Skip to main content

સાતરસ્તાથી સુભાષ બ્રિજ સુધીના નિર્માણાધિન ફ્લાયઓવર સંબંધે મ્યુ. કમિશનરનું જાહેરનામું

ઓગસ્ટ મહિનાથી 18 મહિના સુધી સાતરસ્તાથી ગુરૂદ્વારા ચોકડીનો માર્ગ ભારે વાહન વ્યવહાર માટે રહેશે બંધ 


જામનગર તા 28

જામનગર શહેરમાં સાત રસ્તા સર્કલથી સુભાષ બ્રિજ સુધી ફ્લાય ઓવર નિર્માણાધીન છે. જેના કામકાજને લક્ષયમાં રાખીને જામનગર મહાનગર પાલિકાના કમિશનર દ્વારા વિશેષ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે, અને આગામી 1 ઓગસ્ટ થી 31 જાન્યુઆરી 2023 સુધી 18 મહિનાના સમયગાળા દરમિયાન ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવાયો છે. જેમાં એસ.ટી.બસ- ખાનગી લક્ઝરી બસ સહિતના તમામ ભારે વાહનો ની અવરજવર બંધ રાખવામાં આવી છે.



 જામનગર શહેરમાં સાત રસ્તા સર્કલ થી ગુરુદ્વાર ચોકડી સુધીના માર્ગ પર હાલમાં ફ્લાય ઓવર બ્રિજ નું કામ ચાલી રહ્યું છે જે કામની સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી દ્વારા આજે એક વિશેષ જાહેર નોટીસ પાઠવી તારીખ 2.8.21 થી 31.1.2023 સુધીના દોઢ વર્ષના સમયગાળા દરમિયાન સાત રસ્તા થી ગુરુદ્વારા ચોકડી સુધીના માર્ગ ઉપર ભારે વાહનોની અવર-જવર માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. જેમાં એસટી બસ- ખાનગી ટ્રાવેલ્સ સહિતના ભારે વાહનોની અવર-જવર બંધ રાખવામાં આવે છે. અને ભારે વાહનો સાત રસ્તા સર્કલ થી લાલ બંગલા ગૌરવપથ માર્ગ-ટાઉનહોલ, બેડી ગેટ અને કાશીવિશ્વનાથ રોડ થી સુભાષ બ્રિજ થી રાજકોટ તરફ જઇ શકાશે.

 અને રાજકોટ થી આવતા વાહનો ગૌરવ માર્ગ પર થઈને સાત રસ્તા સર્કલ થઈ એસટી તરફ અથવા તો ઓશવાળ સેન્ટર રોડ અને દિગઝામ સર્કલ સુધી જઈ શકશે. આ ઉપરાંત રાજકોટ થી લાલપુર બાયપાસ ચોકડી તરફ જવા માટે ગૌરવ પથ પર થઈ મિગ કોલોની એસ.ટી. તરફ અને લાલપુર બાયપાસ ચોકડી તરફ અવર-જવર કરી શકાશે. આગામી છ મહિના સુધી એટલેકે 31 જાન્યુઆરી 2023 સુધી તેની અમલવારી રહેશે. બાકીના અન્ય ટુ વ્હીલર સહિતનાં વાહનો અવર-જવર માટે ચાલુ રખાશે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની વિક્રમજનક 30000 મણ આવક

માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા  નવી  જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી. આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર  હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.