Skip to main content

મેન્ટેનન્સ કામગીરીને પગલે સોમથી શનિવાર દરમિયાન જામનગરના વિવિધ વિસ્તારોમાં વીજ કાપ

ધરારનગર, આરામ, ગુલાબનગર, પટેલ કોલોની, ન્યુ ભારત, પંચવટી સહિતના ફિડર હેઠળ આવતા વિસ્તારોમાં પાવર કાપ



જામનગર તા.30:

પ્રિ-મોન્સુન કામગીરી અને વીજલાઇનના મેન્ટેનન્સને પગલે પીજીવીસીએલ દ્વારા શહેરના જુદ-જુદા વિસ્તારોમાં સોમવારથી શનિવારથી સુધી અઠવાડિયા દરમિયાન વીજ કાપ ઝીંકવામાં આવ્યો છે.

જામનગરના સુમેરક્લબ ફીડર હેઠળ આવતા સુમેર ક્લબ મેઇન રોડ, સાત રસ્તાથી પવનચક્કી સુધી મેઇન રોડ, કૈલાશનગર એસ.ટી. ડેપો, 45-દિ.પ્લોટ જૈન દેરાસર, ગણેશવાસ સહિતના વિસ્તારોમાં આજે સવારે 8:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા દરમિયાન પાવર બંધ રહેશે. આ ઉપરાંત આગામી તા.2 ને સોમવારે ધરારનગર ફીડર હેઠળ આવતા ધરાનગર તથા વામ્બે આવાસ યોજના વિસ્તારમાં સવારે 8:00 થી બપોરે 2:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.

વધુમાં તા.3ને મંગળવારના રોજ આરામ હોટેલ ફીડર હેઠળ આરામ હોટલ, તાઇપાન ક્ધસ્ટ્રકશન, પટેલ દેરાસરની શેરી, હિંમનગર શેરી નં.1, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ તથા મહિલા વાળું ટેપિંગ આસપાસના વિસ્તારમાં સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. તા.4ને બુધવારના રોજ ગુલાબનગર ફીડર હેઠળ આવતા રંગમતી પાર્ક, રવિપાર્ક, પાણીનો ટાંકો, રાજપાર્ક, ગણેશ કોલ્ડ સ્ટોરેજ, જિલ્લા સેવા સદન અને નાગેશ્ર્વર સહિતના વિસ્તારમાં સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી વીજ કાપ મુકવામાં આવ્યો છે.

તા.5ને ગુરૂવારના રોજ પટેલ કોલોની ફીડર હેઠળના મરઘા ઉછેર કેન્દ્ર, શ્રીજી વિહાર, મહિલા ગૃહ ઉદ્યોગ, મોમાઇ કાસ્ટ, શ્રેયસ સ્કૂલ, પટેલ કોલોની નં.8, શાંતિનગર, રાધાકૃષ્ણ મંદિર, ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. તા.6ને શુક્રવારના રોજ ન્યૂ ભારત ફીડર હેઠળના વિસ્તારો જેવા કે એમરી ઇન્ડિયા, ડ્યુ લાઇટ રબ્બર, રામનગર ઢાળિયો, એનર્જી મશીન, ભારત મીશન, ન્યૂ ભારત એનર્જી, રેલવે સ્ટેશન, ઇન્ડિયન એક્ષટ્રેક્શન વિસ્તારમાં સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. જ્યારે તા.7ને શનિવારના રોજ પંચવટી ફીડર હેઠળ આવતા પંચવટી ગૌશાળા, વિસામો એપાર્ટમેન્ટ, માનસરોવર એપાર્ટમેન્ટ, મધુવન એપાર્ટમેન્ટ, પારસ સોસાયટી, ગીતામંદિરની આસપાસનો પંચવટી પોસ્ટ ઓફિસ વિસ્તાર, વી-માર્ટ, સામ્રાજ્ય એપાર્ટમેન્ટ, માણેકરત્ન એપાર્ટમેન્ટ વગેરે વિસ્તારમાં સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી વીજ કાપ મુકવામાં આવ્યો છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...