Skip to main content

કોરોનાથી કઠણાઇ: જી.જી.માં વેઇટીંગથી એમ્બ્યુલન્સની કતારમાં દર્દીઓની સારવાર



જામનગર તા.19:

જામનગર પંથકમાં કોરોનાએ તમામ રેકોર્ડ ધ્વસ્ત કરી વિક્રમજનક સપાટીએ પહોંચી વિનાશકરૂપ ધારણ કર્યુ છે. આવી સ્થિતિમાં જામનગરની જી.જી.હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઠસોઠસ ભરાતા બેડની સુવિધા ખૂટી પડી છે. હોસ્પિટલમાં 3 થી 5 કલાક સુધીનું લાંબુ વેઇટીંગ હોવાથી ગઇકાલે જી.જી.ના પટાંગણમાં એમ્બ્યુલન્સની કતારો લાગી હતી. કોરોનાની ગંભીર સ્થિતિમાં કણસતા દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવાની ઉપાધી આવી પડી હતી.



જામનગર પંથકમાં કોરોનાની અધોગતિ અને ઉચાટ ચરમસીમાએ પહોંચ્યો છે. મોતના ખૌફ વચ્ચે લોકો જીવી રહ્યા છે. તેવામાં શનિવાર અને રવિવારની રાતે જામનગર શહેર જિલ્લામાં કોરોનાનો વિકરાળ પંજો પ્રસરી વળ્યો હોઇ તેમ 48 કલાકમાં 130થી પણ વધુ દર્દીઓ મોતના મુખમાં ધકેલાતા હાહાકાર મચી ગયો હતો. દિવસ-રાત હડિયાપટ્ટી કરતી એમ્બ્યુલન્સોથી જી.જી.સહિતની હોસ્પિટલોમાં ખાટલા, ઓક્સિઝન, ઇન્જેકશનની વ્યવસ્થા ખુટી પડી છે. 

જામનગરની જી.જી.હોસ્પિટલમાં ઓક્સિજન કે વેન્ટલેટરવાળા બેડ ખાની ન હોવાથી કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓને મુશ્કેલીનો કોઇ પાર નથી  હોસ્પિલમાં બેડના અભાવે 3 થી 5 કલાક જેટલું લાંબું વેઇટીંગ જોવા મળી રહ્યું છે. વધુમાં અમુક એમ્બ્યુલન્સો મૃતદેહોની હેરફેરમાં જયાએ અમુક એમ્બ્યુલન્સો દર્દીઓની હેરફેરમાં રોકાઇ હોવાથી એમ્બ્યુલન્સ મેળવવામાં પણ 2 થી 3 કલાકનું વેઇટીંગ જોવા મળી રહ્યું છે. હોસ્પિટલમાં વેઇટીંગ સહિતની વિકટ પરિસ્થિતિને પગલે ગઇકાલે જી.જી.માં એમ્બ્યુલન્સની રીતસરની કતારો જોવા મળી હતી. હોસ્પિટલમાં જગ્યા ન હોવાથી જીવન મરણ વચ્ચે જોલા ખાતા લાચાર દર્દીઓ માથે આફતના વાદળો ઘેરાયા હતા. આથી હોસ્પિટલના ડોકટરો અને મેડિકલ સ્ટાફે મુશ્કેલીની ગંભીરતાને ધ્યાને લઇ એમ્બ્યુલનસમાં જ તાબડતોબ સારવાર શરૂ કરી દર્દીઓને મુશ્કેલીમાંથી હેમખેમ ઉગારવા પ્રયાસો હાથ ધર્યા હતા. આવે તેવી કપરી સ્થિતિ: કણસતા દર્દીઓ, લાચાર પરિવારજનો

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

મુંબઇ ઇન્ડિયનની મહિલા ક્રિકેટ ટીમ જામનગર-રિલાયન્સની મહેમાન

જામનગર તા.3: આઈપીએલ 2025 પહેલા હાલ ઠઙક 2025 રમાઇ રહી છે. તે 14 ફેબ્રુઆરીથી શરૂ થયેલ ઠઙક 2025 એક પછી એક ચડિયાતી મેચ સાથે ફાઇનલ તરફ આગળ વધી રહી છે અને 15 માર્ચે ફાઈનલ મુકાબલો ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ક્રિકેટ ટીમ ગઈકાલે જામનગરની મહેમાન બની હતી. જામનગરમાં હાલ કેટલાક સમયથી સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. સમયાંતરે સેલિબ્રિટીઝ જામનગરના મહેમાન બની રહ્યા છે. તેવામાં ગઈકાલે સાંજે મુંબઈ ઈન્ડિયનની મહિલા ક્રિકેટરની ટીમ જામનગર આવી પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ટીમની કેપ્ટન હરમનપ્રિત કોર, કોચ જુલહન ગોસ્વામી, પ્રિયંકા બાલા સહીતના મહિલા ક્રિકેટરો જામનગરમા પધાર્યા હતા.  જામનગર એરપોર્ટ પર ગઈકાલે સાંજના સમયે આગમન થયું હતું. ત્યારબાદ મહિલા ક્રિકેટરો મોટર માર્ગે જામનગર નજીક આવેલ ખાનગી કંપનીની ટાઉનશીપ ખાતે જવાન રવાના થયા હતા. જે જામનગર અને અંબાણી પરિવારની શાહી મહેમાનગતિ માણસે. આ દરમિયાન તેઓ વિશ્વની અજાયબી સમાન વનતારાની મુલાકાત લઈ શકે છે.