Skip to main content

વિધિની વક્રતા: બેડીના સામાજિક અગ્રણીએ 24 કલાકના ગાળામાં બે યુવાન પુત્રો ગુમાવ્યા



જામનગર તા.14:

જામનગરના બેડી વિસ્તારમાં રહેતા એક મુસ્લિમ પરિવારનો માળો કાળમુખા કોરોનાએ પિંખી નાંખ્તા સમગ્ર વિસ્તારમાં માતમ છવાઇ ગયું છે. જુવાનજોધ બે પુત્રો માત્ર 24 કલાકના ગાળામાં જ એક મુસ્લિમ સમાજ સેવકે ગુમાવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે.

એમ કહેવાય છે કે કોઇ પણ સદગૃહસ્થ માટે તેમના સંતાન બુઢાપાની લાકડી હોય છે અને તેથી જ વૃધ્ધાવસ્થામાં આ લાકડી તુટવાનું દર્દ સહન કરવું ઘણુ કપરૂ બની જાય છે. વિધિની વક્રતા સમો આવો જ એક કિસ્સો જામનગરના વોર્ડ નં.1માં આવતા બેડી વિસ્તારમાં બન્યો છે. 

પાશાણ હૃદયના માનવીનું પણ કાળજુ કંપાવી દે તેવી આ ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર બેડી વિસ્તારમાં રહેતા ઇશાકભાઇ કેર તેમના વિસ્તારમાં સામાજિક સેવા માટે જાણિતા છે. કોઇ પણ નાના માણસને ત્યાં સુખ-દુ:ખના બનાવ વખતે તેઓ સેવા આપવા દોડી જાય છે. આમ છતા વિધાતાએ તેમના ભાગ્યમાં પાછલી જીંદગીમાં દુ:ખનું પોટલુ માથે નાંખ્યું છે.

તેમના પુત્ર ખાલીદની ગત શનિવારે તબિયત બગાડતા અને કોરોનાના લક્ષ્ણ જણાતા સારવાર માટે જી.જી.કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરંતુ કાળ તેમના ઉપર ત્રાટકયો હતો અને ખાલીદભાઇ (ઉ.વ.35) જન્નતનશીન થયા હતા. રવિવારે તેમની દફનવિધિ ધાર્મિક રીત-રિવાજ મુજબ કરાઇ હતી. 

ખાલીદભાઇ ફાની દુનિયાને અલવિદા કરીને જતા રહેતા પરિવારજનો અને સગા-સ્નેહીઓની આંખોમાંથી આશ્રુધારા વહી હતી.

આ ઉપરાંત ઇશાકભાઇના બીજા પુત્ર હુશૈન (ઉ.વ.32)ની તબિયત બગડતા તેઓને પણ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જો કે તેમને ન્યુમોનિયા થયાનું તબીબોએ જાહેર કર્યુ હતું. સોમવારે સવારે 11:30 આસપાસ હુશૈનભાઇએ તેમના પિતા મોબાઇલથી વાત કરી હતી અને તબિયતમાં સુધારો હોવાનું જણાવતા ઇશાકભાઇ અને અન્ય પરિવારજનોને હુશૈનભાઇ હેમખેમ ઘરે પરત ફરશે તેવી આશા બંધાઇ હતી. પરંતુ કુદરતે આ પરિવારના ભાગ્યમાં હજુ વધુ દુ:ખ જોવાનું  લખ્યું હોય તેમ વાચચીતની માત્ર પોણી કલાક બાદ જ હોસ્પિટલથી ફોન આવ્યો કે હુશૈનભાઇ પણ અવસાન પામ્યા છે. આમ 24 કલાકના નજીવા ગાળામાં પરિવારે બે જુવાનજોધ પુત્રો ગુમાવ્યા હતા અને તેથી પરિજનોને 24 કલાક બાદ બીજી વખત વ્હાલસોપાના જનાજાને કાંધ આપવા મજબુર થવું પડયું હતું.

સ્થાનિકોના કહેવા મુજબ ઇશાકભાઇ કેર સામાજિક સેવાથી લોકોમાં લોકપ્રિય હોવાથી તેમના બે યુવાન પુત્રોના અવસાનના સમાચારથી લોકોમાં માતમ છવાયું છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની વિક્રમજનક 30000 મણ આવક

માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા  નવી  જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી. આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર  હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.