Skip to main content

જામનગરની કોવિડ હોસ્પિટલમાં 24 કલાકમાં 45 દર્દીના મૃત્યું

જામનગર ઉપરાંત દ્વારકા, પોરબંદર, મોરબી અને રાજકોટ જિલ્લાના દર્દીનો સમાવેશ



જામનગર તા.14:

જામનગરની કોવિડ હોસ્પિટલમાં આજે બપોરે 12 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાક દરમ્યાન 45 દર્દીના મૃત્યું થયાનું જાણવા મળે છે. ત્રણ દિવસ બાદ કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

જામનગરની જી.જી.કોવિડ હોસ્પિટલમાં છેલ્લા 14 દિવસમાં 400થી વધુ કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યું થઇ ચુકયા છે અને તેમાંય ખાસ કરીને શનિવારથી મંગળવાર સુધીમાં 200 દર્દીઓના મૃત્યું થયા હતા. આમ છતા 1200 બેડની હોસ્પિટલમાં વધારો કરાયો છતા પણ 1650 જેટલા દર્દીઓ દાખલ હોય બેડી ખુટી પડયા છે.

ગઇકાલના બપોરે 12 વાગ્યાથી આજે બપોરના 12 વાગ્યા સુધીના 24 કલાક દરમ્યાન કોવિડ હોસ્પિટલમાં મૃત્યું પામેલા વધુ 37 દર્દીના મૃતદેહ આદર્શ સ્મશાનગૃહ ખાતે અંતિમવિધિ માટે પહોંચી ચુકયા છે. જયારે આઠ દર્દીના મૃતદેહોને તેમના પરિજનોની ઇચ્છાથી મોરબી-રાજકોટ જિલ્લામાં તેમના ગામ રવાના કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

જે મૃતકોની અંતિમવિધિ આદર્શ સ્મશાનગૃહ ખાતે થઇ ચુકી છે. તેમાં બંસીધરભાઇ ભઠ્ઠર (મોરબી), મંજુલાબેન મનહરભાઇ (મોરબી), ગીતાબેન જગદીશભાઇ ચાવડા (ઢીંચડા-જામનગર), સંજયકુમાર હરીપ્રસાદ સોમાણી (જામનગર), લાભુબેન કાથડભાઇ (હરિયાણા), ગોવિંદભાઇ મેઘજીભાઇ (મોરબી), જયાબેન જેરામભાઇ દેત્રોજા (જામનગર), લાભુબેન નાનજીભાઇ આઘારા (મોરબી), છબીબેન બાબુભાઇ ભાકાસણા (ધરમપુર-મોરબી), હરિભાઇ ભવાનભાઇ કણઝારીયા (મોરબી), જીશાબેન ભરતભાઇ ભુત (રાજકોટ), વ્રજલાલ વીરજીભાઇ અજુડીયા (રાજકોટ), મનસુખભાઇ ઓધવજીભાઇ (મોરબી), ભુપતભાઇ ચમનભાઇ દાવડા (લાલપુર-જામનગર), ભરતભાઇ મનસુખભાઇ ઓઝા (જામનગર), મનસુખભાઇ ચુનીલાલ દેવાયતકા (મોરબી), વિજયકુમાર બુધ્ધદેવ (જામનગર), શાંતાબેન જગીદશભાઇ રાઠોડ (જામનગર), રૂડીબેન ચૈહાણ (જામનગર), વસંતરાય હિમ્મતલાલ પંડીત (જામનગર) અને રામા મેરજી કેશવાલા (પોરબંદર)નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત જામનગર જિલ્લા સિવાયના મોરબી અને રાજકોટ તથા અન્ય જિલ્લાના વધુ આઠ દર્દીઓની ડેડ બોડી તેમના પરિવારજનોના ઇચ્છાથી તેમના ગામ રવાના કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આમ આજે બપોર સુધીના છેલ્લા 24 કલાકમાં જામનગરની કોવિડ હોસ્પિટલમાં 45 દર્દીઓના મૃત્યું નિપજ્યા હતા. જામનગરની કોવિડ હોસ્પિટલમાં મોતનો સીલસીલો સતત ચાલુ છે. પરંતુ આગલા ત્રણ દિવસની સરખામણીયે આજે મૃત્યુંઆંકમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની વિક્રમજનક 30000 મણ આવક

માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા  નવી  જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી. આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર  હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.