Skip to main content

જામનગરમાં કોરોનાના 700થી વધુ કેસનું સપ્તાહ: 737 કેસ

જામનગર શહેરમાં 2219 લોકોના ટેસ્ટીંગમાં 398 અને ગ્રામ્યમાં 1993ના ટેસ્ટમાં 339નો રિર્પોટ કોરોના પોઝીટીવ: શહેરના 304 અને ગ્રામ્યના 221 દર્દી થયા સ્વસ્થ: ગઇકાલે સત્તાવાર રીતે શહેરના 8 અને ગ્રામ્યના 6 દર્દીના મૃત્યુંને પગલે સરકારી ચોપડે કોરોનાનો કુલ મૃત્યુંઆંક 222



જામનગર તા.6

જામનગરમાં 700 થી વધુ કોરોના કેસ છેલ્લા એક સપ્તાહથી દરરોજ નોંધાઇ રહ્યાં છે. ગઇકાલે પણ 737 નવા કેસ નોંધાવાના સામે 525 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા હતાં. સત્તાવાર રીતે ગઇકાલે 14 દર્દીઓના કોરોનાથી મૃત્યું થયાનું જાહેર કરાયું હતું. જેને પગલે કુલ સત્તાવાર મૃત્યુંઆંક 222 થયો છે.

જામનગર શહેરમાં ગઇકાલે 2219 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ગઇકાલે ફરી એક વખત ટેસ્ટીંગનો આંક ઘટાડી દેવાયો હતો. આમ છતાં 398 લોકો કોરોના સંક્રમિત હોવાનો રિર્પોટ આવ્યો હતો. આ સામે 304 દર્દીઓ કોરોનાને હરાવી ડિસ્ચાર્જ થયા હતા. શહેરના આઠ દર્દીઓના કોરોનાથી મોત થયાનું જાહેર કરાયું હતું.

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ગઇકાલે કોરોનાના ટેસ્ટીંગની માત્રા ઘટાડવામાં આવી હતી અને 1493 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આમ છતાં આ પૈકી 339 દર્દી ગઇકાલે પોઝીટીવ નોંધાયા હતાં. આ સામે ગ્રામ્યમાં ગઇકાલે 221 દર્દી સ્વસ્થ થયા હતાં. ગ્રામ્યના છ દર્દી ગઇકાલે કોરોનાને લીધે મૃત્યું પામ્યાનું અરોગ્ય તંત્ર દ્વારા જાહેર કરાયું હતું.

જામનગર શહેર અને ગ્રામ્યમાં મળીને ગઇકાલે કુલ 3,712 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી 737 લોકો કોરોના સંક્રમિત નોંધાયા હતાં. આ સામે ગઇકાલે પણ 525 દર્દી સ્વસ્થ બની ડિસ્ચાર્જ થયા હતાં. ગઇકાલે કુલ 14 દર્દીના કોરોનાથી મૃત્યું નિપજ્યા હતાં. 

જામનગર શહેરમાં ગઇકાલ સુધીમાં કુલ 3,42,532 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જ્યારે જામનગર ગ્રામ્યમાં થયેલ કોરોના ટેસ્ટનો કુલ આંક 2,55,731 થયો હતો. આમ શહેર-જિલ્લાના મળીને કુલ 5,98,263 કોરોના ટેસ્ટ થયા હતાં. આ પૈકી 24,000 થી વધુ લોકો કોરોના સંક્રમિત મળ્યાં હતાં. જામનગર શહેરના 126 અને ગ્રામ્યના 96 દર્દીના કોરોનાથી અત્યાર સુધીમાં મૃત્યું થયાનું સત્તાવાર જણાવાયું છે. છેલ્લા 7 દિવસથી જામનગર વિસ્તારમાં કોરોનાના 700 થી વધુ કેસ નોંધાઇ રહ્યાં છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની વિક્રમજનક 30000 મણ આવક

માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા  નવી  જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી. આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર  હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.