Skip to main content

કફર્યુની અમલવારીથી જામનગરની હોટલો અને રેસ્ટોરન્ટના ધંધા ઠપ્પ



જામનગર તા.14:

કોરોનાના સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા કફર્યુની અમલવારી જામનગરમાં  કડક રીતે કરવામાં આવી રહી છે તેના કારણે રેસ્ટોરન્ટ અને હોટલોના ધંધાદારીઓ આર્થિક મંદીની મુશ્કેલીમાં મુકાયા છે. તેની સાથે જ આવા રેસ્ટોરન્ટ હોટલમાં કામ કરનાર હોટલ સ્ટાફને છુટો કરી દેવાતા ભારે હાર્ડમારીમાં મુકાયા છે.



એક તરફ છેલ્લા એક વર્ષથી લોકડાઉનની સાથે લાંબા સમય સુધી હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકોના ધંધા-રોજગાર  બંધ રહ્યા હતા ત્યારબાદ રેસ્ટોરન્ટ અને હોટલો કાર્યરત થતા હતા તેવા સમયે ફરી પાછી કોરોનાની બીજી લહેર શરૂ  થતા દર્દીઓનો આંક ઉંચકાયો છે તેવા સમયે ફરી પાછી કોરોનાને કાબુમાં લેવા રાત્રી કફર્યુની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. આ કફર્યુના કારણે રાત્રીના રેસ્ટોરન્ટ અને હોટલના ધંધાર્થીઓને રાતના જ ધંધો-વ્યવસાય બંધ કરવાની ફરજ પડી છે. જેને લીધે સંચાલકોને તો આર્થિક નુકશાની શરૂ થતા તેઓએ તેમને હોટલ સ્ટાફને ન છુટકે છુટા કરવા પડે તેવી સ્થિતિ આવી પડી છે. જેના લીધે આવા હોટલ સ્ટાફને રોજગારી ગુમાવવાનો વારો આવ્યો છે કારણ કે, રાતના આઠથી કફર્યુની અમલવારી થતી હોય જેથી રાત્રીના સમયના રેસ્ટોરન્ટ અને હોટલના ધંધા-રોજગાર ઠપ્પ થઇ ગયા છે. જેના કારણે હોટલના સ્ટાફની પણ માત્ર સવારના જ જરૂર રહેતી હોય જેથી સ્ટાફને છુટો કરી દેવો પડયો છે. આવા હોટલ સાથે સંકળાયેલા અને રોજગારી મેળવનાર હોટલ સ્ટાફ હવે નવી રોજગારી  શોધવાની સમસ્યામાં મુકાયો છે. જેને લીધે નવી રોજગારી મળતી નથી અને આર્થિક રીતે આવક બંધ થઇ ગઇ હોય જેને લીધે ઘરનું ઘરનિર્વાહ કેમ ચલાવુ તે એક પડકાર બન્યો છે. સરકાર દ્વારા આવા હોટલ સ્ટાફને રાહત પેકેજ આપવામાં આવે તેવી માંગ હોટલ સ્ટાફ કરી રહ્યો છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

રણજીતસાગર ડેમ ઉપર પોલીસના નામે સહેલાણીઓની પજવણી કરતા બે શખ્સોને પાંચ વર્ષની સજા

બે રોડછાપ રોમિયોએ નકલી પોલીસ બની યુવતિના ફોટા પાડી બિભત્સ માંગણી કરેલી: યુવતિ તાબે ન થતાં ફોટા સોશ્યલ મીડિયામાં કર્યા હતાં વાયરલ: જાતિય હુમલાનો ભોગ બનેલ યુવતિને 50 હજારની રકમ વળતર પેટે ચુકવવા જામનગરની અદાલતનો હુકમ જામનગર તા.30 જામનગરના રણજીતસાગર ડેમ પર હરવા-ફરવા આવતા સહેલાણીઓની પજવણી કરતા બે રોડછાપ રોમિયોને જામનગરની અદાલતે પાંચ વર્ષની જેલની સજા અને 50 હજારનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની હકીકત મુજબ રણજીતસાગર નગરજનો માટે ફરવા જવાનું પીકનીક પોઇન્ટ છે. આ પીકનીક પોઇન્ટર પર અવાર-નવાર રોડ રોમિયો દ્વારા નિર્દોષ સ્ત્રીઓ, યુવતિઓને પજવણી કરતી હોવાની રાવ ઉટી છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. જે અનુસાર તા.11/5/20215ના રોજ જામનગર બી.એસ.સી.માં અભ્યાસ કરતી યુવતિનું સગપણ થતાં મંગેતર સાથે રણજીતસાગર પર ફરવા ગઇ હતી. બન્ને જણા રણજીતસાગર ડેમ પર બેઠા હતાં ત્યારે સાંજના ચાર વાગ્યે કારમાં બે રોમિયો આવી અને આ બન્ને 25 થી 30 વર્ષની ઉંમરના હતાં. તેઓએ પોતે પોલીસ હોવાનું જણાવી આ યુવતિ અને તેના મંગેતરને અહીં શું કરવા આવેલા છો? તેમ કહી પૂછપરછ કરવા લાગ્યા હતાં અને બન...