Skip to main content

મેન્ટેનન્સ કામગીરીને પગલે સોમથી શનિવાર દરમિયાન જામનગરના વિવિધ વિસ્તારોમાં વીજ કાપ

ધરારનગર, આરામ, ગુલાબનગર, પટેલ કોલોની, ન્યુ ભારત, પંચવટી સહિતના ફિડર હેઠળ આવતા વિસ્તારોમાં પાવર કાપ



જામનગર તા.30:

પ્રિ-મોન્સુન કામગીરી અને વીજલાઇનના મેન્ટેનન્સને પગલે પીજીવીસીએલ દ્વારા શહેરના જુદ-જુદા વિસ્તારોમાં સોમવારથી શનિવારથી સુધી અઠવાડિયા દરમિયાન વીજ કાપ ઝીંકવામાં આવ્યો છે.

જામનગરના સુમેરક્લબ ફીડર હેઠળ આવતા સુમેર ક્લબ મેઇન રોડ, સાત રસ્તાથી પવનચક્કી સુધી મેઇન રોડ, કૈલાશનગર એસ.ટી. ડેપો, 45-દિ.પ્લોટ જૈન દેરાસર, ગણેશવાસ સહિતના વિસ્તારોમાં આજે સવારે 8:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા દરમિયાન પાવર બંધ રહેશે. આ ઉપરાંત આગામી તા.2 ને સોમવારે ધરારનગર ફીડર હેઠળ આવતા ધરાનગર તથા વામ્બે આવાસ યોજના વિસ્તારમાં સવારે 8:00 થી બપોરે 2:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.

વધુમાં તા.3ને મંગળવારના રોજ આરામ હોટેલ ફીડર હેઠળ આરામ હોટલ, તાઇપાન ક્ધસ્ટ્રકશન, પટેલ દેરાસરની શેરી, હિંમનગર શેરી નં.1, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ તથા મહિલા વાળું ટેપિંગ આસપાસના વિસ્તારમાં સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. તા.4ને બુધવારના રોજ ગુલાબનગર ફીડર હેઠળ આવતા રંગમતી પાર્ક, રવિપાર્ક, પાણીનો ટાંકો, રાજપાર્ક, ગણેશ કોલ્ડ સ્ટોરેજ, જિલ્લા સેવા સદન અને નાગેશ્ર્વર સહિતના વિસ્તારમાં સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી વીજ કાપ મુકવામાં આવ્યો છે.

તા.5ને ગુરૂવારના રોજ પટેલ કોલોની ફીડર હેઠળના મરઘા ઉછેર કેન્દ્ર, શ્રીજી વિહાર, મહિલા ગૃહ ઉદ્યોગ, મોમાઇ કાસ્ટ, શ્રેયસ સ્કૂલ, પટેલ કોલોની નં.8, શાંતિનગર, રાધાકૃષ્ણ મંદિર, ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. તા.6ને શુક્રવારના રોજ ન્યૂ ભારત ફીડર હેઠળના વિસ્તારો જેવા કે એમરી ઇન્ડિયા, ડ્યુ લાઇટ રબ્બર, રામનગર ઢાળિયો, એનર્જી મશીન, ભારત મીશન, ન્યૂ ભારત એનર્જી, રેલવે સ્ટેશન, ઇન્ડિયન એક્ષટ્રેક્શન વિસ્તારમાં સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. જ્યારે તા.7ને શનિવારના રોજ પંચવટી ફીડર હેઠળ આવતા પંચવટી ગૌશાળા, વિસામો એપાર્ટમેન્ટ, માનસરોવર એપાર્ટમેન્ટ, મધુવન એપાર્ટમેન્ટ, પારસ સોસાયટી, ગીતામંદિરની આસપાસનો પંચવટી પોસ્ટ ઓફિસ વિસ્તાર, વી-માર્ટ, સામ્રાજ્ય એપાર્ટમેન્ટ, માણેકરત્ન એપાર્ટમેન્ટ વગેરે વિસ્તારમાં સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી વીજ કાપ મુકવામાં આવ્યો છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની વિક્રમજનક 30000 મણ આવક

માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા  નવી  જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી. આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર  હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.