Skip to main content

જામનગર એસ.ટી.ડિવિઝન દ્વારા મુસાફરી માટે એસ.ટી.બસની 447 ટ્રીપો દોડતી કરાઇ



જામનગર તા.2:

કોરોનાને લઇને રાજય સરકાર દ્વારા અપાયેલી સુચનાને લઇને જામનગર એસ.ટી. વિભાગ દ્વારા જે એસ.ટી.ના રૂટો બંધ કરાયા હતા. તેમાથી ફરી પાછુ મુસાફરોને અવર-જવરમાં મુશ્કેલી ન પડે તે બાબતને ધ્યાને લઇ 124 શેડયુલોના 447 ટ્રીપો કાર્યરત કરી હોવાનું એસ.ટી. ડિવિઝનના ટ્રાફિક ઓફિસર વી.બી.ડાંગરે જણાવ્યું હતું.

જામનગર એસ.ટી.ડિવિઝનના ટ્રાફિક અધિકારી ડાંગરે માહિતી આપતા જણાવ્યું હતું કે, 4જૂનથી 230 ટ્રીપોનો વધારો કરવામાં આવ્યો છે. જેથી એસ.ટી.ડિવિઝન દ્વારા 70 ટકા સંચાલન કાર્યરત થઇ જશે. સરકારની કોરોનાની ગાઇડલાઇનની અમલવારી સાથે એસ.ટી.બસનો વ્યવહાર કાર્યરત કરેલ છે. હાલમાં શાળા-કોલેજો બંધ હોવાને લઇને વિદ્યાર્થીઓ માટેની એસ.ટી.ની ટ્રીપો ચાલુ કરવામાં આવેલ નથી. જે સ્કુલો ખુલતા જ રાબેતા મુજબ એસ.ટી. બસો ચાલુ કરી દેવામાં આવશે.  હાલના સમયમાં 51 ટકા સંચાલન કાર્યરત કરવામાં આવ્યું છે. જેમાં 124 શેડયુલ ઉપર 447 એસ.ટી.ની બસોની ટ્રીપો દોડતી કરી દેવાઇ છે. 

જામનગર એસ.ટી.ડિવિઝન હસ્તક પાંચ એસ.ટી.ડેપો આવેલ છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા એસ.ટી.ડેપો દ્વારા ગુજરનગરી 4, એકસ્પ્રેસ બસ 2, લોકલ 41 મળી કુલ 47 ટ્રીપો કાર્યરત કરી છે. ખંભાળિયા એસ.ટી.ડેપો દ્વારા ગુજરનગરી 6, એસ્પ્રેસ 4 અને લોકલ 55 મળી કુલ 65 એસ.ટી. રૂટ કાર્યરત કર્યા છે. જયારે જામનગર એસ.ટી.ડેપો દ્વારા કુલ 174 ટ્રીપો કાર્યરત કરી છે.  જેમા સ્લીપર બસ ચાર, ગુજરનગરી 11 બસ, એકસ્પ્રેસ બસ 17 અને 142 લોકલ બસની ટ્રીપો કાર્યરત કરી છે.  ધ્રોલ એસ.ટી.ડેપો દ્વારા કુલ 111 ટ્રીપો દોડતી થઇ છે. જામજોધપુર એસ.ટી.ડેપો દ્વારા કુલ 50 એસ.ટી. બસો રૂટ ઉપર દોડતી કરવામાં આવી છે. જેમાં સ્લીપર બસ 2, ગુજરનગરી 8, એસ્પ્રેસ બસ 4 અને લોકલ બસ 36 કાર્યરત થઇ છે. આમ જોઇએ તો જામનગર એસ.ટી.ડિવિઝન દ્વારા સ્લીપર બસ 6 મુસાફરો માટે મુકવામાં આવી છે. ગુજરનગરી 37 બસો, એકસ્પ્રેસ બસ 39 અને 365 લોકલ બસ સેવા શરૂ કરી હોવાનું જામનગર એસ.ટી. ડિવિઝનના ટ્રાફિક અધિકારી વી.બી.ડાંગરે જણાવ્યું હતું. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.