Skip to main content

જામનગરની કોવિડ હોસ્પિટલમાં વધુ 80 દર્દીના મોત

કોરોના કાળના 375 દિવસના સમયગાળા દરમ્યાન 24 કલાકમાં થયેલા કોરોના સંક્રમિત દર્દીના મૃત્યુંની સૌથી વધુ સંખ્યા નોંધાઇ: છેલ્લા 15 દિવસમાં 450થી વધુ દર્દીઓના મૃત્યું: મોતનું તાંડવ ગંભીર માત્રામાં ચાલુ રહેતા હોસ્પિટલ પરિસરમાં વાતાવરણ ગમગીન: દર 15થી 20 મીનીટે એક દર્દીએ દમ તોડયો



જામનગર તા.15:

જામનગરની કોવિડ હોસ્પિટલમાં આજે બપોરે 12 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાક દરમ્યાન 80 દર્દીના મૃત્યું થયાનું જાણવા મળે છે. ત્રણ દિવસ બાદ કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યુની સંખ્યામાં ગઇકાલે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યા બાદ આજે ફરી દર્દીના મોતની સંખ્યામાં ઉછાળો આવ્યો હતો. 

ગઇકાલના બપોરે 12 વાગ્યાથી આજે બપોરના 12 વાગ્યા સુધીના 24 કલાક દરમ્યાન કોવિડ હોસ્પિટલમાં મૃત્યું પામેલા વધુ 35 દર્દીના મૃતદેહ આદર્શ સ્મશાનગૃહ ખાતે અંતિમવિધિ માટે પહોંચી ચુકયા છે. જયારે 30 વધુ દર્દીના મૃતદેહોને તેમના પરિજનોની ઇચ્છાથી મોરબી-રાજકોટ જિલ્લામાં તેમના ગામ રવાના કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત અન્ય 15 જેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર અન્ય બે સ્મશાનગૃહોમાં કરાવવાની તજવીજ ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

જે મૃતકોની અંતિમવિધિ આદર્શ સ્મશાનગૃહ ખાતે થઇ ચુકી છે. તેમાં પ્રેમજીભાઇ મહાદેવભાઇ પટેલ (મોરબી), કરસ્તુરબેન સોનગરા (મચ્છુ બેરાજા), લાલજીભાઇ છત્રોડા (મોરબી), સવિતાબેન નાથાભાઇ પ્રાગડા (ઠેબા), બાબુભાઇ ગોકળભાઇ રૂપાપરા (રાજકોટ), સંતોષબેન વાઘેલા (જામનગર), દેયારામ નારણભાઇ દામા (જામનગર), નરેન્દ્ર હિમ્મતલાલ દવે (જામનગર), સરમિષ્ટાબેન  ન્યાલચંદભાઇ વઢવાણા (રાજકોટ), પ્રવિણભાઇ હિરપરા (જામનગર), અશ્ર્વિનભાઇ છાપીયા (જામનગર), પ્રફુલાબેન ધર્મેન્દ્રભાઇ મકીમ (જામનગર), હંસાબેન છગનભાઇ વાઘાણી (રાજકોટ), જમનભાઇ પરષોત્તમભાઇ રાઠોડ (ભાણવડ), ઉકાભાઇ જીવાભાઇ ડાભી (મોરબી), ભગવાનજી કરમશી પટેલ (જામનગર), નૈમિષ હર્ષદ મહેતા (જામનગર), જસવંતીબેન કાંતીલાલ થાનકી (જામનગર), શામજીભાઇ ડાયાભાઇ પરમાર (જામ દુધઇ), રમેશ ગૌરધન મણવર (જામજોધપુર), વિમલકુમાર પ્રવિણચંદ્ર દવે (મોરબી), ઈન્દિરાબેન ભુપેન્દ્રભાઇ વાળા (જામનગર), થોભણભાઇ ગંગારામ પટેલ (મોરબી) અને જેમલભાઇ વજાભાઇ હુણ (મકનસર)નો સમાવેશ થાય છે. આ તમામ દર્દીઓના અંતિમ સંસ્કાર થઇ ચુકયા છે.

આ ઉપરાંત જામનગર જિલ્લા સિવાયના મોરબી અને રાજકોટ તથા અન્ય જિલ્લાના વધુ 30 જેટલા દર્દીઓની ડેડ બોડી તેમના પરિવારજનોના ઇચ્છાથી તેમના ગામ રવાના કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આમ આજે બપોર સુધીના છેલ્લા 24 કલાકમાં જામનગરની કોવિડ હોસ્પિટલમાં 80 દર્દીઓના મૃત્યું નિપજ્યા હતા. જામનગરની કોવિડ હોસ્પિટલમાં મોતનો સીલસીલો સતત ચાલુ છે. ગઇકાલે બપોર પહેલાના 24 કલાકમાં 45 દર્દીઓના મૃત્યું નિપજ્યા હતા.

જામનગરની કોવિડ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસ દરમ્યાન 450થી વધુ દર્દીઓના મૃત્યું નિપજ્યા છે. જેમાં એક અંદાજ મુજબ 35 થી 40 ટકા જેટલા દર્દીઓ અન્ય જિલ્લાના હોવાનું જાણવા મળે છે.  

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...