Skip to main content

સૌરાષ્ટ્રમાં કોરોનાના કહેરને લઇને દર્દીઓનો પ્રવાહ સારવાર માટે જામનગર તરફ વળ્યો

જામનગરની સરકારી હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓ ઉભરાયા: ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે બેડ ખૂટી પડયા




જામનગર તા.10:

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતુ જાય છે સાથે સાથે  ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસો ગંભીર રીતે વધી રહ્યા છે. જામનગર ઉપરાંત મોરબી, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિતના જિલ્લામાંથી પણ કોરોનાના દર્દીઓ સારવાર માટે જામનગર આવતા હોય જામનગરની સરકારી હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલોના પણ દરવાજા બંધ કરી દેવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જામનગરની ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઇ ગઇ છે.

મોરબી અને રાજકોટ જિલ્લામા હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ભરાઇ ગયા બાદ હવે દર્દીઓનો પ્રવાહ સારવાર માટે થઇને જામનગર તરફ વળ્યો છે. જેને લીધે મોરબી અને રાજકોટ જિલ્લાના અનેક કોરોનાના દર્દીઓ જામનગરની  જી.જી.કોવિડ હોસ્પિટલમાં સારવાર મેળવવા દાખલ થયા છે. જેને લીધે જી.જી.હોસ્પિટલમાં સારવાર માટેના બેડ પણ ઘટી પડતા  હવે આયુર્વેદીક હોસ્પિટલમાં સારવાર માટે થઇને દર્દીઓને ખસેડવામાં આવી રહ્યા છે. સરકારી હોસ્પિટલોમાં બેડની ઘટને લઇને હવે લોકો સારવાર માટે થઇને જામનગરની ખાનગી કોવિડ હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટર તરફ દર્દીઓનો પ્રવાહ વધ્યો છે. 

આમ જામનગરની સરકારી હોસ્પિટલ બાદ હવે જામનગરની ખાનગી કોવિડ હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરોના બેડ પણ સારવારના ભરાઇ ચુકયા હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વની વાત એ છે કે, કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે ઓકિસજનની સાથે સાથે વેન્ટીલેટરની સુવિધા પણ જરૂરી બની છે. સાથે સાથે કોરોનાના દર્દીની સારવાર માટે નિષ્ણાંત તબીબ અને નર્સીગ સ્ટાફની પણ જરૂરીયાત રહે છે. આવા સમયે જામનગરની ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે મોરબી, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને જુનાગઢ જિલ્લા સહિતના કોરોનાના દર્દીઓ સારવાર અર્થે દાખલ થઇ રહ્યા છે. જેને લઇને હવે ખાનગી કોવિડ હોસ્પિટલો અને કોવિડ સેન્ટરોમાં પણ કોરોનાના દર્દીઓની સારવાર માટે બેડ ન હોવાનો હોસ્પિટલના સંચાલકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. આમ કોરોનાનો કહેરના લીધે ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઇ રહી છે અત્યારથી જ કોવિડ હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓ માટેના વેન્ટીલેટરોથી સજજ તેમજ ઓકિસજથી સારવાર આપવા માટે થઇને જે ખાનગી હોસ્પિટલો છે તેમા તો હાલ વેઇટીંગ લીસ્ટ ચાલી રહ્યું છે. હાલમાં માત્ર કોવિડ કેર સેન્ટરો પણ હવે દર્દીઓની સારવાર માટે બંધ કરવા પડે તે રીતે દર્દીઓનો પ્રવાહ વધ્યો છે.

જામનગરની સ્વામીનારાયણ કોવિડ હોસ્પિટલ, ક્રિટીકલ કોવિડ હોસ્પિટલ, સમર્પણ હોસ્પિટલ, શ્રધ્ધા હોસ્પિટલ સહિતની ખાનગી હોસ્પિટલોમાં હવે દર્દીઓની લાઇન દાખલ થવા માટે થઇને શરૂ થઇ ગઇ છે. ત્યારે દર્દીઓએ જામનગર આવતા પહેલા હોસ્પિટલોની સાથે સંપર્ક કરીને જ આવવું જરૂરી બન્યું છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

રણજીતસાગર ડેમ ઉપર પોલીસના નામે સહેલાણીઓની પજવણી કરતા બે શખ્સોને પાંચ વર્ષની સજા

બે રોડછાપ રોમિયોએ નકલી પોલીસ બની યુવતિના ફોટા પાડી બિભત્સ માંગણી કરેલી: યુવતિ તાબે ન થતાં ફોટા સોશ્યલ મીડિયામાં કર્યા હતાં વાયરલ: જાતિય હુમલાનો ભોગ બનેલ યુવતિને 50 હજારની રકમ વળતર પેટે ચુકવવા જામનગરની અદાલતનો હુકમ જામનગર તા.30 જામનગરના રણજીતસાગર ડેમ પર હરવા-ફરવા આવતા સહેલાણીઓની પજવણી કરતા બે રોડછાપ રોમિયોને જામનગરની અદાલતે પાંચ વર્ષની જેલની સજા અને 50 હજારનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની હકીકત મુજબ રણજીતસાગર નગરજનો માટે ફરવા જવાનું પીકનીક પોઇન્ટ છે. આ પીકનીક પોઇન્ટર પર અવાર-નવાર રોડ રોમિયો દ્વારા નિર્દોષ સ્ત્રીઓ, યુવતિઓને પજવણી કરતી હોવાની રાવ ઉટી છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. જે અનુસાર તા.11/5/20215ના રોજ જામનગર બી.એસ.સી.માં અભ્યાસ કરતી યુવતિનું સગપણ થતાં મંગેતર સાથે રણજીતસાગર પર ફરવા ગઇ હતી. બન્ને જણા રણજીતસાગર ડેમ પર બેઠા હતાં ત્યારે સાંજના ચાર વાગ્યે કારમાં બે રોમિયો આવી અને આ બન્ને 25 થી 30 વર્ષની ઉંમરના હતાં. તેઓએ પોતે પોલીસ હોવાનું જણાવી આ યુવતિ અને તેના મંગેતરને અહીં શું કરવા આવેલા છો? તેમ કહી પૂછપરછ કરવા લાગ્યા હતાં અને બન...