Skip to main content

જામનગરમાં ભગવાન શ્રીરામના જન્મોત્સવની પ્રતિકાત્મક ઉજવણી

પરંપરાગત શ્રીરામ સવારી પણ સતત બીજા વર્ષે આજે નહીં નિકળે



જામનગર તા.21

જામનગરમાં આજે મયાર્દા પુરૂષોતમ ભગવાન શ્રીરામચંદ્રજીના જન્મોત્સવની પ્રતિકાત્મક ઉજવણી કરવામાં આવી હતી. રામ મંદિરોમાં આજે કોવિડ ગાઇડલાઇનને ધ્યાને રાખી ખૂબ જ સિમિત લોકોની હાજરીમાં આરતી કરવામાં આવી હતી. દર વર્ષે નિકળતી શ્રીરામ સવારી (શોભાયાત્રા) પણ આજે યોજાનાર નથી.

આજે ચૈત્રી નવરાત્રીનું આખરી અને નવમું નોરતું છે. આજે મયાર્દા પુરૂષોતમ ભગવાન શ્રીરામનો જન્મદિવસ છે. અયોધ્યા નરેશનો જન્મદિન પણ આજે રામભક્તોએ પોતાના ઘરમાં રહીને જ મનાવવાની ફરજ પડી છે.

કોરોના મહામારીને લીધે શહેરના મોટાભાગના જાણીતા મંદિરો બંધ છે. ખાસ કરીને તળાવની પાળે આવેલ વિશ્ર્વ વિખ્યાત બાલાહનુમાન મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ છે. સામાન્ય રીતે રામનવમી, હનુમાન જયંતિના દિવસે મહાઆરતી યોજાતી હોય છે અને બહોળી સંખ્યામાં ભાવિકો તેમાં ઉપસ્થિત રહેતાં હોય છે. પરંતુ આ વખતે કોરોના મહામારીને લીધે સાર્વજનિક ઉજવણી ઉપર પ્રતિબંધ છે અને ટોળામાં ઉજવણી કરવી પણ યોગ્ય નથી.

આજે ભવાન શ્રીરામચંદ્રજીનો જન્મોત્સવ છે પરંતુ ભાવિકો માટે મંદિરના દ્વાર બંધ હોવાથી નિયમિત દર્શને જતા લોકોએ મંદિરના પગથિયા પાસે ઉભીને મનની આંખોથી દર્શન કરી ધ્વજાને પ્રમાણ કરી પોતાની આસ્થા વ્યક્ત કરી હતી.

આજે બપોરે 12 વાગ્યે શ્રીરામ જન્મોત્સવ નિમિત્તેની પરંપરાગત આરતી સંસ્થાના પૂજારી, ટ્રસ્ટીની મર્યાદિત હાજરીમાં કરવામાં આવી હતી. કોરોના મહામારીને લીધે આ વખતે મંદિરોને સુશોભન પણ કરાયું નથી. બાલાહનુમાન, રામમંદિર, મહાજનવાડી રામમંદિર વિગેરે સ્થળોએ પ્રતિકાત્મક ઉજવણીરૂપે આરતી કરાઇ હતી.

આ ઉપરાંત હિન્દુ ઉત્સવ સમિત્તિ અને મહાદેવહર મિત્ર મંડળ દ્વારા દર વર્ષે યોજાતી ભવ્ય શ્રીરામ સવારી (શોભાયાત્રા)નું આયોજન પણ રદ્દ કરાયેલ છે. ગત્ વર્ષે પણ કોરોનાને કારણે શોભાયાત્રા નિકળી શકી ન હતી. સંસ્થાના સુત્રધાર મહંત શ્રીચત્રભૂજદાસજી અને રાજેશ વ્યાસ (મહાદેવ)એ રામભક્તોને ઘરમાં રહીને જ પૂજા-પાઠ-આરતી કરી કોરોનાની મહામારીથી સૌ મુક્ત થાય તેવી પ્રાર્થના કરવા અનુરોધ કર્યો હતો.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...