Skip to main content

કોરોના રિર્પોટમાં રાહ: લેબમાં ‘ટેસ્ટીંગ’નું ભારણ: રિર્પોટ‘માં 3 દિવસનું ‘વેઇટીંગ’

વ્યકિત પોઝીટીવ છે કે નેગેટીવ: 72 કલાક બાદ જાણ થતા દર્દીની તબીયત લથડવાના બનાવોમાં વધરો



જામનગર તા.12:

જામનગર સહિત રાજયના ખુણે-ખુણે કોરોનાએ રાક્ષસી પંજો પ્રસરાવ્યો છે. કોરોનાના સેક્ધડ વેવમાં સૌરાષ્ટ્રની પરિસ્થિતિ દિવસેને દિવસે અઘરી બનતી જાય છે. હોસ્પિટલમાં બેડની ઘટ, દવાની અછત, મોતના વધતા જતા આંકડાઓ કાળમુખા કોરોનાની કાતિલ સ્થિતિના હજરાહજુર પુરાવા છે. આવી સ્થિતિ વચ્ચે જામનગરમાં લોકો જાગૃતતા દાખવી મોટી સંખ્યામાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવી રહ્યા છે. રોજ 400થી 500 જેટલા સેમ્પલ કલેકશન કરવામાં આવે છે. જામનગરમાં માત્ર સેમ્પલ કલેકશનની જ વ્યવસ્થા છે સેમ્પલ ટેસ્ટની વ્યવસ્થા ન હોવાથી ટેસ્ટ માટે રાજકોટ, અમદાવાદ મોકલવા પડે છે. આથી ટેસ્ટ કરતી લેબમાં ભારણ વધ્યું છે. અને હાલ 60થી 72 કલાક બાદ રિર્પોટ આવી રહ્યા છે. જેથી દર્દીઓની મુશ્કેલીમાં વધારો નોંધાઇ રહ્યો છે.

જામનગર મોરબી, ગોંડલ, ઉપલેટા સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોનાએ માઝા મુકી છે. રોજે-રોજ રેકોર્ડબ્રેક કેસો આવી રહ્યા છે. આથી આભ ફાટયું હોય ત્યારે થીગડું કયા મારવું તેવી સ્થિતિ જન્મી છે. એકલા જામનગર પંથકમાં જ શનિવાર અને રવિવારના સમયગાળા દરમ્યાન 600થી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે. જામનગર પંથકમાં કોરોનાએ બેકાસો બોલાવતા લોકોમાં જાગૃતતા આવી છે અને ટેસ્ટ કરાવવા લોકો આગળ આવી રહ્યા છે. 

જામનગરમાં આશરે 10 જેટલી લેબોરેટરીમાં કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટના સેમ્પલ લેવાની વ્યવસ્થા છે. જેમાં રૂપિયા 800 લેખે ટેસ્ટ કરી દેવામાં આવે છે. તેવામાં કોરોનાના વધતા સંક્રમણની સ્વજાગૃતતા તથા દર્દીઓ ઉપરાંત ગુજરાત બહાર જવા માંગતા લોકોને આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત હોવાથી જામનગરમાં મોટા પાયે ટેસ્ટ થઇ રહ્યા છે. એક અંદાજ મુજબ જામનગરની ખાનગી લેબમાં રોજ 400થી 500 લોકોના સેમ્પલ કલેકશન કરવામાં આવી રહ્યા છે. જામનગરમાં માત્ર આર.ટી.પી.સી.આર સેમ્પલ કલેકશનની જ વ્યવસ્થા છે. સેમ્પલને ટેસ્ટીંગ માટે અમદાવાદ અને રાજકોટ મોકલવામાં આવી રહ્યા છે.  લગભગ 60 ટકા સેમ્પલ રાજકોટ અને 40 ટકા સેમ્પલ ટેસ્ટીંગ અર્થે અમદાવાદ મોકલાતા હોવાનું જાણવા મળે છે. બીજી તરફ સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ ટેસ્ટીંગની વ્યવસ્થા ન હોવાથી આવા શહેરોના ટેસ્ટ પણ રાજકોટ કરાવવામાં આવી રહ્યા છે. આથી રાજકોટની આરટીપીસીઆર રિર્પોટ કરતી લેબમાં કામનું ભયંકર ભારણ વધ્યું છે.

સૌરાષ્ટ્રના ખુણે-ખુણેથી સેમ્પલો ટેસ્ટીંગ અર્થે આવતા ટેસ્ટીંગ લેબમાં વેયટીંગ શરૂ થયા છે અને રિર્પોટ ટેસ્ટીંગ માટે લાંબો સમય રાહ જોવાનો વારો આવ્યો છે. અગાઉના સમયગાળા દરમ્યાન સવારે સેમ્પલ ટેસ્ટ અર્થે મોકલાયા બાદ તરત જ  સાંજે રિર્પોટ આપી દેવામાં આવતો હતો. જેથી પોઝીટીવ રિર્પોટ આવતા દર્દીને તાબડતોબ સારવાર આપવામાં આવતી હતી. હાલની પરિસ્થિતિએ 60 થી 72 કલાક બાદ રિર્પોટ આપવામાં આવતા હોવાનું જાણવા મળી રહ્યું છે. લાંબી રાહ જોયા બાદ રિર્પોટ આવતા અમુક ગંભીર દર્દીઓને કણસતી સ્થિતિ વચ્ચે સમય પસાર કરવો પડી રહ્યો છે.તા દર્દીની તબીયત લથડવાના બનાવોમાં વધરો

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની વિક્રમજનક 30000 મણ આવક

માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા  નવી  જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી. આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર  હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.