Skip to main content

જામનગરમાં રેમડેસીવર ઇન્જેક્શન ઉપરાંત ફેબીફ્લુની દવા પણ અદ્રશ્ય થતાં દેકારો



જામનગર તા. 14

જામનગરમાં કોરોના વાયરસ કાળો કેર વર્તાવી રહ્યોં છે. ત્યારે આ રોગની સારવાર માટે જરૂરી રેમડેસીવર ઈન્જેકશન અને ફેબીફલૂની ગોળી (ટેબ્લેટ) જામનગરની બજારમાં ઉપલબ્ધ નથી. પરિણામે દર્દીઓની હાલત કફોડી બની રહી છે. જામનગરમાં કોરોનાના દર્દીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. તો બીજી તરફ નેતાઓએ જામનગરની પ્રજાને રામ ભરોસે છોડી દિધી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

કોરોના સંક્રમણ તેજ ગતિએ વધી રહ્યું છે. તંત્ર પણ આ વાત સ્વીકારે છે. કોરોના સંક્રમિત બનતા દર્દીએ ખાનગી તબીબો પાસે દવા લેવા જાય ત્યારે ફેબીફ્લૂ ગોળી લેવાનું કહેવામાં આવે છે. પરંતુ આ ગોળી જામનગરના એકપણ મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ નથી. તેવું જ રેમડેસીવર ઈન્જેકશનનું છે. તેનો જથ્થો પણ જામનગરમાં હાજર સ્ટોકમાં નથી. ત્યારે દર્દીઓની હાલત બગડી રહી છે. આ બાબત ગંભીરતાથી લઈ જામનગરમાં નેતાઓ, મંત્રીઓ અને વહીવટી તંત્રએ તાકીદે યુદ્ધના ધોરણે પગલા લેવા જોઈએ, પરંતુ અફસોસ કે જામનગરની જનતાની કોઈને પડી જ નથી. નેતા ઓ માત્ર ફોટા પડાવી મસમોટી પ્રસિદ્ધિ મેળવી રહ્યાં છે. જ્યારે નગરજનોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.