Skip to main content

ઇન્દિરા માર્ગ પર વૃક્ષછેદનથી ફલાઇઓવર બ્રિજ પ્રોજેકટના શ્રીગણેશ



જામનગર તા.3:

જામનગર મહાનગરપાલિકા દ્વારા 198 કરોડના ખર્ચે શહેરનો પ્રથમ ફાઇ ઓવર બ્રિજ બનાવવા અંગેનું આયોજન ઘડી કઢાયું છે. જે અંગે તાજેતરમાં સ્ટેન્ડીંગ કમિટિ દ્વારા લાઇનદોરીની દરખાસ્તને મંજૂરી મળતાની સાથે જ તંત્ર દ્વારા લાઇનદોરીમાં નડતરરૂપ વૃક્ષછેદનથી આ પ્રોજેકટની અમલવારીના શ્રીગણેશ કરાયા છે.

ટ્રાફિકથી ભરચકક ઇન્દિરા માર્ગ ઉપરના ટ્રાફિકનું ભારણ ઘટાડવા તંત્ર દ્વારા ફલાઇ ઓવર બ્રિજ નિમાર્ણ અંગે આયોજન હાથ ધરાયું છે. શહેરના નેતાજી સુભાષચંદ્ર બોઝ બ્રીજથી સાત રસ્તા સુધીના સાડા ત્રણ કિ.મી. લંબાઇના સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફલાઇ ઓવરબ્રિજની લાઇન દોરી અંગેની દરખાસ્તને તાજેતરમાં મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિ દ્વારા મંજૂરીની મહોર લગાવવામાં આવી છે. મંજૂરી બાદ ફલાઇ ઓવર પ્રોજેકટની પ્રથમ ચરણની કામગીરીના ભાગરૂપે તંત્ર દ્વારા નડતરરૂપ લીલાછમ અને ઘટાટોપ વૃક્ષ છેદનથી પ્રોજેકટનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. મુખ્ય રોડના એક પડખામાંથી નડતરરૂપ વૃક્ષના કટીંગ બાદ સામેની સાઇડમાં વૃક્ષોનું કટીંગ હાથ ધરાશે.

બળબળતા ઉનાળામાં તંત્ર દ્વારા વૃક્ષો હટાવવાનું કામ હાથ ધરાતા અસંખ્ય પક્ષીઓ આસરા વિહોણા થશે ! આથી પર્યાવરણપ્રેમીઓમાં રજ તો છે જ પરંતુ ફલાઇઓવર બ્રિજની કામગીરી આ નડતરરૂપ વૃક્ષો હટાવ્યા વગર શકય જ નથી.  નડતરરૂપ વૃક્ષો કાપવા તે જરૂરી હોય તો શહેરમાં પર્યાવરણનું સંતુલન જાળવવા સરકારના નિયમ મુજબ બે ગણા વૃક્ષો વાવવા તે પણ મહાનગરપાલિકાની ફરજમાં આવે છે. તો તંત્ર પોતાની આ ફરજમાં પાછીપાની ન કરી નિયમ મુજબ જેટલા વૃક્ષો કપાય તેની સામે બે ગણા વૃક્ષોનું વાવેતર અને જાળવણી કરે તે પણ આવશ્યક બાબત છે. 

મહત્વનું છે કે, શહેરમાં સિમેન્ટ, ક્રોંક્રેટના જંગલોને પાપે ઉનાળાના પ્રારંભથી જ ગરમી ભૂક્કા બોલાવી રહી છે. તો વિકાસના નામે વધુ વૃક્ષોનો વિનાશ કરાશે તો આવનારા દિવસોમાં ગરમીની કલ્પના માત્રથી પણ બિહામણું ચિત્ર ઉભું થાય છે. આથી તંત્ર વૃક્ષારોપણમાં નૈતિકતા દાખવે તેવી પ્રકૃતિપ્રેમીઓમાં માંગ ઉઠી છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની વિક્રમજનક 30000 મણ આવક

માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા  નવી  જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી. આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર  હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.