Skip to main content

જામનગરમાં શાકભાજીની માર્કેટો સુપર સ્પ્રેડર જેવી ભયજનક બની




જામનગર તા.10: જામનગર નજીક હાપા યાર્ડમાં વહેલી સવારથી જ શાકભાજી માટેની હરરાજીની પ્રક્રિયા શરૂ થાય છે. આ હરરાજીમાં શાકભાજી વેચવા આવનાર ખેડૂતો વેપારીઓ અને ગ્રાહકો માસ્ક પહેર્યા વગરના જ આવે છે. તેમજ સોશ્યલ ડિસ્ટન્સના નિયમનો પણ ભંગ થતા હોવાના દ્રશ્યો સર્જાઇ છે ત્યારે સરકારી તંત્ર દ્વારા આ અંગે જાગૃતતા રાખવામાં આવે તે જરૂરી છે.

જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં વહેલી સવારથી જ શાકભાજીની હરરાજીની પ્રક્રિયા શરૂ થઇ જાય છે. આ હરરાજીમાં શાકભાજી વેચવા માટે થઇને ખેડૂતો આવતા હોય છે. તેમજ ખરીદ કરવા માટે થઇને અનેક વેપારીઓ અને ગ્રાહકો પણ આવે છે. પરંતુ આ તમામ ખેડૂતો, વેપારીઓ અને ગ્રાહકો કોરોનાના નિયમની અમલવારી કરતા નથી. એટલે કે મ્હોં ઉપર માસ્ક બાંધતા નથી. સોશ્યલ ડિસ્ટન્સ જાળવતા નથી. આવા દ્રશ્યો દૈનિક બન્યા છે. જેને લીધે જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ ફેલાતુ હોવાનું પણ ચર્ચાઇ છે.

જામનગરના સુભાષ શાક માર્કેટમાં પણ સોશ્યલ ડિસ્ટન્સની અમલવારી અને મ્હોં ઉપર માસ્ક પહેરવાનું જાણે ભુલાઇ ગયું હોય તેવુ લાગી રહ્યું છે. આ જ રીતે શહેરના જુદા-જુદા વિસ્તારમાં જયાં શાક માર્કેટ ભરવામાં આવે છે તેવા તમામ સ્થળો ઉપર પણ આવા સરકારની ગાઇડલાઇનના ધજાગરા ઉડતા હોય તેવી સ્થિતિ છે. જેને લીધે જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ ઝડપી વધી રહ્યું છે. કારણ કે, શાકભાજીના વેપારીઓ મ્હોં ઉપર માસ્ક પહેરવાના બદલે ગળામાં રૂમાલ પહેરીને જ માત્ર શો ખાતર પહેરેલા જોવા મળે છે.  આવા તમામ સ્થળો ઉપર જયાં શાક માર્કેટો ભરાઇ છે. તેવા સ્થળો ઉપર જઇને તંત્ર દ્વારા મૌન સેવાના બદલે કાયદાની અમલવારી કરાવી જરૂરી છે. કારણ કે, ઘણા લાંબા સમય પહેલા કોરોનાના સંદર્ભે કોરોનાના એન્ટી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જો કે હાલની કોરોનાની સંક્રમણી સ્થિતિમાં તો જામનગર શહેરના શાક માર્કેટ જે-તે સ્થળે ભરાઇ છે તે સ્થળ સુપર સ્પ્રેડર જેવા ભયજનક બનતા જાય છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...