Skip to main content

જામનગરમાં સતત આઠમા દિવસે કોરનાના 700 થી વધુ કેસ

જામનગર શહેરમાં ઘટાડીને 2303ના ટેસ્ટીંગમાં પણ 397 અને ગ્રામ્યમાં 1533 ના ટેસ્ટમાં 332 નો રિર્પોટ કોરોના પોઝીટીવ આવ્યો: શહેરના 301 અને ગ્રામ્યના 277 દર્દી થયા સ્વસ્થ: ગઇકાલે સત્તાવાર રીતે શહેરના 9 અને ગ્રામ્યના 7 દર્દીના મૃત્યુંને પગલે સરકારી ચોપડે કોરોનાનો કુલ મૃત્યુંઆંક 239



જામનગર તા.7

જામનગરમાં તંત્રના બોલ બચ્ચન અને કહેવાતા કડક પગલાં વચ્ચે પણ કોરોનાની મહામારી ઘટવાનું નામ લેતી નથી. ગઇકાલે સતત આઠમાં દિવસે કોરોનાના 700 થી વધુ કેસ નોંધાયા હતાં. 729 પોઝીટીવ કેસ સામે 578 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે ગઇકાલે કોરોનાથી 17 દર્દીના મૃત્યું થયાની સત્તાવાર જાહેરાત આરોગ્ય તંત્ર દ્વારા કરાઇ હતી. આ સાથે કોરોનાનો સત્તાવાર મૃત્યુંઆંક વધીને 239 એ પહોંચ્યો છે.

જામનગર શહેરમાં ગઇકાલે ઘટાડીને 2303 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી 397 લોકો કોરોના સંક્રમિત હોવાનો રિર્પોટ આવ્યો હતો. આ સામે 301 દર્દીઓ કોરોનાને હરાવી ડિસ્ચાર્જ થયા હતા. શહેરના નવ દર્દીઓના કોરોનાથી મોત થયાનું જાહેર કરાયું હતું.

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલે માત્ર 1533 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી 332 દર્દી ગઇકાલે પોઝીટીવ નોંધાયા હતાં. આ સામે ગ્રામ્યમાં ગઇકાલે 277 દર્દી સ્વસ્થ થયા હતાં. ગ્રામ્યના આઠ દર્દી ગઇકાલે કોરોનાને લીધે મૃત્યું પામ્યાનું અરોગ્ય તંત્ર દ્વારા જાહેર કરાયું હતું.

જામનગર શહેર અને ગ્રામ્યમાં મળીને ગઇકાલે કુલ 3,836 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી 729 લોકો કોરોના સંક્રમિત નોંધાયા હતાં. આ સામે ગઇકાલે પણ 578 દર્દી સ્વસ્થ બની ડિસ્ચાર્જ થયા હતાં. ગઇકાલે કુલ 17 દર્દીના કોરોનાથી મૃત્યું નિપજ્યા હતાં. 

જામનગર શહેરમાં ગઇકાલ સુધીમાં કુલ 3,44,835 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જ્યારે જામનગર ગ્રામ્યમાં થયેલ કોરોના ટેસ્ટનો કુલ આંક 2,57,264 થયો હતો. આમ શહેર-જિલ્લાના મળીને કુલ 6,02,099 કોરોના ટેસ્ટ થયા હતાં. આ પૈકી ચોવીસ હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત મળ્યાં હતાં. જામનગર શહેરના 135 અને ગ્રામ્યના 104 દર્દીના કોરોનાથી અત્યાર સુધીમાં મૃત્યું થયાનું સત્તાવાર જણાવાયું છે.

છેલ્લા આઠ દિવસથી જામનગર વિસ્તારમાં કોરોનાના 700 થી વધુ કેસ નોંધાઇ રહ્યાં છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં દૈનિક કેસની દ્રષ્ટિએ જામનગર ટોપ ઉપર આવ્યું છે અને રાજ્યમાં ચોથો ક્રમ જાળવી રાખ્યો છે. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.