Skip to main content

જામનગરની કોવિડ હોસ્પિટલ 1450 બેડ ફરી હાઉસફૂલ

વધતા જતા કોરોનાના ગંભીર દર્દીઓને માટે ઓકિસઝન અને વેન્ટીલેટરની અછત સર્જાઇ: ફોટા દ્વારા  પ્રસિદ્ધી મેળવનાર  નેતાઓ સામે રોષની લાગણી



જામનગર તા.14:

સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની જી.જી.કોવિડ હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી ન હોવાની સ્થિતિ સર્જાઇ છે. 450 બેડની હોસ્પિટલ હાઉસફૂલ થઇ ગયાનું જી.જી.કોવિડ હોસ્પિટલના તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. વધતા જતા કોરોનાના દર્દીઓને લઇને વેન્ટીલેટરો અને ઓકિસઝન સુવિધા સાથેના બેડ ઘટી પડયા. વહીવટી તંત્ર દ્વારા દર્દીઓને સારવાર માટે થઇને વધુ સુવિધા કોવિડ હોસ્પિટલની શરૂ કરવા કવાયત હાથ ધરાઇ.

જામનગરની કોવિડ હોસ્પિટલ 1200 બેડની ક્ષમતા ધરાવતી હતી. જેમાં તા.12ના રોજ 1302 દર્દીઓ દાખલ થયા હતા.  નોન કોવિડ હોસ્પિટલમાં ઓકિસઝન સાથેના 965 બેડ સાથે વધારાના 102 બેડ મુકીને 1067 દર્દીઓને સારવાર આપવામાં આવતી હતી. જયારે વેન્ટીલેટરવાળા 235 બેડમાંથી એક પણ બેડ ખાલી નથી. 1200 બેડની ક્ષમતા સામે હોસ્પિટલમાં દર્દીઓ વધતા વધારાના 148 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જેમાં નોન આઇસીયુ ધરાવતા બેડમાં 1215 બેડની સુવિધા ઉભી કરવામાં આવી હતી. જે પણ ભરાઇ ગયા છે. 

જી.જી.કોવિડ હોસ્પિટલની આજે સવારે આઠ વાગ્યાની સ્થિતિ મુજબ કુલ 1450 બેડો હાઉસફૂલ થઇ ગયા છે. નોન કોવિડ આઇસીયુની અંદર 1215 દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જયારે આઇસીયુ વોર્ડમાં 235 દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. દર્દીઓની વધતી જતી સંખ્યાએ ચિંતાનો વિષય ઉભો થયો છે અને વહીવટી તંત્ર અને જી.જી.હોસ્પિટલના કોવિડ ઇર્ન્ચાજો સાથે મીટીંગનો દોર પણ હાથ ધરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આવનારા સમયમાં કોરોનાના દર્દીઓને કઇ જગ્યાએ સારવાર ઉપલબ્ધ કરાવવી અને આઇસીયુ યુનીટ વધારવા તેમજ ઓકિસજનવાળા યુનિટો પણ વધારવા પડે તેવી સ્થિતિને ધ્યાને લેવામાં આવી છે. હવે નવા આવી રહેલા દર્દીઓમાં મોટા ભાગના દર્દીઓને ઓકિસજન અને વેન્ટીલેટરના ર્સ્પોટની વિશેષ જરૂરીયાત ઉભી થઇ છે. જેને લઇને જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને જી.જી.હોસ્પિટલના તંત્ર દ્વારા રાજય સરકારમાં પણ આ અંગે માહિતગાર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. રાજય સરકાર દ્વારા જી.જી.કોવિડ હોસ્પિટલ જામનગરને માટે વધુ વેન્ટીલેટરો તેમજ અન્ય મેડીકલ સાધનો અને દવાઓનો જથ્થો ઝડપભેર ફાળવવામાં આવે તે દર્દીઓના હીતમાં છે.

જામનગર શહેરના બુધ્ધિજીવીઓમાં એવુ ચર્ચાઇ છે કે વેકસીન આપવાના કેમ્પોમાં ફોટા સાથે પ્રસિદ્ધ મેળવનારા રાજકીય આગેવાનો અને નેતાઓ જી.જી.કોવિડ હોસ્પિટલના કોવિડ દર્દીઓને માટે મેડીકલ સાધન સુવિધા ઉભી કરાવવામાં પાંગળા રહ્યા છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની વિક્રમજનક 30000 મણ આવક

માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા  નવી  જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી. આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર  હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.