Skip to main content

જામનગરની મોટી વેપારી સંસ્થાઓએ કરી ત્રણ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત



જામનગર તા.14

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના સંક્રમણને લઇને કોરોના બેકાબુ બન્યો છે. આ કોરોનાને કાબુમાં લેવા માટે ગત વર્ષની સરખમાણીમાં સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવતુ નથી. જો કે સ્વૈચ્છીક સંસ્થાઓ, ગામડાઓ અને વિવિધ વેપારી સંસ્થાઓ તેમજ ઔદ્યોગિક સંસ્થાઓ તેમજ ટ્રાન્સપોર્ટ એસોશિએશન સ્વયંમભૂ બંધ પાડીને કોરોનાની ચેઇન તોડવા માટે આગળ આવી રહ્યું છે ત્યારે જામનગર ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને શહેરના જુદા-જુદા એસોશિએશનના પ્રમુખો દ્વારા આજે પત્રકાર પરીષદ યોજીને જામનગર આગામી તા.17,18 અને 19 શુક્ર, શનિ અને રવિવાર એમ ત્રણ દિવસનું સ્વયંભૂ બંધ પાડવાની જાહેરાત કરવામાં આવી છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, સીડઝ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોશિએશનના પ્રમુખ  જીતુભાઇ લાલ, જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઇ તન્ના, જામનગર ફેકટરી ઓનર્સ એસોશિએશના પ્રમુખ લાખાભાઇ કેશવાલા દ્વારા સંયુકત રીતે જામનગરના વેપારીઓ, ઉદ્યોગકારો, ટ્રાન્સપોર્ટ એસોશિએશન સ્વયંભૂ ત્રણ દિવસ બંધમાં જોડાવા અપીલ કરી છે. 

જામનગર શહેર અને જીલ્લામાં જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેને જોતા સરકાર કરે કે ના કરે પણ હવે વેપારીઓ, ગ્રામજનો, સંસ્થાઓ વગેરે આગળ આવી રહ્યા છે અને સ્વયંભુ બંધ પાડી કોરોનાની ચેઈન તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે જામનગર શહેરમાં પણ કોરોનાની ચેઈન તોડવા માટે આગામી શુકવાર શનિવાર અને રવિવાર સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય વેપારી સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યો છે, આજે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ખાતે પ્રમુખ બીપેન્દ્રસિંહ જાડેજા, ધી સીડ્ઝ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોસિયેસન પ્રમુખ જીતુભાઈ લાલ, વેપારી મહામંડળ પ્રમુખ સુરેશ તન્ના, ફેક્ટરી ઓનર્સ એસોસીયેન પ્રમુખ લાખાભાઈ કેશવાલા અને અક્ષતભાઈ વ્યાસે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરીને માહિતી આપતા જણાવ્યું કે આગામી 16 થી 18 એપ્રિલ શુક્રવાર શનિવાર અને રવિવાર જામનગર શહેરના તમામ વ્યાપાર ધંધાઓ સ્વૈછિક બંધ રાખવા વેપારીઓને અપીલ કરવામાં આવી છે સાથે જ લોકો પણ આ બંધને સહકાર આપે તેવી આશા વેપારી આગેવાનો દ્વારા રાખવામાં આવી છે.

જામનગર ગુડઝ ટ્રાન્સપોર્ટ એન્ડ કમિશન એજન્ટ એસોશિએશને પણ ત્રણ દિવસ બંધમાં જોડાવાની જાહેરાત કરતા પ્રમુખ મહાદેવસિંહ રાણાએ જણાવ્યું હતું કે દરેક ટ્રાન્સપોર્ટના સંચાલક ભાઇઓ તેમજ કમિશન એજન્ટો તા.16-17 અને 18 ત્રણ દિવસ સ્વૈચ્છાએ બંધમાં જોડાશે અને દરેક ટ્રાન્સપોર્ટ બુકીંગ ઓફિસો પણ બંધ રાખશે અને ઓફિસ સ્ટાફ સહિત તમામ લોકો કોવિડના વાયરસની ચેઇન તોડવા માટે પોતાના ઘરે રહી અને સહકાર આપશે. આ મહામારીમાં દરેક ટ્રાન્સપોર્ટ કંપની પણ સહયોગ આપે તેવી અપીલ કરાઇ છે. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...