Skip to main content

કોરોનાકાળમાં લીલા નાળિયાર, મોસંબી અને લીંબુના ભાવ આસમાને



જામનગર તા.27:

સરકારોના અનેક પ્રયાસોના અભાવે કોરોનાની મહામારી બેકાબુ બની છે અને લોકો કોરોનાની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે તેવા સમયે મોંઘવારીએ પણ માઝા મુકી છે ખાદ્ય તેલો પછી હવે બિમાર દર્દીઓને ન પરવડે તેવા લીંબુ, નારીયેળ, મોસંબી સહિતના ફળના ભાવો આસમાને પહોંચ્યા છે જાણે માંદગીના સમયે ફળ-ફળાદીઓના વેપારીઓ દ્વારા કાળા બજાર કરવામાં આવતી હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે.

મગફળીની જેમ લીંબુની પણ અછત નથી પણ ભાવ વધારાથી બધા જ લુંટે છે. હાલમાં એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર તરફથી મોંઘવારીનો પણ વિકાસ થવા લાગ્યો છે. જામનગરમાં લીંબુના ભાવ રૂા.150થી 200ના ભાવે વેચાઇ રહ્યા છે. માત્ર લીંબુ જ નહી પરંતુ લીલા નાળિયેરના ભાવ પણ એક જ વીકમાં બમણા કરી દેવાયા છે. જે લીલા નાળિયરે રૂા.25 થી 40માં મળતા હતા. જે આજે રૂા.80 થી 100 સુધી પહોંચી ગયા છે. ગરીબ માણસો માટે મોટી રકમ ગણાય છે. વિટામીન-સી માટે લીલા નાળિયેર પીવાનું સુચવાઇ છે. જેથી પ્રતિ નંગ રૂા.40 વધારાના ચુકવવા પડે છે. લોકોની મજબુરીનો ગેર ફાયદો ઉઠાવવામાં માનવતાને નેવી મુકીને જાણે કોઇ બાકી રહેવા માંગતુ નથી. સરકાર બધુ બરોબર ચાલે છે તેવા મંદમાં રાખી રહી છે.

સીંગતેલમાં કૃત્રિમ ભાવ વધારો પછી સિમેન્ટ, લોખંડમાં 25 ટકા મોંઘા કરી દેવાયા છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર ક્રુડ સસ્તુ થતા વેરાના બોજ ઝીંકી દેવાયો છે. કોરોનાની મહામારી વચ્ચે દર્દીઓને સારવાર માટે થઇને ડોકટરો દ્વારા લીલા નાળિયેર, લીંબુ પાણી, મોસંબી, નારંગી જેવા ફળોનો આહાર લેવાનું કહેવામાં આવે છે. જયારે લીંબુનો ભાવ રૂા.150એ પહોંચ્યો છે. તે જ રીતે મોસંબીનો ભાવ પણ જે રૂા.70 હતો તે વધીને રૂા.140એ પહોંચ્યો છે, લીલા નાળિયેરના ભાવ જે રૂા.40 થી 50 હતા. તે વધીને રૂા.100એ પહોંચ્યા છે. આમ જામનગર શહેરમાં ફળોના ભાવ ભડકે બળે છે અને કોરોનાના દર્દીઓને લીલા નાળિયેર અને લીંબુ શરબત દવાની માફક પીવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

મુંબઇ ઇન્ડિયનની મહિલા ક્રિકેટ ટીમ જામનગર-રિલાયન્સની મહેમાન

જામનગર તા.3: આઈપીએલ 2025 પહેલા હાલ ઠઙક 2025 રમાઇ રહી છે. તે 14 ફેબ્રુઆરીથી શરૂ થયેલ ઠઙક 2025 એક પછી એક ચડિયાતી મેચ સાથે ફાઇનલ તરફ આગળ વધી રહી છે અને 15 માર્ચે ફાઈનલ મુકાબલો ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ક્રિકેટ ટીમ ગઈકાલે જામનગરની મહેમાન બની હતી. જામનગરમાં હાલ કેટલાક સમયથી સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. સમયાંતરે સેલિબ્રિટીઝ જામનગરના મહેમાન બની રહ્યા છે. તેવામાં ગઈકાલે સાંજે મુંબઈ ઈન્ડિયનની મહિલા ક્રિકેટરની ટીમ જામનગર આવી પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ટીમની કેપ્ટન હરમનપ્રિત કોર, કોચ જુલહન ગોસ્વામી, પ્રિયંકા બાલા સહીતના મહિલા ક્રિકેટરો જામનગરમા પધાર્યા હતા.  જામનગર એરપોર્ટ પર ગઈકાલે સાંજના સમયે આગમન થયું હતું. ત્યારબાદ મહિલા ક્રિકેટરો મોટર માર્ગે જામનગર નજીક આવેલ ખાનગી કંપનીની ટાઉનશીપ ખાતે જવાન રવાના થયા હતા. જે જામનગર અને અંબાણી પરિવારની શાહી મહેમાનગતિ માણસે. આ દરમિયાન તેઓ વિશ્વની અજાયબી સમાન વનતારાની મુલાકાત લઈ શકે છે.