Skip to main content

જામનગરમાં બે દિવસમાં 70 થી વધુ કોરોના સંક્રમિત દર્દીના મૃત્યું

જામનગર જિલ્લા બહારના 30 જેટલા મૃત્તદેહોને તેમના ગામ મોકલાયા



જામનગર તા.12

જામનગરની કોવિડ હોસ્પિટલમાં છેલ્લા 48 કલાક દરમિયાન 70 થી વધુ દર્દીઓના મૃત્યું નિપજ્યા હોવાનું જાણવા મળે છે. આ મૃત્તકોમાં એલ.આઇ.સી.ના એક કર્મચારી, એક નિવૃત્તા બેંક મેનેજરનો સમાવેશ થાય છે. જો કે બહારગામના 30થી વધુ મૃત્તકોની બોડી તેમના ગામ લઇ જવામાં આવી હતી. જ્યારે ત્રણ મુસ્લિમ મૃત્તકોની અંતિમવિધી તેની જમાતના કબ્રસ્તાનમાં કરાઇ હતી.

જામનગરની કોવિડ હોસ્પિટલમાં 40 ટકા જેટલા જામનગર જિલ્લા સિવાયના દર્દીઓ સારવાર માટે દાખલ છે. 250 જેટલા દર્દીઓ હજુ પણ ગંભીર છે. જેમાં 100 જેટલા દર્દીઓ મોરબી અને રાજકોટ જિલ્લાના છે.

શનિવારના બપોરના 12 વાગ્યાથી આજે બપોરના 12 વાગ્યા સુધીના છેલ્લા 48 કલાક દરમિયાન જામનગરની કોવિડ હોસ્પિટલમાં 70 થી વધુ દર્દીઓના મૃત્યું થયા હોવાનું જાણવા મળે છે. આ મૃત્તકોમાં પણ 40 થી 45 ટકા દર્દીઓ જામનગર સિવાયના છે.

જામનગરના આદર્શ સ્મશાનગૃહ ખાતે શનિવાર બપોર બાદ જે મૃત્તકોના મૃત્તદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તેમાં વિજયભાઇ ડાંગરિયા (રે.મોટાવડાળા), ધર્મેશ નિમાવત (રે.મોરબી), ચંદુલાલ મણીલાલ પાંઉ (રે.લાંબા), નિલમબેન ચંદુલાલ ભટ્ટ (રે.જામનગર), નર્મદાબેન મણીલાલ સોલંકી (રે.પોરબંદર), ભારતીબેન બાબુલાલ ધુમલિયા (રે.મોરબી), હિંમતલાલ વિઠ્ઠલદાસ ભોજાણી (રે.મોરબી), રાજેન્દ્રસિંહ દિલુભા જાડેજા (રે.ધ્રાફા), મુક્તાબેન વલ્લભભાઇ પીઠવા (રે.ઉપલેટા), કમળાબેન લાલજીભાઇ કટેશિયા (રે.મોરબી), જીતેશ જેરામભાઇ ઠુમ્મર (રે.ગોંડલ), પ્રભાત રાણાભાઇ લોખીલ (રે.મોટા થાવરિયા), રઘુવીરસિંહ પંચાણજી જાડેજા (રે.જામનગર), ચેતન અમૃતલાલ માલદે (રે.જામનગર), સુરેશગર ગોસાઇ (રે.જામનગર), દિપક લવજીભાઇ ભોરણિયા (રે.મોરબી), ઘનશ્યામ શાંતિલાલ પંડ્યા (રે.જામનગર), સુરેશકુમાર લાલજીભાઇ પરમાર (રે.જામનગર), રમાબેન કિશોરભાઇ જાની (રે.જાની), સતિષભાઇ રમણીભાઇ ડોડિયા (રે.જામનગર), બાબુભાઇ જેઠાભાઇ હિરાણી (રે.જામનગર) અને જ્યોત્સનાબેન ભગવાનજીભાઇ મેંદપરા (રે.પીઠડ, જોડિયા) નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ત્રણ મુસ્લિમ દર્દીઓની દફનવિધી સંબંધિત જમાતના કબ્રસ્તાન ખાતે કરવામાં આવી હતી. જ્યારે 30થી વધુ દર્દીઓના મૃત્તદેહોને જિલ્લા બહાર તેમના ગામ લઇ જવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. જ્યારે કેટલાંક મૃત્તકોની અંતિમવિધી હજુ બાકી હોવાનું જાણવા મળે છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

રણજીતસાગર ડેમ ઉપર પોલીસના નામે સહેલાણીઓની પજવણી કરતા બે શખ્સોને પાંચ વર્ષની સજા

બે રોડછાપ રોમિયોએ નકલી પોલીસ બની યુવતિના ફોટા પાડી બિભત્સ માંગણી કરેલી: યુવતિ તાબે ન થતાં ફોટા સોશ્યલ મીડિયામાં કર્યા હતાં વાયરલ: જાતિય હુમલાનો ભોગ બનેલ યુવતિને 50 હજારની રકમ વળતર પેટે ચુકવવા જામનગરની અદાલતનો હુકમ જામનગર તા.30 જામનગરના રણજીતસાગર ડેમ પર હરવા-ફરવા આવતા સહેલાણીઓની પજવણી કરતા બે રોડછાપ રોમિયોને જામનગરની અદાલતે પાંચ વર્ષની જેલની સજા અને 50 હજારનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની હકીકત મુજબ રણજીતસાગર નગરજનો માટે ફરવા જવાનું પીકનીક પોઇન્ટ છે. આ પીકનીક પોઇન્ટર પર અવાર-નવાર રોડ રોમિયો દ્વારા નિર્દોષ સ્ત્રીઓ, યુવતિઓને પજવણી કરતી હોવાની રાવ ઉટી છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. જે અનુસાર તા.11/5/20215ના રોજ જામનગર બી.એસ.સી.માં અભ્યાસ કરતી યુવતિનું સગપણ થતાં મંગેતર સાથે રણજીતસાગર પર ફરવા ગઇ હતી. બન્ને જણા રણજીતસાગર ડેમ પર બેઠા હતાં ત્યારે સાંજના ચાર વાગ્યે કારમાં બે રોમિયો આવી અને આ બન્ને 25 થી 30 વર્ષની ઉંમરના હતાં. તેઓએ પોતે પોલીસ હોવાનું જણાવી આ યુવતિ અને તેના મંગેતરને અહીં શું કરવા આવેલા છો? તેમ કહી પૂછપરછ કરવા લાગ્યા હતાં અને બન...