Skip to main content

ઇન્દિરા માર્ગ પર વૃક્ષછેદનથી ફલાઇઓવર બ્રિજ પ્રોજેકટના શ્રીગણેશ



જામનગર તા.3:

જામનગર મહાનગરપાલિકા દ્વારા 198 કરોડના ખર્ચે શહેરનો પ્રથમ ફાઇ ઓવર બ્રિજ બનાવવા અંગેનું આયોજન ઘડી કઢાયું છે. જે અંગે તાજેતરમાં સ્ટેન્ડીંગ કમિટિ દ્વારા લાઇનદોરીની દરખાસ્તને મંજૂરી મળતાની સાથે જ તંત્ર દ્વારા લાઇનદોરીમાં નડતરરૂપ વૃક્ષછેદનથી આ પ્રોજેકટની અમલવારીના શ્રીગણેશ કરાયા છે.

ટ્રાફિકથી ભરચકક ઇન્દિરા માર્ગ ઉપરના ટ્રાફિકનું ભારણ ઘટાડવા તંત્ર દ્વારા ફલાઇ ઓવર બ્રિજ નિમાર્ણ અંગે આયોજન હાથ ધરાયું છે. શહેરના નેતાજી સુભાષચંદ્ર બોઝ બ્રીજથી સાત રસ્તા સુધીના સાડા ત્રણ કિ.મી. લંબાઇના સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફલાઇ ઓવરબ્રિજની લાઇન દોરી અંગેની દરખાસ્તને તાજેતરમાં મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિ દ્વારા મંજૂરીની મહોર લગાવવામાં આવી છે. મંજૂરી બાદ ફલાઇ ઓવર પ્રોજેકટની પ્રથમ ચરણની કામગીરીના ભાગરૂપે તંત્ર દ્વારા નડતરરૂપ લીલાછમ અને ઘટાટોપ વૃક્ષ છેદનથી પ્રોજેકટનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. મુખ્ય રોડના એક પડખામાંથી નડતરરૂપ વૃક્ષના કટીંગ બાદ સામેની સાઇડમાં વૃક્ષોનું કટીંગ હાથ ધરાશે.

બળબળતા ઉનાળામાં તંત્ર દ્વારા વૃક્ષો હટાવવાનું કામ હાથ ધરાતા અસંખ્ય પક્ષીઓ આસરા વિહોણા થશે ! આથી પર્યાવરણપ્રેમીઓમાં રજ તો છે જ પરંતુ ફલાઇઓવર બ્રિજની કામગીરી આ નડતરરૂપ વૃક્ષો હટાવ્યા વગર શકય જ નથી.  નડતરરૂપ વૃક્ષો કાપવા તે જરૂરી હોય તો શહેરમાં પર્યાવરણનું સંતુલન જાળવવા સરકારના નિયમ મુજબ બે ગણા વૃક્ષો વાવવા તે પણ મહાનગરપાલિકાની ફરજમાં આવે છે. તો તંત્ર પોતાની આ ફરજમાં પાછીપાની ન કરી નિયમ મુજબ જેટલા વૃક્ષો કપાય તેની સામે બે ગણા વૃક્ષોનું વાવેતર અને જાળવણી કરે તે પણ આવશ્યક બાબત છે. 

મહત્વનું છે કે, શહેરમાં સિમેન્ટ, ક્રોંક્રેટના જંગલોને પાપે ઉનાળાના પ્રારંભથી જ ગરમી ભૂક્કા બોલાવી રહી છે. તો વિકાસના નામે વધુ વૃક્ષોનો વિનાશ કરાશે તો આવનારા દિવસોમાં ગરમીની કલ્પના માત્રથી પણ બિહામણું ચિત્ર ઉભું થાય છે. આથી તંત્ર વૃક્ષારોપણમાં નૈતિકતા દાખવે તેવી પ્રકૃતિપ્રેમીઓમાં માંગ ઉઠી છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...