Skip to main content

કોરોનાથી કઠણાઇ: જી.જી.માં વેઇટીંગથી એમ્બ્યુલન્સની કતારમાં દર્દીઓની સારવાર



જામનગર તા.19:

જામનગર પંથકમાં કોરોનાએ તમામ રેકોર્ડ ધ્વસ્ત કરી વિક્રમજનક સપાટીએ પહોંચી વિનાશકરૂપ ધારણ કર્યુ છે. આવી સ્થિતિમાં જામનગરની જી.જી.હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઠસોઠસ ભરાતા બેડની સુવિધા ખૂટી પડી છે. હોસ્પિટલમાં 3 થી 5 કલાક સુધીનું લાંબુ વેઇટીંગ હોવાથી ગઇકાલે જી.જી.ના પટાંગણમાં એમ્બ્યુલન્સની કતારો લાગી હતી. કોરોનાની ગંભીર સ્થિતિમાં કણસતા દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવાની ઉપાધી આવી પડી હતી.



જામનગર પંથકમાં કોરોનાની અધોગતિ અને ઉચાટ ચરમસીમાએ પહોંચ્યો છે. મોતના ખૌફ વચ્ચે લોકો જીવી રહ્યા છે. તેવામાં શનિવાર અને રવિવારની રાતે જામનગર શહેર જિલ્લામાં કોરોનાનો વિકરાળ પંજો પ્રસરી વળ્યો હોઇ તેમ 48 કલાકમાં 130થી પણ વધુ દર્દીઓ મોતના મુખમાં ધકેલાતા હાહાકાર મચી ગયો હતો. દિવસ-રાત હડિયાપટ્ટી કરતી એમ્બ્યુલન્સોથી જી.જી.સહિતની હોસ્પિટલોમાં ખાટલા, ઓક્સિઝન, ઇન્જેકશનની વ્યવસ્થા ખુટી પડી છે. 

જામનગરની જી.જી.હોસ્પિટલમાં ઓક્સિજન કે વેન્ટલેટરવાળા બેડ ખાની ન હોવાથી કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓને મુશ્કેલીનો કોઇ પાર નથી  હોસ્પિલમાં બેડના અભાવે 3 થી 5 કલાક જેટલું લાંબું વેઇટીંગ જોવા મળી રહ્યું છે. વધુમાં અમુક એમ્બ્યુલન્સો મૃતદેહોની હેરફેરમાં જયાએ અમુક એમ્બ્યુલન્સો દર્દીઓની હેરફેરમાં રોકાઇ હોવાથી એમ્બ્યુલન્સ મેળવવામાં પણ 2 થી 3 કલાકનું વેઇટીંગ જોવા મળી રહ્યું છે. હોસ્પિટલમાં વેઇટીંગ સહિતની વિકટ પરિસ્થિતિને પગલે ગઇકાલે જી.જી.માં એમ્બ્યુલન્સની રીતસરની કતારો જોવા મળી હતી. હોસ્પિટલમાં જગ્યા ન હોવાથી જીવન મરણ વચ્ચે જોલા ખાતા લાચાર દર્દીઓ માથે આફતના વાદળો ઘેરાયા હતા. આથી હોસ્પિટલના ડોકટરો અને મેડિકલ સ્ટાફે મુશ્કેલીની ગંભીરતાને ધ્યાને લઇ એમ્બ્યુલનસમાં જ તાબડતોબ સારવાર શરૂ કરી દર્દીઓને મુશ્કેલીમાંથી હેમખેમ ઉગારવા પ્રયાસો હાથ ધર્યા હતા. આવે તેવી કપરી સ્થિતિ: કણસતા દર્દીઓ, લાચાર પરિવારજનો

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...