Skip to main content

કોરોનાકાળમાં લીલા નાળિયાર, મોસંબી અને લીંબુના ભાવ આસમાને



જામનગર તા.27:

સરકારોના અનેક પ્રયાસોના અભાવે કોરોનાની મહામારી બેકાબુ બની છે અને લોકો કોરોનાની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે તેવા સમયે મોંઘવારીએ પણ માઝા મુકી છે ખાદ્ય તેલો પછી હવે બિમાર દર્દીઓને ન પરવડે તેવા લીંબુ, નારીયેળ, મોસંબી સહિતના ફળના ભાવો આસમાને પહોંચ્યા છે જાણે માંદગીના સમયે ફળ-ફળાદીઓના વેપારીઓ દ્વારા કાળા બજાર કરવામાં આવતી હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે.

મગફળીની જેમ લીંબુની પણ અછત નથી પણ ભાવ વધારાથી બધા જ લુંટે છે. હાલમાં એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર તરફથી મોંઘવારીનો પણ વિકાસ થવા લાગ્યો છે. જામનગરમાં લીંબુના ભાવ રૂા.150થી 200ના ભાવે વેચાઇ રહ્યા છે. માત્ર લીંબુ જ નહી પરંતુ લીલા નાળિયેરના ભાવ પણ એક જ વીકમાં બમણા કરી દેવાયા છે. જે લીલા નાળિયરે રૂા.25 થી 40માં મળતા હતા. જે આજે રૂા.80 થી 100 સુધી પહોંચી ગયા છે. ગરીબ માણસો માટે મોટી રકમ ગણાય છે. વિટામીન-સી માટે લીલા નાળિયેર પીવાનું સુચવાઇ છે. જેથી પ્રતિ નંગ રૂા.40 વધારાના ચુકવવા પડે છે. લોકોની મજબુરીનો ગેર ફાયદો ઉઠાવવામાં માનવતાને નેવી મુકીને જાણે કોઇ બાકી રહેવા માંગતુ નથી. સરકાર બધુ બરોબર ચાલે છે તેવા મંદમાં રાખી રહી છે.

સીંગતેલમાં કૃત્રિમ ભાવ વધારો પછી સિમેન્ટ, લોખંડમાં 25 ટકા મોંઘા કરી દેવાયા છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર ક્રુડ સસ્તુ થતા વેરાના બોજ ઝીંકી દેવાયો છે. કોરોનાની મહામારી વચ્ચે દર્દીઓને સારવાર માટે થઇને ડોકટરો દ્વારા લીલા નાળિયેર, લીંબુ પાણી, મોસંબી, નારંગી જેવા ફળોનો આહાર લેવાનું કહેવામાં આવે છે. જયારે લીંબુનો ભાવ રૂા.150એ પહોંચ્યો છે. તે જ રીતે મોસંબીનો ભાવ પણ જે રૂા.70 હતો તે વધીને રૂા.140એ પહોંચ્યો છે, લીલા નાળિયેરના ભાવ જે રૂા.40 થી 50 હતા. તે વધીને રૂા.100એ પહોંચ્યા છે. આમ જામનગર શહેરમાં ફળોના ભાવ ભડકે બળે છે અને કોરોનાના દર્દીઓને લીલા નાળિયેર અને લીંબુ શરબત દવાની માફક પીવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.