Skip to main content

સાતરસ્તાથી સુભાષ બ્રિજ સુધીના નિર્માણાધિન ફ્લાયઓવર સંબંધે મ્યુ. કમિશનરનું જાહેરનામું

ઓગસ્ટ મહિનાથી 18 મહિના સુધી સાતરસ્તાથી ગુરૂદ્વારા ચોકડીનો માર્ગ ભારે વાહન વ્યવહાર માટે રહેશે બંધ 


જામનગર તા 28

જામનગર શહેરમાં સાત રસ્તા સર્કલથી સુભાષ બ્રિજ સુધી ફ્લાય ઓવર નિર્માણાધીન છે. જેના કામકાજને લક્ષયમાં રાખીને જામનગર મહાનગર પાલિકાના કમિશનર દ્વારા વિશેષ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે, અને આગામી 1 ઓગસ્ટ થી 31 જાન્યુઆરી 2023 સુધી 18 મહિનાના સમયગાળા દરમિયાન ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવાયો છે. જેમાં એસ.ટી.બસ- ખાનગી લક્ઝરી બસ સહિતના તમામ ભારે વાહનો ની અવરજવર બંધ રાખવામાં આવી છે.



 જામનગર શહેરમાં સાત રસ્તા સર્કલ થી ગુરુદ્વાર ચોકડી સુધીના માર્ગ પર હાલમાં ફ્લાય ઓવર બ્રિજ નું કામ ચાલી રહ્યું છે જે કામની સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી દ્વારા આજે એક વિશેષ જાહેર નોટીસ પાઠવી તારીખ 2.8.21 થી 31.1.2023 સુધીના દોઢ વર્ષના સમયગાળા દરમિયાન સાત રસ્તા થી ગુરુદ્વારા ચોકડી સુધીના માર્ગ ઉપર ભારે વાહનોની અવર-જવર માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. જેમાં એસટી બસ- ખાનગી ટ્રાવેલ્સ સહિતના ભારે વાહનોની અવર-જવર બંધ રાખવામાં આવે છે. અને ભારે વાહનો સાત રસ્તા સર્કલ થી લાલ બંગલા ગૌરવપથ માર્ગ-ટાઉનહોલ, બેડી ગેટ અને કાશીવિશ્વનાથ રોડ થી સુભાષ બ્રિજ થી રાજકોટ તરફ જઇ શકાશે.

 અને રાજકોટ થી આવતા વાહનો ગૌરવ માર્ગ પર થઈને સાત રસ્તા સર્કલ થઈ એસટી તરફ અથવા તો ઓશવાળ સેન્ટર રોડ અને દિગઝામ સર્કલ સુધી જઈ શકશે. આ ઉપરાંત રાજકોટ થી લાલપુર બાયપાસ ચોકડી તરફ જવા માટે ગૌરવ પથ પર થઈ મિગ કોલોની એસ.ટી. તરફ અને લાલપુર બાયપાસ ચોકડી તરફ અવર-જવર કરી શકાશે. આગામી છ મહિના સુધી એટલેકે 31 જાન્યુઆરી 2023 સુધી તેની અમલવારી રહેશે. બાકીના અન્ય ટુ વ્હીલર સહિતનાં વાહનો અવર-જવર માટે ચાલુ રખાશે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...