Skip to main content

જામનગરમાં જૈફ વયના શ્રી વજ્રસેનવિજયજી મ.સા. કાળધર્મ પામતા જૈન સમાજમાં ભારે શોક

ગઇકાલે ઓશવાળ કોલોની ઉપાશ્રય ખાતે સકળસંઘ દ્વારા નમસ્કાર મહામંત્ર શરૂ કરાયા હતાં: સમાધી અવસ્થામાં રાત્રે 10:25 કલાકે કાળધર્મ પામ્યા: મોટી સંખ્યામાં દિક્ષાર્થીઓ ઉપરાંત શ્રાવકો અંતિમ દર્શને પહોંચ્યા: આજે સાંજે 4:00 વાગ્યે નિકળશે પાલખીયાત્રા



જામનગર તા.6

જામનગરના ઓશવાળ કોલોની દેરાસર-ઉપાશ્રય ખાતે ગઇરાત્રે પંન્યાસપ્રવર શ્રી વજ્રસેનવિજયજી ગણિવર્યશ્રી મહારાજ સાહેબ સમાધી અવસ્થામાં કાળધર્મ પામ્યા હતાં. તેઓની પાલખીયાત્રા આજે સાંજે 4:00 વાગ્યે નિકળશે. પાલખીયાત્રા પૂર્વે બપોરે 2:00 કલાકે ચડાવાની વિધી થશે.

પંન્યાસપ્રવર શ્રી વજ્રસેનવિજયજી મહારાજ સાહેબની તબિયત નાદુરસ્ત થતાં જામનગરમાં ઓશવાળ કોલોનીમાં આવેલ દેરાસર-ઉપાશ્રય ખાતે તેઓની પધરામણી કરાવવામાં આવી હતી. ગઇકાલે સાંજે તેઓની તબિયત વધુ બગડી હતી. પરિણામે જૈન શ્રાવક અને શ્રાવિકાઓમાં ચિંતાની લાગણી પ્રસરી હતી. ગઇકાલે રાત્રે સકળશ્રી સંઘના મુખે નમસ્કાર મહામંત્રનું શ્રમણ અને શ્રવણ કરતા કરતા તેઓ 10:25 કલાકે સમાધીપૂર્વક કાળધર્મ પામ્યા હતાં.

શ્રી વજ્રસેનવિજયજી મ.સા. કાળધર્મ પામ્યાના સમાચાર મળતા જૈન સમાજના શ્રેષ્ઠીઓ, શ્રાવકો તેમના અંતિમ દર્શનાર્થે પહોંચી રહ્યાં છે. ઓશવાળ કોલોની દેરાસર-ઉપાશ્રય ખાતે આજે બપોરે 2:00 કલાકે ચડાવાની વિધી થશે અને બાદમાં સાંજે 4:00 વાગ્યે અહિંથી પાલખીયાત્રા નિકળશે.

શ્રી વજ્રસેનવિજયજી મ.સા. 80 વર્ષની ઉંમરના હતાં અને ઘણાં સમયથી હાલાર પંથકમાં વિહાર કરતા હતાં. ગત્ વર્ષનો ચાતુર્માસ તેઓએ જામનગરના ચાંદીબજાર દેરાસર-ઉપાશ્રય ખાતે કર્યો હતો અને છેલ્લે તેઓ ખંભાળિયા નજીક આવેલા આરાધનાધામ ખાતે બિરાજતા હતાં. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની વિક્રમજનક 30000 મણ આવક

માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા  નવી  જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી. આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર  હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.