Skip to main content

સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાવા રાજ્યમંત્રીનો અનુરોધ



જામનગર તા.15:

જામનગર શહેર અને જેલ્લામાં કોરોના સંક્રમણના લીધે કોરોના દર્દીઓ વધી રહ્યા છે ત્યારે જામનગર ચેમ્બર્સ ઓફ કોમર્સ, જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન, જામનગર સિડઝ ગ્રેઇન મરચન્ટ એસોસિયેશન, જામનગર વેપારી મહામંડળ, જામનગર ગુડ્ઝ ટાન્સપોર્ટ અને કમિશન એજન્ટ એસોસિએશન અને જામનગર ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ સહિત જે જુદી જુદી સંસ્થાઓ દ્રારા કોરોનાની ચેઇન તોડવવા તા. 16/17/18 એપ્રિલ ત્રણ દિવસના સ્વૈચ્છિક સ્વયંભુ બંધના એલાન અને અપીલને રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિહ જાડેજા(હકુભા) આવકાર્તા તમામ એસોસિએશનના હોદેદારો તેમજ સભ્યોને અભિનંદન આપ્યા છે.

રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા)એ કોરોના મહામારીને કાબુમાં લેવા માટે સંસ્થાઓ દ્રારા અપાયેલ સ્વંયભુ બંધમાં તમામ શહેરીજનોએ જોડાઈને સહકાર આપવા હદયપૂર્વકની અપીલ કરી છે, બંધમાં જોડાઈ લોકોએ ઘરમાં રહેવા વિનંતી કરી છે. આ સાથે કોરોનાની સૂચના મુજબ મોઢા ઉપર માસ્ક પહેરી તેમજ સોશ્યલ ડિન્સન્ટ જાળવવા, કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવા અને 45 વર્ષથી વધુ ભાઈઓ- બહેનોને વેક્સીનના ડોઝ લેવા વિનતી કરી છે. જામનગરના શહેરીજનો કોરોના ને હરાવવવા માટે સજ્જડ સ્વયંભૂ બંધ રાખશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કરેલ છે. કોરોનાને નાથવા માટે જામનગરવાસીઓ સહકાર આપે તેવી હદયપૂર્વક વિનતી કરેલ છે ત્યારે આપણે કોરોના નવા કેસો ન વધે તે માટે જામનગર શહેર સ્વયંભૂ ત્રણ દિવસના બંધ પાડી અનેરું ઉદાહરણ બનશે તેવો મને જામનગરના શહેરીજનો ઉપર આત્મવિશ્વાસ છે ચાલો શુક્રવાર. શનિવાર. રવિવારના બંધમાં સહકાર આપી જોડાઈએ. આ બંધ દરમિયાન લોકો બિનજરૂરી અવરજવર ટાળે અને ઘરમાં જ રહે તે જરૂરી છે. મારો સૌ નાગરિકોને અનુરોધ કરેલ છે કે, આ ત્રણ દિવસ બંધ પાળે અને ઘરમાં રહે, તે જ આ દૈત્યને નાથવાનો ઈલાજ છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...