Skip to main content

જામનગરની કોવિડ હોસ્પિટલ 1450 બેડ ફરી હાઉસફૂલ

વધતા જતા કોરોનાના ગંભીર દર્દીઓને માટે ઓકિસઝન અને વેન્ટીલેટરની અછત સર્જાઇ: ફોટા દ્વારા  પ્રસિદ્ધી મેળવનાર  નેતાઓ સામે રોષની લાગણી



જામનગર તા.14:

સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની જી.જી.કોવિડ હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી ન હોવાની સ્થિતિ સર્જાઇ છે. 450 બેડની હોસ્પિટલ હાઉસફૂલ થઇ ગયાનું જી.જી.કોવિડ હોસ્પિટલના તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. વધતા જતા કોરોનાના દર્દીઓને લઇને વેન્ટીલેટરો અને ઓકિસઝન સુવિધા સાથેના બેડ ઘટી પડયા. વહીવટી તંત્ર દ્વારા દર્દીઓને સારવાર માટે થઇને વધુ સુવિધા કોવિડ હોસ્પિટલની શરૂ કરવા કવાયત હાથ ધરાઇ.

જામનગરની કોવિડ હોસ્પિટલ 1200 બેડની ક્ષમતા ધરાવતી હતી. જેમાં તા.12ના રોજ 1302 દર્દીઓ દાખલ થયા હતા.  નોન કોવિડ હોસ્પિટલમાં ઓકિસઝન સાથેના 965 બેડ સાથે વધારાના 102 બેડ મુકીને 1067 દર્દીઓને સારવાર આપવામાં આવતી હતી. જયારે વેન્ટીલેટરવાળા 235 બેડમાંથી એક પણ બેડ ખાલી નથી. 1200 બેડની ક્ષમતા સામે હોસ્પિટલમાં દર્દીઓ વધતા વધારાના 148 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જેમાં નોન આઇસીયુ ધરાવતા બેડમાં 1215 બેડની સુવિધા ઉભી કરવામાં આવી હતી. જે પણ ભરાઇ ગયા છે. 

જી.જી.કોવિડ હોસ્પિટલની આજે સવારે આઠ વાગ્યાની સ્થિતિ મુજબ કુલ 1450 બેડો હાઉસફૂલ થઇ ગયા છે. નોન કોવિડ આઇસીયુની અંદર 1215 દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જયારે આઇસીયુ વોર્ડમાં 235 દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. દર્દીઓની વધતી જતી સંખ્યાએ ચિંતાનો વિષય ઉભો થયો છે અને વહીવટી તંત્ર અને જી.જી.હોસ્પિટલના કોવિડ ઇર્ન્ચાજો સાથે મીટીંગનો દોર પણ હાથ ધરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આવનારા સમયમાં કોરોનાના દર્દીઓને કઇ જગ્યાએ સારવાર ઉપલબ્ધ કરાવવી અને આઇસીયુ યુનીટ વધારવા તેમજ ઓકિસજનવાળા યુનિટો પણ વધારવા પડે તેવી સ્થિતિને ધ્યાને લેવામાં આવી છે. હવે નવા આવી રહેલા દર્દીઓમાં મોટા ભાગના દર્દીઓને ઓકિસજન અને વેન્ટીલેટરના ર્સ્પોટની વિશેષ જરૂરીયાત ઉભી થઇ છે. જેને લઇને જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને જી.જી.હોસ્પિટલના તંત્ર દ્વારા રાજય સરકારમાં પણ આ અંગે માહિતગાર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. રાજય સરકાર દ્વારા જી.જી.કોવિડ હોસ્પિટલ જામનગરને માટે વધુ વેન્ટીલેટરો તેમજ અન્ય મેડીકલ સાધનો અને દવાઓનો જથ્થો ઝડપભેર ફાળવવામાં આવે તે દર્દીઓના હીતમાં છે.

જામનગર શહેરના બુધ્ધિજીવીઓમાં એવુ ચર્ચાઇ છે કે વેકસીન આપવાના કેમ્પોમાં ફોટા સાથે પ્રસિદ્ધ મેળવનારા રાજકીય આગેવાનો અને નેતાઓ જી.જી.કોવિડ હોસ્પિટલના કોવિડ દર્દીઓને માટે મેડીકલ સાધન સુવિધા ઉભી કરાવવામાં પાંગળા રહ્યા છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

રણજીતસાગર ડેમ ઉપર પોલીસના નામે સહેલાણીઓની પજવણી કરતા બે શખ્સોને પાંચ વર્ષની સજા

બે રોડછાપ રોમિયોએ નકલી પોલીસ બની યુવતિના ફોટા પાડી બિભત્સ માંગણી કરેલી: યુવતિ તાબે ન થતાં ફોટા સોશ્યલ મીડિયામાં કર્યા હતાં વાયરલ: જાતિય હુમલાનો ભોગ બનેલ યુવતિને 50 હજારની રકમ વળતર પેટે ચુકવવા જામનગરની અદાલતનો હુકમ જામનગર તા.30 જામનગરના રણજીતસાગર ડેમ પર હરવા-ફરવા આવતા સહેલાણીઓની પજવણી કરતા બે રોડછાપ રોમિયોને જામનગરની અદાલતે પાંચ વર્ષની જેલની સજા અને 50 હજારનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની હકીકત મુજબ રણજીતસાગર નગરજનો માટે ફરવા જવાનું પીકનીક પોઇન્ટ છે. આ પીકનીક પોઇન્ટર પર અવાર-નવાર રોડ રોમિયો દ્વારા નિર્દોષ સ્ત્રીઓ, યુવતિઓને પજવણી કરતી હોવાની રાવ ઉટી છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. જે અનુસાર તા.11/5/20215ના રોજ જામનગર બી.એસ.સી.માં અભ્યાસ કરતી યુવતિનું સગપણ થતાં મંગેતર સાથે રણજીતસાગર પર ફરવા ગઇ હતી. બન્ને જણા રણજીતસાગર ડેમ પર બેઠા હતાં ત્યારે સાંજના ચાર વાગ્યે કારમાં બે રોમિયો આવી અને આ બન્ને 25 થી 30 વર્ષની ઉંમરના હતાં. તેઓએ પોતે પોલીસ હોવાનું જણાવી આ યુવતિ અને તેના મંગેતરને અહીં શું કરવા આવેલા છો? તેમ કહી પૂછપરછ કરવા લાગ્યા હતાં અને બન...