Skip to main content

યમરાજનો જામનગરની કોવિડ હોસ્પિટલમાં મુકામ: વધુ 67 દર્દીના મોત

ગઇકાલ બપોરથી આજ બપોરના 24 કલાક દરમિયાન દર બે કલાકે પાંચ દર્દીઓના મોતથી ભારે અરેરાટી



જામનગર તા.13:

જામનગરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિત થયેલા વધુ 67 દર્દીઓના મૃત્યું નિપજ્યા હોવાનું જાણવા મળે છે. છેલ્લા પાંચ દિવસમાં જ 200થી વધુ દર્દીઓના મૃત્યું નિપજ્યા છે. દર કલાકે બે થી ત્રણ દર્દીઓના સતત થઇ રહેલા મોતને પગલે હોસ્પિટલ પરિસરમાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા છે. હોસ્પિટલથી  સ્મશાનગૃહ સુધી મૃતદેહોને લઇને એમ્બ્યુલન્સના સતત ફેરા લાગી રહ્યા છે. 

જામનગરમાં 15 માર્ચ પછી કોરોનાની બાબાગાડીએ એકસપ્રેસ ટ્રેનની ગતિ પકડી હતી અને 1 એપ્રિલ પછી બુલેટ ટ્રેનની માફક કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. કોરોનાના કેસની સાથો સાથ કોરોના સંક્રમિત થયેલા દર્દીઓના મૃત્યુંના કિસ્સા પણ વધી રહ્યા છે. ખાસ કરીને છેલ્લા ત્રણ દિવસથી જી.જી.કોવિડ હોસ્પિટલમાં નોંધાતા મૃત્યુંના કિસ્સા સૌરાષ્ટ્રની હોસ્પિટલમાં સૌથી વધુ જણાયા છે.

ગઇકાલ બપોરના 12 વાગ્યાથી આજે બપોરના 12 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાક દરમ્યાન જામનગરની કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયેલા 67 દર્દીઓએ અંતિમ શ્ર્વાસ ખેચ્યા હતા. છેલ્લા પાંચ દિવસની વાત કરીએ તો કોવિડ હોસ્પિટલમાં 200થી વધુ દર્દીઓના મૃત્યું નિપજતા લોકોમાં તેમજ આરોગ્ય તંત્રમાં ચિંતા ઘેરી બની છે.

જામનગરની કોવિડ હોસ્પિટલમાં 40 ટકા જેટલા જામનગર જિલ્લા સિવાયના દર્દીઓ સારવાર માટે દાખલ છે. 250 જેટલા દર્દીઓ હજુ પણ ગંભીર છે. જેમાં 100 જેટલા દર્દીઓ મોરબી અને રાજકોટ જિલ્લાના છે.

ગઇકાલ બપોરથી આજે બપોરના 12:00 વાગ્યા સુધીમાં કોવિડ હોસ્પિટલથી અંતિમવિધી માટે રવાના કરાયેલા મૃત્તકોના મૃત્તદેહોમાં જયંતિભાઇ ખોડાભાઇ રાણપરિયા, નવીનભાઇ ભગવાનજીભાઇ પટેલ, રત્નદિપ ચંદ્રકાંત ભાનુશાળી, જસવંતી કેશવલાલ, અલીઅસગર શબીરભાઇ, નરશીભાઇ કલ્યાણજી સોનગ્રા, વાલાભાઇ જેરામભાઇ સોનગ્રા, કારીબેન હિરાબાઇ, હેમુભાઇ કાનાભાઇ કુણપરા, બીનાબા પ્રદ્યુમનસિંહ જાડેજા, નિશાબેન શૈલેષભાઇ રાણવાડિયા, ઓધવજીભાઇ મગનભાઇ ધારવિયા, હીનાબેન સુરેશભાઇ ગૌડ, નેહાબેન સુરેશભાઇ સીહોરા, ભાનુબેન ભીખાભાઇ પરમાર, કારીબેન માલદેભાઇ સુવા, વલ્લભભાઇ લાખાભાઇ ગોંડલિયા, સાયરાબેન હુશેનભાઇ પીપરવાડિયા, નીમુબેન પીઠાભાઇ ગોજીયા, કંચનબેન છબીલભાઇ વઘાડિયા, પારૂલબેન પ્રકાશભાઇ સંઘાણી, નસીફાબેન શબ્બીરભાઇ ધનકોટ, કુસુમબેન રમેશભાઇ અઘારા, અલ્કાબેન વિજયભાઇ વણઝારા, રામુબેન વલ્લભભાઇ અકબરી, હીરાભાઇ ભીખાભાઇ ઝાપડા, વિજ્યાબેન ખેતસીભાઇ સાગઠિયા, અશોકભાઇ રતિલાલ બારડ, દેલવાડિયા પ્રવિણચંદ્ર વિરજી, એમણાબેન ગનીભાઇ ઉમરેટિયા, જેઠાભાઇ હીરાભાઇ પરમાર, બારડ કેસુરભાઇ માલદેભાઇ, ગોવિંદભાઇ વાલજીભાઇ હડિયલ, ભટ્ટ ભરતકુમાર વનલરામ, ગોહિલ કાંતાબેન જાદવજી, જોષી વાસુદેવભાઇ ઓધવજીભાઇ, વાલીબેન લાલજીભાઇ ગોહિલ, પાનેલિયા લખમણભાઇ સામજીભાઇ, ગીતાબેન ઘનશ્યામભાઇ જાની, ધીરજલાલ નારણભાઇ વોરા, અશ્ર્વિનભાઇ દલીચંદ સંઘવી, અમૃતાબેન સામજીભાઇ સરવૈયા, જાનુબેન મનસુખભાઇ વાણિયા, વલ્લભભાઇ છગનભાઇ ઝાટકિયા, મીસણ મહેશદાન દાદુભાઇ, પીપરિયા શૈલેષભાઇ રામજીભાઇ, મણીબેન કાનજીભાઇ ઢાપા, બાબુભાઇ કાનાભાઇ રંગાણી, મારખીભાઇ એભાભાઇ સુવા, કાન્તાબેન કનખરા, મુકેશભાઇ બાબુભાઇ મહેતા, મનજીભાઇ રણછોડભાઇ નકુમ, પ્રેમજીભાઇ બાબુભાઇ, વિપુલભાઇ લાખાભાઇ બાબરિયા, દુર્ગાબેન દાનાભાઇ, બિપીનભાઇ હસમુખભા આહીરનો સમાવેશ થાય છે.  ઉપરોક્ત મૃત્તકોના મોરબી જિલ્લાના 10, રાજકોટ જિલ્લાના 9 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક દર્દીનો સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે.

આ ઉપરાંત અન્ય 10 દર્દીઓના મૃત્યું નિપજ્યા છે. જેઓના મૃત્તદેહોને તેમના ગામ મોકલવા માટે હોસ્પિટલથી જ વ્યવસ્થા કરવામાં આવી હતી.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...