Skip to main content

સાતરસ્તાથી સુભાષ બ્રિજ સુધીના નિર્માણાધિન ફ્લાયઓવર સંબંધે મ્યુ. કમિશનરનું જાહેરનામું

ઓગસ્ટ મહિનાથી 18 મહિના સુધી સાતરસ્તાથી ગુરૂદ્વારા ચોકડીનો માર્ગ ભારે વાહન વ્યવહાર માટે રહેશે બંધ 


જામનગર તા 28

જામનગર શહેરમાં સાત રસ્તા સર્કલથી સુભાષ બ્રિજ સુધી ફ્લાય ઓવર નિર્માણાધીન છે. જેના કામકાજને લક્ષયમાં રાખીને જામનગર મહાનગર પાલિકાના કમિશનર દ્વારા વિશેષ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે, અને આગામી 1 ઓગસ્ટ થી 31 જાન્યુઆરી 2023 સુધી 18 મહિનાના સમયગાળા દરમિયાન ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવાયો છે. જેમાં એસ.ટી.બસ- ખાનગી લક્ઝરી બસ સહિતના તમામ ભારે વાહનો ની અવરજવર બંધ રાખવામાં આવી છે.



 જામનગર શહેરમાં સાત રસ્તા સર્કલ થી ગુરુદ્વાર ચોકડી સુધીના માર્ગ પર હાલમાં ફ્લાય ઓવર બ્રિજ નું કામ ચાલી રહ્યું છે જે કામની સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી દ્વારા આજે એક વિશેષ જાહેર નોટીસ પાઠવી તારીખ 2.8.21 થી 31.1.2023 સુધીના દોઢ વર્ષના સમયગાળા દરમિયાન સાત રસ્તા થી ગુરુદ્વારા ચોકડી સુધીના માર્ગ ઉપર ભારે વાહનોની અવર-જવર માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. જેમાં એસટી બસ- ખાનગી ટ્રાવેલ્સ સહિતના ભારે વાહનોની અવર-જવર બંધ રાખવામાં આવે છે. અને ભારે વાહનો સાત રસ્તા સર્કલ થી લાલ બંગલા ગૌરવપથ માર્ગ-ટાઉનહોલ, બેડી ગેટ અને કાશીવિશ્વનાથ રોડ થી સુભાષ બ્રિજ થી રાજકોટ તરફ જઇ શકાશે.

 અને રાજકોટ થી આવતા વાહનો ગૌરવ માર્ગ પર થઈને સાત રસ્તા સર્કલ થઈ એસટી તરફ અથવા તો ઓશવાળ સેન્ટર રોડ અને દિગઝામ સર્કલ સુધી જઈ શકશે. આ ઉપરાંત રાજકોટ થી લાલપુર બાયપાસ ચોકડી તરફ જવા માટે ગૌરવ પથ પર થઈ મિગ કોલોની એસ.ટી. તરફ અને લાલપુર બાયપાસ ચોકડી તરફ અવર-જવર કરી શકાશે. આગામી છ મહિના સુધી એટલેકે 31 જાન્યુઆરી 2023 સુધી તેની અમલવારી રહેશે. બાકીના અન્ય ટુ વ્હીલર સહિતનાં વાહનો અવર-જવર માટે ચાલુ રખાશે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

મુંબઇ ઇન્ડિયનની મહિલા ક્રિકેટ ટીમ જામનગર-રિલાયન્સની મહેમાન

જામનગર તા.3: આઈપીએલ 2025 પહેલા હાલ ઠઙક 2025 રમાઇ રહી છે. તે 14 ફેબ્રુઆરીથી શરૂ થયેલ ઠઙક 2025 એક પછી એક ચડિયાતી મેચ સાથે ફાઇનલ તરફ આગળ વધી રહી છે અને 15 માર્ચે ફાઈનલ મુકાબલો ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ક્રિકેટ ટીમ ગઈકાલે જામનગરની મહેમાન બની હતી. જામનગરમાં હાલ કેટલાક સમયથી સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. સમયાંતરે સેલિબ્રિટીઝ જામનગરના મહેમાન બની રહ્યા છે. તેવામાં ગઈકાલે સાંજે મુંબઈ ઈન્ડિયનની મહિલા ક્રિકેટરની ટીમ જામનગર આવી પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ટીમની કેપ્ટન હરમનપ્રિત કોર, કોચ જુલહન ગોસ્વામી, પ્રિયંકા બાલા સહીતના મહિલા ક્રિકેટરો જામનગરમા પધાર્યા હતા.  જામનગર એરપોર્ટ પર ગઈકાલે સાંજના સમયે આગમન થયું હતું. ત્યારબાદ મહિલા ક્રિકેટરો મોટર માર્ગે જામનગર નજીક આવેલ ખાનગી કંપનીની ટાઉનશીપ ખાતે જવાન રવાના થયા હતા. જે જામનગર અને અંબાણી પરિવારની શાહી મહેમાનગતિ માણસે. આ દરમિયાન તેઓ વિશ્વની અજાયબી સમાન વનતારાની મુલાકાત લઈ શકે છે.