Skip to main content

જામનગરની મોટી વેપારી સંસ્થાઓએ કરી ત્રણ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત



જામનગર તા.14

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના સંક્રમણને લઇને કોરોના બેકાબુ બન્યો છે. આ કોરોનાને કાબુમાં લેવા માટે ગત વર્ષની સરખમાણીમાં સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવતુ નથી. જો કે સ્વૈચ્છીક સંસ્થાઓ, ગામડાઓ અને વિવિધ વેપારી સંસ્થાઓ તેમજ ઔદ્યોગિક સંસ્થાઓ તેમજ ટ્રાન્સપોર્ટ એસોશિએશન સ્વયંમભૂ બંધ પાડીને કોરોનાની ચેઇન તોડવા માટે આગળ આવી રહ્યું છે ત્યારે જામનગર ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને શહેરના જુદા-જુદા એસોશિએશનના પ્રમુખો દ્વારા આજે પત્રકાર પરીષદ યોજીને જામનગર આગામી તા.17,18 અને 19 શુક્ર, શનિ અને રવિવાર એમ ત્રણ દિવસનું સ્વયંભૂ બંધ પાડવાની જાહેરાત કરવામાં આવી છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, સીડઝ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોશિએશનના પ્રમુખ  જીતુભાઇ લાલ, જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઇ તન્ના, જામનગર ફેકટરી ઓનર્સ એસોશિએશના પ્રમુખ લાખાભાઇ કેશવાલા દ્વારા સંયુકત રીતે જામનગરના વેપારીઓ, ઉદ્યોગકારો, ટ્રાન્સપોર્ટ એસોશિએશન સ્વયંભૂ ત્રણ દિવસ બંધમાં જોડાવા અપીલ કરી છે. 

જામનગર શહેર અને જીલ્લામાં જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેને જોતા સરકાર કરે કે ના કરે પણ હવે વેપારીઓ, ગ્રામજનો, સંસ્થાઓ વગેરે આગળ આવી રહ્યા છે અને સ્વયંભુ બંધ પાડી કોરોનાની ચેઈન તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે જામનગર શહેરમાં પણ કોરોનાની ચેઈન તોડવા માટે આગામી શુકવાર શનિવાર અને રવિવાર સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય વેપારી સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યો છે, આજે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ખાતે પ્રમુખ બીપેન્દ્રસિંહ જાડેજા, ધી સીડ્ઝ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોસિયેસન પ્રમુખ જીતુભાઈ લાલ, વેપારી મહામંડળ પ્રમુખ સુરેશ તન્ના, ફેક્ટરી ઓનર્સ એસોસીયેન પ્રમુખ લાખાભાઈ કેશવાલા અને અક્ષતભાઈ વ્યાસે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરીને માહિતી આપતા જણાવ્યું કે આગામી 16 થી 18 એપ્રિલ શુક્રવાર શનિવાર અને રવિવાર જામનગર શહેરના તમામ વ્યાપાર ધંધાઓ સ્વૈછિક બંધ રાખવા વેપારીઓને અપીલ કરવામાં આવી છે સાથે જ લોકો પણ આ બંધને સહકાર આપે તેવી આશા વેપારી આગેવાનો દ્વારા રાખવામાં આવી છે.

જામનગર ગુડઝ ટ્રાન્સપોર્ટ એન્ડ કમિશન એજન્ટ એસોશિએશને પણ ત્રણ દિવસ બંધમાં જોડાવાની જાહેરાત કરતા પ્રમુખ મહાદેવસિંહ રાણાએ જણાવ્યું હતું કે દરેક ટ્રાન્સપોર્ટના સંચાલક ભાઇઓ તેમજ કમિશન એજન્ટો તા.16-17 અને 18 ત્રણ દિવસ સ્વૈચ્છાએ બંધમાં જોડાશે અને દરેક ટ્રાન્સપોર્ટ બુકીંગ ઓફિસો પણ બંધ રાખશે અને ઓફિસ સ્ટાફ સહિત તમામ લોકો કોવિડના વાયરસની ચેઇન તોડવા માટે પોતાના ઘરે રહી અને સહકાર આપશે. આ મહામારીમાં દરેક ટ્રાન્સપોર્ટ કંપની પણ સહયોગ આપે તેવી અપીલ કરાઇ છે. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

રણજીતસાગર ડેમ ઉપર પોલીસના નામે સહેલાણીઓની પજવણી કરતા બે શખ્સોને પાંચ વર્ષની સજા

બે રોડછાપ રોમિયોએ નકલી પોલીસ બની યુવતિના ફોટા પાડી બિભત્સ માંગણી કરેલી: યુવતિ તાબે ન થતાં ફોટા સોશ્યલ મીડિયામાં કર્યા હતાં વાયરલ: જાતિય હુમલાનો ભોગ બનેલ યુવતિને 50 હજારની રકમ વળતર પેટે ચુકવવા જામનગરની અદાલતનો હુકમ જામનગર તા.30 જામનગરના રણજીતસાગર ડેમ પર હરવા-ફરવા આવતા સહેલાણીઓની પજવણી કરતા બે રોડછાપ રોમિયોને જામનગરની અદાલતે પાંચ વર્ષની જેલની સજા અને 50 હજારનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની હકીકત મુજબ રણજીતસાગર નગરજનો માટે ફરવા જવાનું પીકનીક પોઇન્ટ છે. આ પીકનીક પોઇન્ટર પર અવાર-નવાર રોડ રોમિયો દ્વારા નિર્દોષ સ્ત્રીઓ, યુવતિઓને પજવણી કરતી હોવાની રાવ ઉટી છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. જે અનુસાર તા.11/5/20215ના રોજ જામનગર બી.એસ.સી.માં અભ્યાસ કરતી યુવતિનું સગપણ થતાં મંગેતર સાથે રણજીતસાગર પર ફરવા ગઇ હતી. બન્ને જણા રણજીતસાગર ડેમ પર બેઠા હતાં ત્યારે સાંજના ચાર વાગ્યે કારમાં બે રોમિયો આવી અને આ બન્ને 25 થી 30 વર્ષની ઉંમરના હતાં. તેઓએ પોતે પોલીસ હોવાનું જણાવી આ યુવતિ અને તેના મંગેતરને અહીં શું કરવા આવેલા છો? તેમ કહી પૂછપરછ કરવા લાગ્યા હતાં અને બન...