Skip to main content

કોરોના રિર્પોટમાં રાહ: લેબમાં ‘ટેસ્ટીંગ’નું ભારણ: રિર્પોટ‘માં 3 દિવસનું ‘વેઇટીંગ’

વ્યકિત પોઝીટીવ છે કે નેગેટીવ: 72 કલાક બાદ જાણ થતા દર્દીની તબીયત લથડવાના બનાવોમાં વધરો



જામનગર તા.12:

જામનગર સહિત રાજયના ખુણે-ખુણે કોરોનાએ રાક્ષસી પંજો પ્રસરાવ્યો છે. કોરોનાના સેક્ધડ વેવમાં સૌરાષ્ટ્રની પરિસ્થિતિ દિવસેને દિવસે અઘરી બનતી જાય છે. હોસ્પિટલમાં બેડની ઘટ, દવાની અછત, મોતના વધતા જતા આંકડાઓ કાળમુખા કોરોનાની કાતિલ સ્થિતિના હજરાહજુર પુરાવા છે. આવી સ્થિતિ વચ્ચે જામનગરમાં લોકો જાગૃતતા દાખવી મોટી સંખ્યામાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવી રહ્યા છે. રોજ 400થી 500 જેટલા સેમ્પલ કલેકશન કરવામાં આવે છે. જામનગરમાં માત્ર સેમ્પલ કલેકશનની જ વ્યવસ્થા છે સેમ્પલ ટેસ્ટની વ્યવસ્થા ન હોવાથી ટેસ્ટ માટે રાજકોટ, અમદાવાદ મોકલવા પડે છે. આથી ટેસ્ટ કરતી લેબમાં ભારણ વધ્યું છે. અને હાલ 60થી 72 કલાક બાદ રિર્પોટ આવી રહ્યા છે. જેથી દર્દીઓની મુશ્કેલીમાં વધારો નોંધાઇ રહ્યો છે.

જામનગર મોરબી, ગોંડલ, ઉપલેટા સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોનાએ માઝા મુકી છે. રોજે-રોજ રેકોર્ડબ્રેક કેસો આવી રહ્યા છે. આથી આભ ફાટયું હોય ત્યારે થીગડું કયા મારવું તેવી સ્થિતિ જન્મી છે. એકલા જામનગર પંથકમાં જ શનિવાર અને રવિવારના સમયગાળા દરમ્યાન 600થી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે. જામનગર પંથકમાં કોરોનાએ બેકાસો બોલાવતા લોકોમાં જાગૃતતા આવી છે અને ટેસ્ટ કરાવવા લોકો આગળ આવી રહ્યા છે. 

જામનગરમાં આશરે 10 જેટલી લેબોરેટરીમાં કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટના સેમ્પલ લેવાની વ્યવસ્થા છે. જેમાં રૂપિયા 800 લેખે ટેસ્ટ કરી દેવામાં આવે છે. તેવામાં કોરોનાના વધતા સંક્રમણની સ્વજાગૃતતા તથા દર્દીઓ ઉપરાંત ગુજરાત બહાર જવા માંગતા લોકોને આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત હોવાથી જામનગરમાં મોટા પાયે ટેસ્ટ થઇ રહ્યા છે. એક અંદાજ મુજબ જામનગરની ખાનગી લેબમાં રોજ 400થી 500 લોકોના સેમ્પલ કલેકશન કરવામાં આવી રહ્યા છે. જામનગરમાં માત્ર આર.ટી.પી.સી.આર સેમ્પલ કલેકશનની જ વ્યવસ્થા છે. સેમ્પલને ટેસ્ટીંગ માટે અમદાવાદ અને રાજકોટ મોકલવામાં આવી રહ્યા છે.  લગભગ 60 ટકા સેમ્પલ રાજકોટ અને 40 ટકા સેમ્પલ ટેસ્ટીંગ અર્થે અમદાવાદ મોકલાતા હોવાનું જાણવા મળે છે. બીજી તરફ સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ ટેસ્ટીંગની વ્યવસ્થા ન હોવાથી આવા શહેરોના ટેસ્ટ પણ રાજકોટ કરાવવામાં આવી રહ્યા છે. આથી રાજકોટની આરટીપીસીઆર રિર્પોટ કરતી લેબમાં કામનું ભયંકર ભારણ વધ્યું છે.

સૌરાષ્ટ્રના ખુણે-ખુણેથી સેમ્પલો ટેસ્ટીંગ અર્થે આવતા ટેસ્ટીંગ લેબમાં વેયટીંગ શરૂ થયા છે અને રિર્પોટ ટેસ્ટીંગ માટે લાંબો સમય રાહ જોવાનો વારો આવ્યો છે. અગાઉના સમયગાળા દરમ્યાન સવારે સેમ્પલ ટેસ્ટ અર્થે મોકલાયા બાદ તરત જ  સાંજે રિર્પોટ આપી દેવામાં આવતો હતો. જેથી પોઝીટીવ રિર્પોટ આવતા દર્દીને તાબડતોબ સારવાર આપવામાં આવતી હતી. હાલની પરિસ્થિતિએ 60 થી 72 કલાક બાદ રિર્પોટ આપવામાં આવતા હોવાનું જાણવા મળી રહ્યું છે. લાંબી રાહ જોયા બાદ રિર્પોટ આવતા અમુક ગંભીર દર્દીઓને કણસતી સ્થિતિ વચ્ચે સમય પસાર કરવો પડી રહ્યો છે.તા દર્દીની તબીયત લથડવાના બનાવોમાં વધરો

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

રણજીતસાગર ડેમ ઉપર પોલીસના નામે સહેલાણીઓની પજવણી કરતા બે શખ્સોને પાંચ વર્ષની સજા

બે રોડછાપ રોમિયોએ નકલી પોલીસ બની યુવતિના ફોટા પાડી બિભત્સ માંગણી કરેલી: યુવતિ તાબે ન થતાં ફોટા સોશ્યલ મીડિયામાં કર્યા હતાં વાયરલ: જાતિય હુમલાનો ભોગ બનેલ યુવતિને 50 હજારની રકમ વળતર પેટે ચુકવવા જામનગરની અદાલતનો હુકમ જામનગર તા.30 જામનગરના રણજીતસાગર ડેમ પર હરવા-ફરવા આવતા સહેલાણીઓની પજવણી કરતા બે રોડછાપ રોમિયોને જામનગરની અદાલતે પાંચ વર્ષની જેલની સજા અને 50 હજારનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની હકીકત મુજબ રણજીતસાગર નગરજનો માટે ફરવા જવાનું પીકનીક પોઇન્ટ છે. આ પીકનીક પોઇન્ટર પર અવાર-નવાર રોડ રોમિયો દ્વારા નિર્દોષ સ્ત્રીઓ, યુવતિઓને પજવણી કરતી હોવાની રાવ ઉટી છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. જે અનુસાર તા.11/5/20215ના રોજ જામનગર બી.એસ.સી.માં અભ્યાસ કરતી યુવતિનું સગપણ થતાં મંગેતર સાથે રણજીતસાગર પર ફરવા ગઇ હતી. બન્ને જણા રણજીતસાગર ડેમ પર બેઠા હતાં ત્યારે સાંજના ચાર વાગ્યે કારમાં બે રોમિયો આવી અને આ બન્ને 25 થી 30 વર્ષની ઉંમરના હતાં. તેઓએ પોતે પોલીસ હોવાનું જણાવી આ યુવતિ અને તેના મંગેતરને અહીં શું કરવા આવેલા છો? તેમ કહી પૂછપરછ કરવા લાગ્યા હતાં અને બન...