Skip to main content

જી.જી.હોસ્પિટલ ફરી યૌન શોષણના આક્ષેપથી વિવાદમાં

કોન્ટ્રાક્ટ બેઇઝથી ભરતી કરાયેલા એટેન્ડન્ટોમાંથી અનેકને છૂટા કરી દેવાતા વરસી આક્ષેપોની ઝડી: પગાર સહિતના મુદ્દે કલેકટર તંત્રને આવેદનપત્ર આપતી વખતે કરાયા ચોંકાવનારા આક્ષેપ: હોસ્પિટલ તંત્રએ આક્ષેપોને નકાર્યા



જામનગર તા.16

જામનગરની જી.જી.કોવિડ હોસ્પિટલમાં કોન્ટ્રાકટ બેઇઝથી ભરતી કરાયેલા અનેક એટેન્ડન્ટને અચાનક છૂટા કરી દેવાતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ખાસ કરીને નોકરી બાબતે આવેદન આપતી વખતે નોકરી ગુમાવનાર મહિલા કર્મચારી દ્વારા પગાર ન થવા ઉપરાંત યૌન શોષણ કરાતું હોવાનો ચોંકાવનારો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. જેને કારણે જી.જી.હોસ્પિટલ વધુ એક વખત વિવાદના કેન્દ્રમાં આવી છે. જો કે નોકરી ગયા બાદ કરાયેલા યૌન શોષણ જેવા ગંભીર આક્ષેપને હજુ સુધી સત્તાવાર રીતે સમર્થન મળ્યું નથી એટલું જ નહીં હોસ્પિટલ તંત્રએ તેઓ સમક્ષ કોઇ લેખિત કે મૌખિક ફરિયાદ નહીં આવી હોવાનો ખુલાસો કર્યો છે.

જામનગરમાં કોરોનાની બીજી લહેર જયારે કહેર વર્તાવી અર્હી હતી ત્યારે જામનગર સહીત અન્ય જીલ્લાના દર્દીઓનો પ્રવાહ જી.જી.હોસ્પિટલ તરફ વળ્યો છે. જેને લઈને જી.જી.હોસ્પિટલના પ્રસાસનની હાલત એક સાંધે ત્યાં તેર તુટે એવી થઇ હતી આ હાલતને લઈને તાત્કાલિક 800 કર્મચારીઓની કોન્ટ્રાકટ બેઇઝ પર ભરતી કરવામાં આવી હતી.

કોન્ટ્રાકટ કર્મચારીઓની હાજરી વચ્ચે દર્દીઓથી ઉભરાયેલ ઘડીમાં પણ જીજી હોસ્પિટલ પ્રશાસનનો વહીવટ સારી રીતે પાર પડયો હતો. હવે જયારે બીજી લહેર સમાપ્તિ પર છે ત્યારે કોન્ટ્રાકટ પર ભરતી કરવામાં આવેલ સ્ટાફને છૂટો કરી દેવામાં આવ્યો છે. જેને લઈને વિવાદ શરુ થયો છે. પગાર ચૂકવ્યા વગર અને નોટીસ આપ્યા વગર જ સ્ટાફને છુટ્ટો કરી દેવામાં આવ્યો છે. ગંભીર બાબત એ છે કે જે સ્ટાફને છૂટો કરી દેવામાં આવ્યો છે તેમની મહિલા કર્મચારીઓએ શારીરિક શોષણ કરાયું હોવાની ફરિયાદ ઉઠાવી છે.

આ બાબતે કલેકટર સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે. હાલ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. કોવીડની સારવાર હોય કે આગની ઘટના હોય જી.જી.હોસ્પિટલ રાજ્યભરમાં છેલ્લા એક વર્ષમાં ટોકિંગ પોઈન્ટ બની છે. ત્યારે મહિલા કર્મચારીઓના યૌન શોષણના આક્ષેપને લઈને વધુ એક વખત ચર્ચાનો વિષય બન્યો છે. જો કે હોસ્પિટલ પ્રસાસન વતી ઇન્જર્ચા સુપ્રિ. ડો. ધર્મેશ વસાવડાએ એવું કહી આક્ષેપનું ખંડન કર્યું હતું કે કોવીડ હોસ્પિટલમાં સ્ટાફ માટે નોડલ અધિકારીની નિમણુક પણ કરવામાં આવી છે આ મહિલાકર્મીઓએ આ જવાબદાર અધિકારીઓને આક્ષેપ કર્યા નથી. છતાં પણ આ મુદ્દે તપાસ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગરની જી.જી.હોસ્પિટલ અને તેને સંલગ્ન એમ.પી.શાહ ગવર્મેન્ટ મેડીકલ કોલેજના ભૂતકાળમાં પણ યૌન શોષણોના આક્ષેપો થયા હતાં. ખાસ કરીને એક પ્રોફેસર દરજ્જાની વ્યક્તિએ તબીબી છાત્રાઓને પરીક્ષામાં નાપાસ કરવાની ધમકી આપી તેનો ગેરલાભ ઉઠાવ્યાની વર્ષો અગાઉ પણ ફરિયાદ ઉઠી હતી. આ મામલે આ પ્રોફેસર સામે ઉચ્ચ સ્તરિય તપાસ પણ થઇ હતી અને ખાતાકીય કાર્યવાહી સામે કોર્ટનું શરણું તેણે લીધું હતું. જો કે આ કથિત ઘટનાને બે દાયકા કરતા વધુ સમય થઇ ગયો છે પરંતુ હોસ્પિટલ અને કોલેજમાં આવા આક્ષેપો થવા એ નવી વાત નથી.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...