Skip to main content

કોરોનાથી કઠણાઇ: જી.જી.માં વેઇટીંગથી એમ્બ્યુલન્સની કતારમાં દર્દીઓની સારવાર



જામનગર તા.19:

જામનગર પંથકમાં કોરોનાએ તમામ રેકોર્ડ ધ્વસ્ત કરી વિક્રમજનક સપાટીએ પહોંચી વિનાશકરૂપ ધારણ કર્યુ છે. આવી સ્થિતિમાં જામનગરની જી.જી.હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઠસોઠસ ભરાતા બેડની સુવિધા ખૂટી પડી છે. હોસ્પિટલમાં 3 થી 5 કલાક સુધીનું લાંબુ વેઇટીંગ હોવાથી ગઇકાલે જી.જી.ના પટાંગણમાં એમ્બ્યુલન્સની કતારો લાગી હતી. કોરોનાની ગંભીર સ્થિતિમાં કણસતા દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવાની ઉપાધી આવી પડી હતી.



જામનગર પંથકમાં કોરોનાની અધોગતિ અને ઉચાટ ચરમસીમાએ પહોંચ્યો છે. મોતના ખૌફ વચ્ચે લોકો જીવી રહ્યા છે. તેવામાં શનિવાર અને રવિવારની રાતે જામનગર શહેર જિલ્લામાં કોરોનાનો વિકરાળ પંજો પ્રસરી વળ્યો હોઇ તેમ 48 કલાકમાં 130થી પણ વધુ દર્દીઓ મોતના મુખમાં ધકેલાતા હાહાકાર મચી ગયો હતો. દિવસ-રાત હડિયાપટ્ટી કરતી એમ્બ્યુલન્સોથી જી.જી.સહિતની હોસ્પિટલોમાં ખાટલા, ઓક્સિઝન, ઇન્જેકશનની વ્યવસ્થા ખુટી પડી છે. 

જામનગરની જી.જી.હોસ્પિટલમાં ઓક્સિજન કે વેન્ટલેટરવાળા બેડ ખાની ન હોવાથી કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓને મુશ્કેલીનો કોઇ પાર નથી  હોસ્પિલમાં બેડના અભાવે 3 થી 5 કલાક જેટલું લાંબું વેઇટીંગ જોવા મળી રહ્યું છે. વધુમાં અમુક એમ્બ્યુલન્સો મૃતદેહોની હેરફેરમાં જયાએ અમુક એમ્બ્યુલન્સો દર્દીઓની હેરફેરમાં રોકાઇ હોવાથી એમ્બ્યુલન્સ મેળવવામાં પણ 2 થી 3 કલાકનું વેઇટીંગ જોવા મળી રહ્યું છે. હોસ્પિટલમાં વેઇટીંગ સહિતની વિકટ પરિસ્થિતિને પગલે ગઇકાલે જી.જી.માં એમ્બ્યુલન્સની રીતસરની કતારો જોવા મળી હતી. હોસ્પિટલમાં જગ્યા ન હોવાથી જીવન મરણ વચ્ચે જોલા ખાતા લાચાર દર્દીઓ માથે આફતના વાદળો ઘેરાયા હતા. આથી હોસ્પિટલના ડોકટરો અને મેડિકલ સ્ટાફે મુશ્કેલીની ગંભીરતાને ધ્યાને લઇ એમ્બ્યુલનસમાં જ તાબડતોબ સારવાર શરૂ કરી દર્દીઓને મુશ્કેલીમાંથી હેમખેમ ઉગારવા પ્રયાસો હાથ ધર્યા હતા. આવે તેવી કપરી સ્થિતિ: કણસતા દર્દીઓ, લાચાર પરિવારજનો

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની વિક્રમજનક 30000 મણ આવક

માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા  નવી  જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી. આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર  હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.