Skip to main content

કોરોનાના કેપીટલ જામનગરમાં 24 કલાકમાં 92 દર્દીનો બુઝાયો જીવનદીપ



જામનગર તા.1

જામનગરમાં 24 કલાકમાં રેકર્ડબ્રેક 748 પોઝીટીવ કેસ નોંધાયાને પગલે કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા પૈકી 92 દર્દીઓ હોસ્પિટલના બિછાને જીંદગીનો જંગ હારી ગયા હતાં.

જામનગરમાં કોરોનાના કેસ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ નોંધાઇ રહ્યા છે. રાજ્યામાં ગઇકાલે જામનગર કેસની બાબતે ચોથા ક્રમે હતું. આ ઉપરાંત કોવિડ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દી દરરોજ મોતને ભેટી રહ્યા હોવાથી આરોગ્ય અને વહિવટી તંત્ર ધંધે લાગ્યુ છે. દર્દીઓના ટપોટપ થતાં મૃત્યુમાં એક કારણ ઓકસીજનની સપ્લાયમાં પડતો વિક્ષેપ પણ છે પરંતુ સરકારની આબરૂ ઢાંકવા માટે તંત્ર આ વાત સ્વિકારવા તૈયાર થતુ નથી. ઉલ્ટાનું મિડિયા રીપોર્ટ પછી લોકોને ઉંધા ચશ્મા પહેરાવવા બાલીસ બચાવ પણ કરે છે. તેઓ ગમે તેટલો બચાવ કરે પરંતુ સભ્ય તો દર્દીના સગાઓ ખુલ્લેઆમ બોલવા લાગ્યા છે.

જામનગરમાં ગઇકાલે શહેર-ગ્રામ્યમાં મળીને કોરોનાના 748 કેસ નોંધાયા હતા અને 618 દર્દી સ્વસ્થ થયા હતા જ્યારે કમનશીબે ગઇકાલ બપોરના 12થી આજે બપોરના 12 વાગ્યા સુેધીના 24 કલાકમાં કોવિડ હોસ્પિટલમાં 92 દર્દીઓ સારવાર કારગત ન નિવડતા મોતને ભેટયા છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.