Skip to main content

જામનગરમાં કોરોનાના 700થી વધુ કેસનું સપ્તાહ: 737 કેસ

જામનગર શહેરમાં 2219 લોકોના ટેસ્ટીંગમાં 398 અને ગ્રામ્યમાં 1993ના ટેસ્ટમાં 339નો રિર્પોટ કોરોના પોઝીટીવ: શહેરના 304 અને ગ્રામ્યના 221 દર્દી થયા સ્વસ્થ: ગઇકાલે સત્તાવાર રીતે શહેરના 8 અને ગ્રામ્યના 6 દર્દીના મૃત્યુંને પગલે સરકારી ચોપડે કોરોનાનો કુલ મૃત્યુંઆંક 222



જામનગર તા.6

જામનગરમાં 700 થી વધુ કોરોના કેસ છેલ્લા એક સપ્તાહથી દરરોજ નોંધાઇ રહ્યાં છે. ગઇકાલે પણ 737 નવા કેસ નોંધાવાના સામે 525 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા હતાં. સત્તાવાર રીતે ગઇકાલે 14 દર્દીઓના કોરોનાથી મૃત્યું થયાનું જાહેર કરાયું હતું. જેને પગલે કુલ સત્તાવાર મૃત્યુંઆંક 222 થયો છે.

જામનગર શહેરમાં ગઇકાલે 2219 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ગઇકાલે ફરી એક વખત ટેસ્ટીંગનો આંક ઘટાડી દેવાયો હતો. આમ છતાં 398 લોકો કોરોના સંક્રમિત હોવાનો રિર્પોટ આવ્યો હતો. આ સામે 304 દર્દીઓ કોરોનાને હરાવી ડિસ્ચાર્જ થયા હતા. શહેરના આઠ દર્દીઓના કોરોનાથી મોત થયાનું જાહેર કરાયું હતું.

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ગઇકાલે કોરોનાના ટેસ્ટીંગની માત્રા ઘટાડવામાં આવી હતી અને 1493 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આમ છતાં આ પૈકી 339 દર્દી ગઇકાલે પોઝીટીવ નોંધાયા હતાં. આ સામે ગ્રામ્યમાં ગઇકાલે 221 દર્દી સ્વસ્થ થયા હતાં. ગ્રામ્યના છ દર્દી ગઇકાલે કોરોનાને લીધે મૃત્યું પામ્યાનું અરોગ્ય તંત્ર દ્વારા જાહેર કરાયું હતું.

જામનગર શહેર અને ગ્રામ્યમાં મળીને ગઇકાલે કુલ 3,712 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી 737 લોકો કોરોના સંક્રમિત નોંધાયા હતાં. આ સામે ગઇકાલે પણ 525 દર્દી સ્વસ્થ બની ડિસ્ચાર્જ થયા હતાં. ગઇકાલે કુલ 14 દર્દીના કોરોનાથી મૃત્યું નિપજ્યા હતાં. 

જામનગર શહેરમાં ગઇકાલ સુધીમાં કુલ 3,42,532 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જ્યારે જામનગર ગ્રામ્યમાં થયેલ કોરોના ટેસ્ટનો કુલ આંક 2,55,731 થયો હતો. આમ શહેર-જિલ્લાના મળીને કુલ 5,98,263 કોરોના ટેસ્ટ થયા હતાં. આ પૈકી 24,000 થી વધુ લોકો કોરોના સંક્રમિત મળ્યાં હતાં. જામનગર શહેરના 126 અને ગ્રામ્યના 96 દર્દીના કોરોનાથી અત્યાર સુધીમાં મૃત્યું થયાનું સત્તાવાર જણાવાયું છે. છેલ્લા 7 દિવસથી જામનગર વિસ્તારમાં કોરોનાના 700 થી વધુ કેસ નોંધાઇ રહ્યાં છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

મુંબઇ ઇન્ડિયનની મહિલા ક્રિકેટ ટીમ જામનગર-રિલાયન્સની મહેમાન

જામનગર તા.3: આઈપીએલ 2025 પહેલા હાલ ઠઙક 2025 રમાઇ રહી છે. તે 14 ફેબ્રુઆરીથી શરૂ થયેલ ઠઙક 2025 એક પછી એક ચડિયાતી મેચ સાથે ફાઇનલ તરફ આગળ વધી રહી છે અને 15 માર્ચે ફાઈનલ મુકાબલો ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ક્રિકેટ ટીમ ગઈકાલે જામનગરની મહેમાન બની હતી. જામનગરમાં હાલ કેટલાક સમયથી સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. સમયાંતરે સેલિબ્રિટીઝ જામનગરના મહેમાન બની રહ્યા છે. તેવામાં ગઈકાલે સાંજે મુંબઈ ઈન્ડિયનની મહિલા ક્રિકેટરની ટીમ જામનગર આવી પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ટીમની કેપ્ટન હરમનપ્રિત કોર, કોચ જુલહન ગોસ્વામી, પ્રિયંકા બાલા સહીતના મહિલા ક્રિકેટરો જામનગરમા પધાર્યા હતા.  જામનગર એરપોર્ટ પર ગઈકાલે સાંજના સમયે આગમન થયું હતું. ત્યારબાદ મહિલા ક્રિકેટરો મોટર માર્ગે જામનગર નજીક આવેલ ખાનગી કંપનીની ટાઉનશીપ ખાતે જવાન રવાના થયા હતા. જે જામનગર અને અંબાણી પરિવારની શાહી મહેમાનગતિ માણસે. આ દરમિયાન તેઓ વિશ્વની અજાયબી સમાન વનતારાની મુલાકાત લઈ શકે છે.