાલ થઈ શક્યો છે. 13 હજાર અરજીઓમાં તો હજુ માપણી પણ બાકી છે. જેથી અગામી દિવસોમાં સરકાર ખેડુતોની તકલીફ નિવારવા પુન: મુદત વધારે છે કે, કેમ ? તે જોવાનું રહ્યું. જોકે તંત્રના અધિકારો જણાવી રહ્યા છે કે, હજુ પણ તંત્ર ખેડૂતોને સાંભળશે, તેમની પાસે હજુ પણ રસ્તા ખુલ્લા છે. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

મુંબઇ ઇન્ડિયનની મહિલા ક્રિકેટ ટીમ જામનગર-રિલાયન્સની મહેમાન

જામનગર તા.3: આઈપીએલ 2025 પહેલા હાલ ઠઙક 2025 રમાઇ રહી છે. તે 14 ફેબ્રુઆરીથી શરૂ થયેલ ઠઙક 2025 એક પછી એક ચડિયાતી મેચ સાથે ફાઇનલ તરફ આગળ વધી રહી છે અને 15 માર્ચે ફાઈનલ મુકાબલો ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ક્રિકેટ ટીમ ગઈકાલે જામનગરની મહેમાન બની હતી. જામનગરમાં હાલ કેટલાક સમયથી સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. સમયાંતરે સેલિબ્રિટીઝ જામનગરના મહેમાન બની રહ્યા છે. તેવામાં ગઈકાલે સાંજે મુંબઈ ઈન્ડિયનની મહિલા ક્રિકેટરની ટીમ જામનગર આવી પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ટીમની કેપ્ટન હરમનપ્રિત કોર, કોચ જુલહન ગોસ્વામી, પ્રિયંકા બાલા સહીતના મહિલા ક્રિકેટરો જામનગરમા પધાર્યા હતા.  જામનગર એરપોર્ટ પર ગઈકાલે સાંજના સમયે આગમન થયું હતું. ત્યારબાદ મહિલા ક્રિકેટરો મોટર માર્ગે જામનગર નજીક આવેલ ખાનગી કંપનીની ટાઉનશીપ ખાતે જવાન રવાના થયા હતા. જે જામનગર અને અંબાણી પરિવારની શાહી મહેમાનગતિ માણસે. આ દરમિયાન તેઓ વિશ્વની અજાયબી સમાન વનતારાની મુલાકાત લઈ શકે છે.